Filed under: કાવ્ય, ગીત, જૈન સ્તવન, ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, જૈન સ્તવન, ભજન, મારે ભક્તિ તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે, સુવિચાર, bhajan, gujarati git, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a comment »
વિચાર વલોણુ – જયકાંત જાની ( અમેરીકા )
[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં !
[2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં !
[3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !
[4] તમારી ખોટુ બોલવાની આવડત ને લીધે , તમે જે ખોટુ બોલો છો તે પત્ની સાચુ માની લેતી નથી !
[5] તમારા લગ્ન સંસારને ટકાવી રાખવા માટે મૌન રહો, બોલવું જ પડે મનમા બોલીને જ પતાવો !
[6] ચંદ્રમુખી કે સુર્યમુખી લાગતી પત્નીને કાળમુખી થતા વાર નથી લાગતી !
[7] કુમળી વેલ જેમ વ્રુક્ષ ને વીંટળાઇ રહે તેમ ગર્લફ્રેન્ડ ભલે તમને વિંટળાઇ રહે પણ યાદ રાખજો કે વેલને સહારો આપવામા આખરે વ્રુક્ષજ ભીંસાવાનુ છે.
[8] કોઈને સ્વાર્થ વગર પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. લાભ વગર , લાલો નહીં લોટે નથી !
[9] પ્રેમને અને વાસનાને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી વાસના ના વહાણ વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !
[10] તમારી ઈચ્છા મુજબ તમારા સંતાનો વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે તમેય ક્યારેક સંતાન હતા ને !
[11] નવી ગર્લ ફ્રેન્ડ ની આરતિ ઉતારવામા કશું ખોટું નથી પણ જુની ગર્લ ફ્રેન્ડને અવગણવામાં પ્રેમનુ જ અપમાન છે, કારણ એ એ જ ગર્લ ફ્રેન્ડ છે જેના સ્મીત પર તમે જ મરતા હતા તેની આંખના આંસુ તમારે જ લુછવાના જ છે !
[12] પત્ની ની હથેળીમાં મૂકેલો પૈસો લાંબો ટકતો નથી, ઉદારતા પણ નહીં. ચુમીઓ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !
[13] સ્વાર્થના સંબંધો જલ્દી તુટ્તા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ ટકાઉ સંબંધો લઈને આવતો હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !
[14] પ્રેમમા હરીફાઇ હોતી નથી, પ્રેમ મા હારજીત હોતી નથી!
[15] પૈસા કમાવાઇને તુ પરેવાની રોટલી ખાજે , પરસેવો વળે ત્યા સુધી રોટલી ખાતો નહીં !
[16] દરેક ખોટી વાસના નો ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે સબુરી હોવી જોઈએ.
[17] પ્રેમીકા ને પ્રેમ કરતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી આવક અને બીજી પ્રેમીકાનો હાથખર્ચ !
[18] વિધાતાએ દરેકને શ્રાપ આપેલો જ છે, ખાસ કરીને પતિઓને…. કે પત્ની સામે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, મર્દાનગી પણ નહીં, ઝુકવુ જ પડે છે !
[19] પતિ અને પત્ની નો સંબંધ અને સાસરીયા સાથે સંબંધ એ બન્ને અલગ અલગ છે, વિચારજો !
[20] કલ્પના નો વિસ્તાર અપાર છે. પામે છે કોણ ? સપ્ના ના સૌદાગર . પ્રેમ ક્ષેત્રમાં આવું જ હોય છે, પ્રેમીઓ જ પામી શકે છે, લગે પ્રેમજી ભાઇ !
[21] તમારી બે હાલીની ખબર એક પત્ની અને બીજી પે્મીકાને જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, પ્રેમીકા તેનું નિવારણ !
[22] સત્યવાદી હરીચદ્ર બનવાની ઈચ્છા કોઇની હોતી નથી, પણ ઉપરવાળો કર્મોનો ભોગવટો ભોગવાની ફરજ પાડે છે , તેનો ભય એને સતકર્મો કરવા મજબૂર કરે છે, ખરૂને !
[23] તમે સંસાર પાછળ પડ્યા છો તો મોહ માયા એ આગળ જ રહેવા્ના છે, ભગવાન તમારા થી દુર એ ખ્યાલમાં રાખજો !
[24] મોહીની વશીકરણ થતાં વાર લાગે છે, વળગાડ કારણ વગર પણ થઈ શકે છે !
[25] પ્રેમ કરો કે ન થાય એટલે દુનિયા લુટાઇ જતી નથી , દુઃખી થવાની જરૂર નથી, પ્રેમીઓની પડતીના બીજાં અનેક કારણો છે, એટીટ્યુમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !
[26] પ્રેમીઓ માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ રૂપ, રસ, ગંધ , સ્પર્શ અને સંવનની છે, ચાન્સ મળે પૂરી કરો, તેઓ તુપ્ત થશે અને તુપ્ત કરશે !
[27] તમારી પત્નીને વિધવાની જેમ અને સંતાનોને અનાથબાળકો જેમ ટ્રેઇન કરો એટલે તમે નહીં હો તો કશું જ અટકી જશે નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે સંસાર નો ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !
[28] હુ તમારી છોકરી ને ચાહુ છુ એમ કહેવુ એ કોઇની છોકરીને ભગાડી જવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.
[29] તમારી સુખનો આધાર તમેજ છો બીજા તમને સુખી કરશે , એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !
[30] ખરીદી શકાય એવી માં ક્યાંય મળતી નથી, ને વેચી શકાય માત્રુત્વ કદી હોતું નથી !
Filed under: આધ્યાતમિક, ચિંતન, ચિંતન લેખ, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વિચાર વલોણુ - જયકાંત જાની ( અમેરીકા ), સુવાક્યો., સુવિચાર, gujarati suvakiyo, gujarati suvichar, suvichar | Leave a comment »
ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ
1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં !
[2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !
[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !
[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !
[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !
[6] સવારે જ ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું જ રહેતું નથી !
[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?
[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. એ ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !
[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !
[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !
[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એ ઊગતા સૂરજનું જ અપમાન છે, કારણ એ એ જ સૂરજ છે જેને સવારે તમે જ પૂજ્યો હતો ને કાલે પાછો એ ઊગવાનો જ છે !
[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !
[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !
[14] સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, એ નિતાંત છે, નિશ્ચલ છે !
[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ બને છે, સુવર્ણરજની નહીં !
[16] દરેક ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.
[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !
[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !
[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ બન્ને અલગ અલગ છે, વિચારજો !
[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું જ હોય છે, મરજીવા જ પામી શકે છે, લગે રહો !
[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !
[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !
[23] તમે જેની પાછળ પડ્યા છો એ આગળ જ રહેવાનો છે, એ ખ્યાલમાં રાખજો !
[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !
[25] લગ્ન ન કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !
[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !
[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ અટકી જવાનું નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !
[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.
[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !
[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !
Filed under: આધ્યાતમિક, ચિંતન, સુવાક્યો., સુવિચાર, હિમાંશુ શાહ | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ, પંચામૃત, સુવાક્યો., સુવિચાર, હિમાંશુ શાહ, gujarati suvichar, gujaratikavitaanegazal, suvakiya | Leave a comment »
ઘર ક્યારે મંદિર બને?
વિશ્વ આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની છે. ઘર એક સાંત્વના છે .બાળક જેમ માતા ની ગોદ માં નિશિન્ત થૈ જાય છે. તેમ દરેક માણસ ઘર માં જઇ હળવો થઇ જાય છે. ગૃહસ્થ જિવનની ઇમારત પ્રેમ થી બનેલી છે. તેના પાયા માં પ્રેમ છે. તેની દિવાલો પ્રેમ ની ઇટો થી ચણેલી છે. તેના છત માં પ્રેમ છે. પરિવાર માં સવ જીવ પણ પ્રેમ રુપી તાતણાં થી બંધાયેલા છે.પ્રેમ એ પ્રભુ નાં અમાપ સ્નેહ નું નિરુપણ છે. લાગણી ભી નાં સબંધો પ્રેમ દ્વારા જ સચવાતા હોય છે. પ્રેમ એ એવુ પુરણ છે ….જે મોટાંમોટાં રાગ-દ્વેષ, ઇર્ષા -વેર રુપી ખાડાઓ પુરી દેવાને સામાર્થ્ય હોય છે.પ્રેમ દ્વારા હોમ લાઇફ ને ગુલાબની જેમ મહેકાવી શકાય છે.ઘરમાં બધા એક બીજાની હુફ ના ભુખ્યા હોય છે. પરિવાર એ પણ એક યાત્રા છે્ તિર્થ સ્થાનના દર્શને જવું, દેવ દર્શન કરવાં , સત્સંગ કરવો ,એ જ માત્ર યાત્રા નથી . કુટુંબ માં સર્વે સા થે રહે ,સાથે જીવે, એક્બીજા નાં સુખ દુઃખ ના ભગીદાર બની પણ એક યાત્રા છે.પરિવાર એટ્લે પતિ -પત્નિ નો ઘર સંસાર એવું નથી . પરિવાર માં તો માતા-પિતા હોય, ભાઈ-બહેન પણ હોય, દીકરાઓની વહુ ઓ પણ હોય, બધાંજ એક બીજા ની સાથે હળી -મળી ને ,પ્રેમ ને આનંદ થી રહે તેનું નામ છે પરિવાર… પરિવાર માં પોતાના જ સ્વાર્થ નો નહીં , સમગ્ર કુટુંબ ના હિત નો વિચાર કરવાનો હોય છે.એક બીજા માટે ઘસાવવાનું હોય,
એક્બીજા ને આપવાની ભાવના હોય , લેવાની વૃત્તિ ના હોય ..પરિવાર માં સંવાદિતાની સુંગન્ધ હોય,
વિખવાદ ન હોય અને તો જ પરિવાર એક યાત્રાબની શકે છે. મંગલ તીર્થ બની શકે છે..
ટુંક માં જે ઘર આનંદથી ભર્યું ભ્રુર્યું હોય, પત્ની સારા અને હિતકારી વચનો બોલતી હોય,જેનું ધન પ્રભુ કાર્ય
માટે વપરાતું હોય…..
સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો ની મર્યાદા પાળવાનું
અઘ…રું લાગે છે.સહનશીલતા ઓછી થઈ ગઈ છે.. ટુંકા સ્વાર્થ ના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા
લોકો અચકાતા નથી . સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે.
આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે.
દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબ દારી ઓ લેવી નથી ..ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો
ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘર માં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે..ઘર નો વડિલ એ નથી કે જે ઉંમર માં
મોટો હોય પણ એ છે કે
જે ઘર ને સ્વર્ગ બનાવે છે..બધાને એક સાથે રહેતા શીખવે છે.. જેને કોઇ સ્વાર્થ નથી … જે બીજા માટે કૈક
કરવા હમેશા તત્પર રહે….
સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો નિ મર્યાદા પાળવાનું
અઘરું લાગે છે.સહનશીલતા ઓછી થઈ ગઈ છે.. ટુંકા સ્વાર્થ ના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા
લોકો અચકાતા નથી . સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે.
આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે.
દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબ દારી ઓ લેવી નથી ..ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો
ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘર માં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે..ઘર નો વડિલ એ નથી કે જે ઉંમર માં
મોટો હોય પણ એ છે કે
જે ઘર ને સ્વર્ગ બનાવે છે..બધાને એક સાથે રહેતા શીખવે છે.. જેને કોઇ સ્વાર્થ નથી … જે બીજા માટે કૈક
કરી ફિટવા હંમેશા તૈયાર હોય છે.
ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …તે મકાન ઘર ત્યારે જ બને છે , જ્યારે એ
મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણિ નો પ્રવાહ વહેતો રહે! વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમરપણ ની
ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય, . તો જ પરિવાર બની શકે છે.કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે.,
જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…
ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …તે મકાન ઘર ત્યારે જ બને છે , જ્યારે એ
મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણિ નો પ્રવાહ વહેતો રહે! વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમરપણ ની
ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય, . તો જ પરિવાર બની શકે છે.કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે.,
જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…
વપરાતું હોય, બાળકો આજ્ઞા પાલક હોય, જ્યાં અતિથિ નો સત્કાર થતો હોય, વડિલોનો આદર કરાતો હોય ,
અને ઘરના બધાજ સભ્યો હળી મળી ને પ્રભુ ની પ્રાર્થના કરતાં હોય તેનું ગૃહસ્થ જિવન ધન્ય બને અને મંગલ
તીર્થ બની શકે.જ્યાં કલેશ હોય ત્યાં નો પ્રભુ વાસ હોતો નથી.
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઘર ક્યારે મંદિર બને?, સુવાક્યો., સુવિચાર, gujarati suvichar suvakiyo, suvakiyo, suvichar | 2 Comments »
ઘડપણની વ્યાખ્યા શી ?
આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.
પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે.
ઘડપણની વ્યાખ્યા શી?
ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ.
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.
જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.
’પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે.
પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.
છાશ પીવાનું ઘટતું જાય છે અને બિયર પીવાનું વધતું જાય છે.
ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે.
ગાય પાળવાનું ઘટતું જાય છે અને કૂતરા પાળવાનું વધતું જાય છે.
ચાલવાનું ઘટતું જાય છે અને ‘સ્કૂટરવાનું’ વધતું જાય છે.
વિચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.
લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે.
અને મનમેળના માનપાન વધતાં જાય છે.
માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે.
ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે.
લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે.
યુગલ હોય એવા કપ–રકાબીની જગ્યાએ વાંઢો ‘મગ’ આવી જાય છે.
ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ ‘આજે બહાર જમી આવીએ.’
સ્કૂટર નારીમુક્તિનું વાહન બની રહ્યું છે.
જૂની આંખે નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે.
આવી મજા ન માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે.
ઘડપણ મનની અવસ્થા છે.
નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી.
કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે.
બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય
લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીના યુવક–યુવતીઓને ગમે છે.
ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી.
શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે.
શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે.
પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે
જૂની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી.
જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જ
એક મિત્રે કહેલુઃ
‘ટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ !’
હનિમૂન પર જઈ આવ્યા પછી તરત જ છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે.
આવું બધું વાંચીને મોટરાઓએ અકળાવાની જરૂર નથી.
જીંદગીભર કણસતા રહીને પતિ–પત્ની સંસાર વેંઢારે
તેના કરતાં છૂટાં પડી જાય તેમાં કશું ખોટું નથી.
પવન, ઝરણું અને વાદળ તો વહેતાં જ રહેવાના છે.
ટીવીની સિરિયલ જોઈએ, એ જ રીતે પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે.
સરતિ ઈતિ સંસાર
જે સરતો રહે છે તેનું જ નામ સંસાર.
જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત
યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ
વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો
યુવાન માણસ બધા નિયમો (સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ
યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી
યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી
તમારા સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ઘડપણની વ્યાખ્યા શી ?, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a comment »
સુવિચાર
* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે., સુવાક્યો., સુવિચાર, gujarati suvakiya, gujarati suvichar, gujaratikavitaanegazal, gujaratisuvichar, suvichar | 1 Comment »
સુવિચાર
હે ભગવાન !
જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.
શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a comment »
સુવિચાર
(૧)એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે , એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
(૨)સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!
(૩)લાકડાનો અગ્નિ લાકડાને બળે છે , તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!
(૪)આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!
(૫)સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ , કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
(૬)ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નમ્ર બનો પણ નમાલા ના બનો!
(૭)કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
(૮)સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!
(૯)પ્રાર્થના આત્માનો ખોરાક છે! નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
(૧૦)જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!
(૧૧)જીવનનો આધાર વાણી અને પાણી પર છે! ઈચ્છા દુખની માં છે!
(૧૨)ઉપવાસ તૂટે તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!
(૧૩)માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંચું નથી હોતું, માણસ મરે ત્યારે કફનને ખીંચું નથી હોતું!
(૧૪)અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
(૧૫)ચારિત્ર એટલે સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!
(૧૬)સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જ જોઈ શકાય છે!
(૧૭)સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી
નથી!
(૧૮)ક્ષમા આપવી સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
(૧૯)શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!
(૨૦)જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
(૨૧)જીવનન મુખ્ય ચાર સુખ છે:
—–પહેલું સુખ જાતે નર્યા,
—–બીજું સુખ ઘેર દીકરા,
—–ત્રીજું સુખ કોઠીએ જાર,
—–ચોથું સુખ સુલક્ષણા નાર!
(૨૨)દુખના બે પ્રકાર છે:
—–કર્મ અનુસારનું આવી પડતું દુખ અને
—–બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!
(૨૩)જાગતાની સાથે જ મરણનું સ્મરણકરો જીવનનું મહત્વ સમજાશે!
(૨૪)મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે??? ફૂલડાં ડૂબી જતાને પથરા તારી જાય છે!
(૨૫)છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે!
(૨૬)ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન કરતા હોય છે!
(૨૭)તિલક કરતા ત્રેપન ગયા, જપ-માળાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે, એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal, suvakiya, suvichar | 2 Comments »
સુવિચાર
1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં,
પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો.
2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે…
પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!!
3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવીપણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં.,
એમાં સંબંધઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!
4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતેખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.
5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.
6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે
7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન…ત્રણ ”ટ”
પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર …. મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન…
8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.
9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓછે.
10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજયરથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિધને સારથી બનાવિ . સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા પર વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશોતો જીવન સંગ્રામ જીતશો.
11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્ય ની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.
13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.
14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી.તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી,
કોઈને દુઃખ દેવાની તમારીભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.
15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅની સુગંધથી શોભે છે.
16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.
17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી જેમ બીજા માટે વરસી જાઓ,ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.
18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવીફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં, વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે, સુવાક્યો., સુવિચાર | Leave a comment »
સુવિચાર
પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું………
“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને
વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”
માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..
દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છેખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .
માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને
તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.
જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!માટે જ, સતત ગતિશીલ રહો! ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં. ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે. જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે.
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!
જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા કરો .
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, સુવાક્યો., સુવિચાર, suvichar | Leave a comment »
એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું. – શૈલ પાલનપુરી
સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.
દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે.
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે?
સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે. માણસ એકલો પડતો જાય છે. ખુશીમાં સાથે હસે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે. મારું કોણ? એવા પ્રશ્નોના જવાબ મેળવવા જયારે વિચાર કરવો પડે ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે. ખટપટ, કાવાદાવા અને ટાંટિયાખેંચ એ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે. દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ.
સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે? ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને જ છેતરતો હોય છે.
સંબંધોને નેવે મૂકીને કયારેય સુખ મળી શકે નહીં. ઘણા લોકો સંબંધો જાળવવા માટે મહેનત કરતા હોય છે. કેટલાક લોકો સંબંધો માટે પેંતરા પણ કરતા હોય છે. સાચા સંબંધો મેઇન્ટેઇન કરવા મહેનત કરવી પડતી નથી. સાચો સંબંધ ઝરણા જેવો છે. એ વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે. માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય એ દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું જ મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી જ સુખનો સ્વાદ આવે છે.માણસ એકલો પડી જાય તો કયાંક તેનો જ વાંક હોય છે. કોઈને નજીક રાખતા નથી અને પછી કહીએ છીએ કે મારું કોઈ નથી. પહેલાં વિચારો કે તમે કોઈના છો ખરાં? પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.
ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું. - શૈલ પાલનપુરી, સુવાક્યો., સુવિચાર | Leave a comment »
સુવિચાર
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે– જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો,અને પછી અરધી મીંચેલી.
[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !, સુવાક્યો., સુવિચાર, gujarati suvichar, suvichar | 1 Comment »
સુવાક્યો
આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!!
**************************
સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે?
– સ્મૃતિ..!!
**************************
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!!
**************************
સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!!
**************************
ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય એટલે બાર વાગે. કાંટા જેવા બે માણસ ભેગા થાય એટલે ત્રીજાના બાર વાગે..!!
**************************
આપણો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ક્લોકની જેમ ખરે સમયે રણકીને આપણને ચેતવી દે..!!
**************************
મૌન એક અનોખું અલંકાર છે. તે મૂર્ખ માણસના હોઠ પર વધુ શોભી ઊઠે છે..!!
**************************
જેક હરબર્ટ નામના વિદ્વાન કહે છે કે પૃથ્વી પર સર્વપ્રથમ સર્જન આદમથી થયું અને એ જ પૃથ્વીનો અંત આદમના વંશજોએ બનાવેલા એટમ (બોમ્બ)થી થશે..!!
**************************
ફરજ શબ્દ ભારે છેતરામણો છે. એ વસ્તુ એવી છે, જેની આપણે હંમેશાં બીજા પાસે જ અપેક્ષા રાખીએ છીએ..!!
**************************
પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પાસેથી પ્રત્યુત્તરની અપેક્ષા કદી ન રાખશો, નહીંતર એ પ્રાર્થના અને ચીલાચાલુ પત્રવ્યવહાર વચ્ચે કશો જ તફાવત નહીં રહે..!!
**************************
કોઈને પોતાનો ઘનિષ્ઠ મિત્ર બનાવતાં પહેલાં એના જાની દુશ્મનો કોણ કોણ છે એ પણ જાણી લેવું એટલું જ જરૂરી છે..!!
**************************
આપણી પાસે કંઈ ન હોય કરુણતા નથી, પરંતુ આપણું કોઈ ન હોય એ જ સૌથી મોટી કરુણતા કહેવાય..!!
**************************
આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન..!!
**************************
‘નાની નાની બાબતમાં અકળાઈ જવું નહીં…’ એવી સલાહ વારંવાર આપતા ‘ડાહ્યા’ માણસોને એકાદ વાર મચ્છરવાળા ઓરડામાં સુવડાવવા જોઈએ..!!
**************************
યુદ્ધની ઉત્તેજના અને સનસનાટી માણવી હોય તો મોરચે જવાની જરૂર નથી. એના માટે બે રસ્તા છે. એક, નાની નૌકામાં સમુદ્રપ્રવાસ કરો અને બીજો, ઉતાવળે લગ્ન કરી લો..!!
**************************
એક સ્પેનિશ કહેવત અનુસાર સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે..!!
**************************
તમને જો દુશ્મન જોઈતા હોય તો મિત્રોથી ચઢિયાતા બનજો… મિત્ર જોઈતા હોય તો મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો..!!
**************************
સ્ત્રી એના જીવનકાળ દરમિયાન પુરુષને માત્ર બે વાર જ સમજી નથી શકતી. એક, લગ્ન પહેલાં અને બે, લગ્ન પછી..!!
**************************
લીલુંછમ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે. જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું પણ હોય..!!
**************************
આ જમાનામાં ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. મળ્યા પછી જાળવવું મુશ્કેલ છે. જાળવ્યા પછી તેને યોગ્ય રીતે વાપરવું તો સૌથી વધુ મુશ્કેલ છે..!!
**************************
બે સ્ત્રી વચ્ચે સમાધાન કરાવતાં જેટલો સમય લાગે એના કરતાં ઓછા સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સમસ્ત કશ્મીરની સંધિ કરાવી શકાય..!!
**************************
ઘણા બધા રોગ ઉપરવાળો ઈશ્વર મટાડી દે છે. ગુડ, પણ આમાં પ્રોબ્લેમ એ છે કે એની બધી ફી નીચેવાળો ડોક્ટર વસૂલ કરી જાય છે..!!
**************************
રોજને રોજ આપણે કંઈને કંઈ નવું શીખીએ છીએ. ઘણી વાર તો ગઈકાલે આપણે જે શીખેલા તે ખોટું હતું તે વાત આજે શીખીએ છીએ..!!
**************************
બીજા કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, કોઈનાય હક ડુબાડ્યા વિના તમે જે કંઈ ઝંખો એ પ્રાપ્ત કરવાની શક્તિ કેળવી લો તેનું નામ સફળતા..!!
**************************
ઘરની ઘેલી સારી, પણ બહારની ડાહી માઠી..!!
**************************
૧૮મી સદીના વિખ્યાત ફિલોસોફર મેમ-ડી-સ્ટેઈલ કહેતા કે…
જેમ જેમ મને માણસ નામના પ્રાણીનો વધુ પરિચય થતો જાય છે તેમ તેમ મને હવે કૂતરાં-બિલાડી જેવાં પ્રાણી વધુ ગમવા માંડ્યા છે..!!
**************************
રૂમાલ આંસુ લૂછે છે, પરંતુ ખરો પ્રેમ પેલાં આંસુનું કારણ ભૂંસે છે..!!
**************************
સ્વજનનું સ્મરણ એ મિલનનું જ એક સ્વરૂપ છે..!!
**************************
કેટલીક વ્યક્તિને તમે રૂબરૂ મળો તો બહુ રુક્ષ વ્યવહાર કરે, પરંતુ આ જ વ્યક્તિને ફોન પર વાત કરવાની અચ્છી ફાવટ હોય છે. ફોન પર એ એવી મીઠાશથી વાત કરે કે ફોનને બીજે છેડે હો તોય તમને ડાયાબિટીસ થઈ જાય… આવી વ્યક્તિ મોટે ભાગે નેતા, રાજદૂત કે પીઆરઓ જ હોય છે..!!
**************************
શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બંને વાંચે છે..!!
**************************
પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છેઃ બંને કમાવા મુશ્કેલ છે, પરંતુ બંનેને ગુમાવવાનું બહુ સહેલું છે..!!
**************************
વધુપડતી સારી ટેવો પાડવા કરતાં તો ઓછામાં ઓછી ટેવો પાડવામાં જ જીવનનું શાણપણ સમાયું છે..!!
**************************
વૃક્ષ પરનો માળો અને માનવીના મૌન વચ્ચે એક ગજબનું સામ્ય છે. માળો પક્ષીને આશ્રય આપે અને મૌન તમારી વાણીને..!!
**************************
માના ખોળામાં સૂતેલું બાળક હસે ત્યારે અચૂક માનજો કે નવી પરીઓ જન્મે છે અને બાળક રડે ત્યારે માનજો કે પેલી પરીઓ અચાનક અદ્રશ્ય થઈ ગઈ..!!
**************************
મૈત્રીમાં દુભાયેલો દોસ્ત ક્યારેક આપણો જ દાનો દુશ્મન બની જાય છે!
તાજા કલમઃ આ જ વાત ચૂંટણી વખતે ટિકિટ ન મળી હોય એ ઉમેદવાર એના પક્ષ માટે પુરવાર કરે છે..!!
**************************
રાલ્ફ વાલ્ડો ઈમરસન નામના વિદ્વાન કહે છે:
ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મિનિટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો..!!
**************************
BY -CHITRALEKHA MAGAZINE
http://www.gujarati.nu/profiles/blogs/by-chitralekha-magazine
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a comment »
આજે આપણે શું કરશું ?
આજે આપણે શું કરશું ?
તારીખ ૧ – આજે બધાની સાથે નમ્રતાથી વાત કરીશ અને નમ્રતાથી જ વ્યહાર કરીશ.
તારીખ ૨ – આજની બધી વાતો ઈશ્વરની આજ્ઞા સમજી સેવા કરીશ.
તારીખ ૩ – આજે જેઓ પણ મારી સામે આવશે તેમને સંતુષ્ટ કરીશ.
તારીખ ૪ – આજે કોઈની સાથે મધુર વ્યવહાર કરીશ.
તારીખ ૫ – આજે કોઈની સાથે કોઈની પણ નિંદા ના કરું
તારીખ ૬ – આજે જેઓ જે પણ કામ કરવાનું કહેશે તે કરવાની કોશિશ કરીશ.
તારીખ ૭ – આજે કોઈની સાથે દ્વેત કે દ્વેષ કરીશ નહી.
તારીખ ૮ – આજે જે પણ થશે તેને ઈશ્વરની કૃપા જ સમજીશ.
તારીખ ૯ – આજે એકપણ ખોટો શબ્દ બોલીશ નહીં.
તારીખ ૧૦ – આજે દરેક ક્ષણે ભગવાનનું નામ જપીશ.
તારીખ ૧૧ – આજે બધાની સાથે પ્રેમપૂર્વક વર્તન કરીશ.
તારીખ ૧૨ – આજે ભવિષ્ય માટે કોઈ ચિંતા કરીશ નહીં.
તારીખ ૧૩ – આજે આખો દિવસ ખુશીમાં વિતાવીશ.
તારીખ ૧૪ – આજે આખો દિવસ ભગવાનનું સ્મરણ કરીશ.
તારીખ ૧૫ – આજે આખો દિવસ કોઇનો અવગુણ જોઈશ નહી.
તારીખ ૧૬ – આજે કોઈપણ ચીડવશે તો ચિડાઈશ નહી.
તારીખ ૧૭ – આજે આખો દિવસ સત્ય બોલીશ.
તારીખ ૧૮ – આજે આખો દિવસ શુદ્ધ અને પવિત્ર વિચાર કરીશ.
તારીખ ૧૯ – આજે આખો દિવસ ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ.
તારીખ ૨૦ – આજે આખો દિવસ એ વિચાર કરીશ સમગ્ર દુનિયા ફાની છે.
તારીખ ૨૧ – આજે આખો દિવસ મોત નો વિચાર રાખીશ,કે મોત ગમે ત્યારે આવી શકે છે.
તારીખ ૨૨ – આજે મારી જાતને વધુ સુધારવાની કોશિશ કરીશ.
તારીખ ૨૩ – આજે લોભ અને લાલચના વિચાર મનમાં આવવા દઈશ નહી.
તારીખ ૨૪ – આજે કામ ક્રોધ ને નજીક નહીં આવવા દઈશ.
તારીખ ૨૫ – આજે દિલ માં એ વિચાર રાખીશ કે હું કોઇ નથી.
તારીખ ૨૬ – આજે ઈશ્વરની કૃપાનો મનમાં ને મનમાં આભાર માનીશ.
તારીખ ૨૭ – આજે દિલમાં એ વિચારીશ કે હું સમરસ છું
તારીખ ૨૮ – આજે મારા અવગુણોને યાદ કરી ને તોબા-તોબા કરીશ.
તારીખ ૨૯ – આજે દિલમાં એ વિચાર કરીશ કે પ્રભુ બધામાં સમાયો છે.
તારીખ ૩૦ – આજે દિલમાં એ વિચારીશ કે એક એક પળ ભગવાનની અમાનત છે.
તારીખ ૩૧ – આજે હું વધુમાં વધુ મૌન રાખવાની કોશિશ કરીશ.
http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:756842
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આજે આપણે શું કરશું ?, આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a comment »
વાગોળવા જેવા વિચાર – સંકલિત
[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.
[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.
[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.
[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.
[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.
[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.
[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.
[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.
[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.
[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.
[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.
[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી. [14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.
[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.
[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.
[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.
[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.
[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.
[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.
[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.
[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.
[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.
[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.
[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.
[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.
[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.
[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.
[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.
[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.
[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.
[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે
[સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.]
http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:823345
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વાગોળવા જેવા વિચાર – સંકલિત, સુવાક્યો., સુવિચાર, suvakiya, suvichar | Leave a comment »
સુવિચારોનું સરોવર – સંકલિત
સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
–મધર ટેરેસા
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર
તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ
હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
–ચાલટેન હેસ્ટન
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
–વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
–જોન ફ્લેયર
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
–શંકરાચાર્ય
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
–શ્રીમદ્ રાજચંદ્ર
ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
–કવિ કાલિદાસ
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
–આરિફશા
એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.
–શરત્ચંદ્ર
સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
–કવિ કલાપી
એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.
–લોવેલ
સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.
–ચાણક્ય
આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.
–અર્લ વિલ્સન
જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.
–ખલિલ જિબ્રાન
જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.
–લૂઈ જિન્સબર્ગ
આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.
–જનરલ એબ્રગોન
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.
–સરદાર પટેલ
જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.
–જેરેમી ટેસર
http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:823104?xg_source=activity
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવિચાર, સુવિચારોનું સરોવર – સંકલિત, gujaratikavitaanegazal, suvakiya, suvichar | Leave a comment »
વીણેલા મોતી
“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે
શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને
વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”
…
દરિયો ભલે ને માને કે
પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું
ઉધાર છે.
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે ખુશનસીબ એ છે
જે પોતાના નસીબથી ખુશ છે .
તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે
અનેતમારી જીભ સારી હશે તો
દુનિયાને તમે ગમશો.
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે
હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે
Filed under: વીણેલા મોતી, સુવાક્યો., સુવિચાર | Tagged: "શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, વીણેલા મોતી, સુવાક્યો., સુવિચાર | Leave a comment »
સુવિચાર
* બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું !
* મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય.
* વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરીને એ માનવીને મિત્રાચારી બનાવે છે.
* દષ્ટિ એ આપણી કાયાની ખૂબ જ તીવ્ર ઈન્દ્રિય હોવા છતાં, તે ડહાપણને ઓળખી શકતી નથી.
* વાગશક્તિ કોઈ પણ માણસને સત્ય જ્ઞાન વગર બોલવાની ફરજ પાડતી નથી પણ વાગદેવી કહે છે કે : મારી પાસે આવતાં પહેલાં સત્યની પ્રાપ્તિ કરો અને પછી મારી આરાધના કરો.
* સદગુણ શીખવી શકાતો નથી. એને એકત્રિત કરી શકાય. એકત્રિત કરવું એટલે પોતાની સઘળી શક્તિ એકઠી કરવી, આત્મનિમગ્ન થવું.
*માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!
*આળસુ માણસને જો સૌથી ઝડપથી કંઇ સાંપડતું હોય તો તે છે થાક…
*જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.
*આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!
* તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાના મિત્રને કહ્યું : ‘હું હવે પછી એવી રીતે જીવવાની વધુ કાળજી લઈશ કે તેઓના કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujarati suvakya, gujarati suvichar | 2 Comments »
સુવિચાર
[1]
અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે.
– નગીનદાસ સંઘવી
[2]
શિક્ષકો જો શાંત ચિત્તે વિચારશે, સૂક્ષ્મ વિવેક કરશે તો જણાશે કે દસમાંથી નવ બાબતો એવી છે, જેમાં કાં બાળકને સમજવામાં નથી આવ્યું, કાં તેને પૂરતી સહાનુભૂતિ નથી મળી, કાં તેને વ્યક્ત થવાની તક નથી મળી, કાં તેને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું, કાં તેની સર્જનાત્મકતાને અવકાશ નથી મળ્યો, તેથી તેનું વર્તન ન સમજાય તેવું, અશિસ્તવાળું દેખાય છે. કદાચ તે ભૂલ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચવા પણ માંગતું હોય
– મનસુખ સલ્લા
[3]
આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુરૂપે માતા જગતજનની આપણું સતત પોષણ કરી રહી છે, છતાં તેનાં રૂપનાં દર્શન કરવાને બદલે તેના તરફ આપણું દુર્લક્ષ છે. જરૂર છે આપણા ‘મન આડેનો પડદો’ હટાવવાની !
– હરીન્દ્ર દવે
[4]
શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે.
– શેક્સપિયર
[5]
હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને કદી ભૂલશો નહિ. જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે.
– પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)
[6]
ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે.
– સી.બી. જોન્સન
[7]
કેટલાક કહે છે કે ‘ગુરુ શા માટે જોઈએ ? તેના લીધે બંધન વધે છે. આપણે આપણા વિચારોથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી.’ પરંતુ આ કહેવાવાળા પણ બીજાઓના ગુરુ જ થાય છે ને !
– શ્રીમાતાજી
[8]
સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદ સમાન જીવનને ઊંચે ચઢાવનાર કોઈ બીજો શીખવા જેવો વિષય જ નથી. એનાથી જ મારા જીવનને શાંતિ વળી છે. એનાથી તો મને મૃત્યુ વખતે પણ શાંતિ મળશે.
– શૉપનહૉવર
[9]
પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે.
– ગાંધીજી
[10]
ટ્રેન ચાલે છે, બહારનાં વૃક્ષો સ્થિર છે, પણ આભાસ એ થાય છે કે ટ્રેન સ્થિર છે અને વૃક્ષો ચાલી રહ્યાં છે. કર્મ (ટ્રેન) અકર્મ લાગે છે, અને અકર્મ (વૃક્ષો) કર્મ લાગે છે ! શ્રીકૃષ્ણ કહે છે કે કર્મમાં જે અકર્મને જોઈ શકે છે, અને અકર્મમાં જે કર્મને જોઈ શકે છે એ યોગી છે. સ્થિતિ અને ગતિ બંનેને સમજવું જ્ઞાનીનું કામ છે.
– ચંદ્રકાન્ત બક્ષી.
[11]
હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા હોશિયાર સ્ત્રી જ જોઈએ. – બર્નાર્ડ શૉ
[12]
માણસના ખરાબ સ્વભાવના સૌથી વધુ કાંટા કુટુંબીજનોને અને મિત્રવર્તુળને વાગતા હોય છે.
– ભૂપત વડોદરિયા.
[13]
સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ. માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને કાયદાઓની જરૂર ઓછી પડશે.
– જયવતી કાજી
[14]
એક વિદેશીએ પૂછેલા સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો ઉત્તર : તમારે ત્યાં જ્યારે સાંજ પડે છે, ત્યારે હોટલોમાં દીવા થાય છે. અને અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે મંદિરોમાં દીવા થાય છે. તમારે ત્યાં સાંજ પડે છે ત્યારે પતિ-પત્ની બધાં કુટુંબનાં માણસો તૈયાર થઈને હોટલોમાં જાય છે. અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે કુટુંબનાં માણસો સાથે બેસીને પ્રભુપ્રાર્થના કરે છે, રામનામ જપે છે.
– રવીન્દ્રનાથ ટાગોર
[15]
કોઈ માણસમાં એકાદ વાર કોઈ દોષ દેખાય તો એવો કાયમી નિર્ણય ન કરી દેવો કે, ‘આ માણસ તો ખરાબ છે.’ સંભવ છે કે, દોષ જોવામાં તમારો જ દોષ હોય અથવા કોઈ વિશિષ્ટ સંજોગોનો ભોગ બનીને અનિચ્છા હોવા છતાં પણ તેને દોષના ભાગીદાર બનવાની ફરજ પડી હોય.
– સંકલિત
[16]
જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે.
– ભગવતીચરણ વર્મા
[17]
સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું.
– મહાભારત
[18]
ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન.
– મોહમ્મદ માંકડ
[19]
મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે
– કાંતિલાલ કાલાણી
[20] સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ?
– રત્નસુંદરવિજયજી
Filed under: આધ્યાતમિક, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a comment »
સુવિચાર
ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.
જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.
માન હો કે અપમાન,માને સમાન તે મહાન
જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો.
ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે.
મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય !
તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં.
જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ
જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ
જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ
જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ
-આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | 1 Comment »
સુવિચાર
–મોરારજીભાઈ દેસાઈ
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
… –ચાણક્ય
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, સુવિચાર, gujarat, gujarati, gujarati website, gujaratiblog | Leave a comment »
વજન વગર ની વાત નકામી-unknown
ભજન વગર ની રાત નકામી
સંગઠન વગર ની નાત નકામી
માનવતા વગર ની જાત નકામી
કાપે નહીં તેવી ધાર નકામી
કહ્યું નો માને એ નાર નકામી
સુધારે નહીં તેવી માર નકામી
શુકન વગર ની હોડી નકામી
બેસી જાય તેવી ઘોડી નકામી
બ્રેક વગર ની કાર નકામી
પૂંજી સાવ અધૂરી નકામી
સમજણ સાવ થોડી નકામી
બોલ્યો ફરે એ બંદો નકામો
કઈ ઉપાડે નહીં તે કાંધો નકામો
છોલે નહીં તે રનધો નકામો
નફા વગર નો ધંધો નકામો
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, વજન વગર ની વાત નકામી, સુવિચાર, gujarat, gujarati, gujaratiblog | 1 Comment »
સુવિચાર-બરાબર સમજી રાખો :
બરાબર સમજી રાખો :
અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી,
પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું જીવન,
અને સાચી ભુખ વિનાનું ભોજન,
… આ ત્રણેય ભલે થોડો આનંદ આપે………………..
પણ સરવાળે તે હાનિકર્તા છે
Filed under: સુવિચાર | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, બરાબર સમજી રાખો :, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujaratibhajan, gujaratiblog | Leave a comment »
આયુર્વેદના નુસખા
૧) આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ
(૨) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા,
ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ
(૩) ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ રોગીનું,
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું
(૪) બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન,
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન
(૫) રોટલા,કઠોળને ભાજી, ખાનારની તબીઅત તાજી
મૂળો, મોગરી,ગાજર, બોર રાતે ખાય તે રહે ન રાજી
(૬) ફણગાવેલા કઠોળ જે ખાય, લાંબો, પોહળો, તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય
(૭) મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર
(૮) ખાંડ,મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય,
નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય
(૯) કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી
(૧૦) હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ
(૧૧) લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો
(૧૨) ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,
ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય
(૧૩) મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું માંદુ
(૧૪) આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ
લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પુરા વીસ
(૧૫) કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી,
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી
(૧૬) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ
ન હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ
ગુજરાતીમાં Kiran TulsidasThacker એ આ માહિતી મૂકી હતી
Filed under: આયુર્વેદના નુસખા | Tagged: આયુર્વેદના નુસખા, ગુજરાત, સુવિચાર, gujarat | Leave a comment »
માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત
માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત
..જીવનનો પંથ કેવળ પુષ્પાચ્છાદિત જ નથી, એમાં કાંટા પણ ઘણા છે. જીવન આપણને અનેક તણાવોની ભેટ આપતું હોય છે – ચાહે પછી તે ઑફિસના હોય, કામના હોય, કુટુંબના હોય, વ્યક્તિગત જીવનના હોય કે સંબંધોના.
આપણી આસપાસ રોજ-બ-રોજના જીવનમાં અનેક એવી વ્યક્તિઓ મળતી હોય છે જે તણાવનું આપણું બટન દબાવી દે છે અને આપણા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં આપણી માનસિક શાંતિને સંપૂર્ણપણે ખોરવી કાઢે છે. દુનિયા જાણે કે આવા જ લોકોથી ભરેલી છે. એ આપણને ચીઢવતા રહે છે. તેઓ આપણો વિરોધ કરતા હોય છે, આપણી નસ દબાવતા રહે છે. પ્રસંગો, પરિસ્થિતિઓ અને સંજોગો આપણા માટે ક્ષણે ક્ષણે પ્રતિકૂળતા પેદા કરતા રહે છે. જગતમાં જાણે કે આપણને ગાંડા કરી મૂકવા માટે એક યોજનાબદ્ધ કાવતરું ઘડવામાં આવેલું છે. એનો વિચાર કરતા માત્રમાં જ આપણી અંદર એક પ્રકારનો ખળભળાટ પેદા થઈ જાય પરિણામે આપણી અંદર ભારે ગુસ્સો પેદા થાય છે. અપૂરતી સામાજિક તાલીમને લીધે આમાંનો થોડોઘણો ગુસ્સો આપણે તદ્દન અસ્વસ્થ રીતે વ્યક્ત કરી નાખીએ છીએ, બાકીનો ઘણો આપણા હૃદયમાં ભરી રાખીએ છીએ. હાનિ આપણને બન્ને રીતે થાય છે, અયોગ્ય રીતે વ્યક્ત કરેલો ગુસ્સો સામેની વ્યક્તિમાં કટુતા પેદા કરે છે અને દબાવી રાખેલો ગુસ્સો આપણી અંદર વૈમનસ્ય, અંટસ અને શારીરિક રોગ પેદા કરે છે. સંશોધકોના મત મુજબ ગુસ્સો તદ્દન સ્વાભાવિક, તંદુરસ્ત અને ઉપયોગી લાગણી છે. પણ આપણે એને યોગ્ય રીતે નાથીએ નહીં તો એ આપણા પોતાના માટે અને આપણી આસપાસના લોકો માટે ભારે નુકશાનનું કામ કરે છે. આપણે આપણી અશાંતિ માટે લોકો અને પરિસ્થિતિને દોષ દેતા રહીએ છીએ.
પરંતુ સ્વસ્થ ચિત્તે વિચાર કરતાં આપણને જણાશે કે આપણી સમસ્યાનું મૂળ આપણી આસપાસના લોકો કે સંજોગોમાં નહીં, પણ આપણી અંદર જ છે; આપણા મનમાં છે, આપણે લોકો કે પરિસ્થિતિ પ્રત્યે આપણી પ્રતિક્રિયા ખોટી રીતે વ્યકત કરીએ છીએ. લોકો ચાલાક છે, આપણને એમની ધારેલી રીતે રમાડીને આપણી અંદર ચિંતા, ગુસ્સો અંટસ, અજંપો, વેરઝેર પેદા કરીને જીતી જાય છે; આપણને પરાધીન અને લાચાર સાબિત કરવામાં સફળ બની જાય છે. આપણું મન વાસ્તવમાં લાચાર છે – એ રીતે આપણે એને કેળવેલું છે. આપણે જરૂર છે શાંતિ જાળવવાની, પરિસ્થિતિ અને લોકોની રીતભાતથી વિચલિત ન થવાની, અને પરિસ્થિતિને પ્રતિક્રિયા (reaction) નહીં, પણ યોગ્ય પ્રતિભાવ (response) આપવાની.
જરૂરિયાત આ છે – પ્રતિક્રિયા અને પ્રતિભાવ વચ્ચે તફાવત સમજવાની. આપણે આપણી ચિંતાઓ અને ગુસ્સા સાથે અનુકૂલન કરવાની અને એમનો સકારાત્મક રીતે ઉપયોગ કરતા શીખવાની જરૂર છે. અતાર્કિક, આવેગી મનને ફાવે તેમ વર્તવાની છૂટ ન આપી દેશો. શાંત અને તર્કબદ્ધ મનથી જ યોગ્ય નિર્ણય લઈ શકાશે. નાદુરસ્ત લાગણીઓ પર પ્રભુત્વ મેળવીને માનસિક શાંતિ જાળવવા માટે આ રહ્યા સરળ ઉપાયો :
[1] હળવાશ કેળવો :
દીર્ધશ્વસન, સરળ સ્નાયુબદ્ધ ખેંચાણ ની હળવી કસરતો, શવાસન, ધ્યાન અને ક્રમિક શિથિલીકરણ ની હળવાશની વિધવિધ પદ્ધતિઓ શીખી-હસ્તગત કરી લઈને મનનો તણાવ હળવો કરી શકાય છે. ઉશ્કેરાટને નાથી શકાય છે અને મનને શાંત પાડી શકાય છે. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે શરીરના સ્નાયુઓને હળવા બનાવશો તો મન આપોઆપ શાંત બની જશે.
[2] તમારી વિચારવાની ઢબ બદલો :
આપણે ગુસ્સામાં કે ઉશ્કેરાટમાં હોઈએ છીએ ત્યારે આપણી વિચાર-પ્રક્રિયા પર આપણો કાબૂ સંપૂર્ણપણે જતો રહે છે, આપણો વિવેક જતો રહે છે અને આપણે વધારે ગૂંચવાડામાં પડી જઈએ છીએ અથવા નાની વાતને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. ગુસ્સો ભલે ઉકળતો હોય પણ થોડા ધીરા પડવાથી સમસ્યામાંથી માર્ગ આપોઆપ મળી આવશે. દુનિયા કંઈ તમને અત્યારે ને અત્યારે હરાવવા માટે પાછળ પડી ગઈ નથી, તમે તમારા મનની ચાવી એના હાથમાં સોંપી દીધી છે. પોતાની લાગણીઓ અને વિચારોનું નિયંત્રણ પોતાના હાથમાં રાખો. વિચારોને અતાર્કિક, નિરંકુશ ન બનવા દો; તર્કબદ્ધ જ રહેવા દો.
[3] સંવાદ જાળવી રાખો :
ગુસ્સો કે રીસ ચઢે ત્યારે સામાન્ય રીતે આપણે સામી વ્યક્તિ સાથે બોલવાનું બંધ કરી દઈએ છીએ. જેનાથી સંવાદનો સેતુ તૂટી જાય છે. થોડી વાર ઊંડા શ્વાસ અંદર લો. મનને શાંત થવાની તક આપો. ત્યાર પછી સામેની વ્યક્તિને તદ્દન સ્વસ્થ રીતે તમારી લાગણી વ્યક્ત કરી દો. લાગણી વ્યક્ત કરતી વખતે પરસ્પર કડવાશ પેદા ન થાય એનો સતત સભાનતાથી ખ્યાલ રાખો. જે પ્રસંગને કારણે માઠી લાગણી પેદા થાય છે તેની બારીક વિગતોની પરસ્પર વાતચીત કરવાનો ફાયદો નથી પણ એ પ્રસંગને કારણે પેદા થયેલી લાગણી યોગ્ય શબ્દમાં વ્યકત થાય એ જરૂરી છે. રજૂઆત પૂરી થયા પછી મન શાંત, સ્વસ્થ બની ગયું છે એની ખાતરી કરી લો. સામેની વ્યક્તિને પણ બોલવાની તક આપવાનું ચૂકશો નહીં.
[4] ગુસ્સો પેદા કરનાર વાતાવરણથી દૂર થઈ જાઓ :
જે જગ્યાએ/પરિસ્થિતિમાં ગુસ્સો પેદા થયો હોય એનાથી તમારી જાતને અળગી કરી દો. ચાલવા નીકળી પડો. બહાર જમવા જતા રહો. બાથરૂમમાં પુરાઈને 10-15 મિનિટ સરસ મજાનું સ્નાન કરી લો. ગુસ્સાને તરત વ્યક્ત કરવાની તાલાવેલી શાંત પાડી દો અને પછીના અડધોએક કલાક એવી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાઓ જે દરમિયાન તમારા મનને શાંત થઈ જવાનો મોકો મળી આવે.
[5] તમારું મનપસંદ સંગીત સાંભળો :
જેને સાંભળવાથી તમે હળવા બની જાઓ અને તમારા તણાવ/ગુસ્સાને ભૂલી જાઓ એવું સંગીત કે એવાં ગીતો સાંભળવા માંડો. તમારી રુચિનું સંગીત ખોળી કાઢો; પછી ભલે તે શાંત, હળવું, શાસ્ત્રીય હોય કે ધાંધલિયું, ઝડપી, શરીરને નચાવનારું હોય. શરત એટલી જ કે એને સાંભળ્યા પછી તમારું મન શાંત પડી જવું જોઈએ.
[6] દિવાસ્વપ્નમાં રાચો :
આંખો બંધ કરો. હવે તમારા મન:ચક્ષુ સમક્ષ એક એવા સુંદર સ્થાનનું ચિત્ર જીવંત કરો જ્યાં તમને આનંદ અને સુખની અનુભૂતિ થાય. એ સ્થાનની બારીકમાં બારીક વિગતને મન સમક્ષ પ્રત્યક્ષ કરો. ત્યાંનો સ્પર્શ, ત્યાંની સુંદરતા, વાતાવરણની અદ્દભુત સુગંધ, ત્યાં હોવાની અનુભૂતિથી તમને કેટલો રોમાંચ થઈ રહ્યો છે, વગેરે. તમે આ ક્ષણે એ સ્થાનમાં જ છો એવું તમારા સમગ્ર અસ્તિત્વથી અનુભવો-માણો. જ્યારે જગતની વાસ્તવિકતાથી કંટાળો ત્યારે આવું મન:ચિત્રણ તમારી લાગણીઓને બદલી નાખવામાં ઉપયોગી બનશે.
[7] અણગમતી વ્યક્તિથી મોં ન ફેરવો :
આપણા મનની ખાસિયત એવી છે કે અણગમતી વ્યક્તિ કે પરિસ્થિતિથી રીસપૂર્વક દૂર થઈ ગયા પછી પણ મન એનો ને એનો જ વિચાર કર્યા કરશે અને કડવી વાતને વીતેલી ક્ષણોમાંથી ખેંચી લાવીને તમારા વર્તમાનને દૂષિત કરશે. એના કરતાં માનસિક શાંતિ જાળવી રાખીને એ વ્યક્તિ પાસે જ રહો. તમારું અજાગ્રત માનસ ઘણું શક્તિશાળી છે, નકારાત્મક લાગણીને બદલે જીવનપોષક ભાવ પેદા કરવાનો પડકાર એને આપશો તો એ ચોક્કસ જ ઝીલી લેશે. નકારાત્મક વિચારો અને લાગણીઓની એકની એક ઘરેડમાંથી બહાર નીકળવાની એને તક આપો. અવારનવાર આમ કરવાથી આગળ જતાં મન એ વ્યક્તિની ઉપસ્થિતિ કે તેના ઉલ્લેખથી પણ અશાંત નહીં બને, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને વ્યક્તિને તમે સ્વસ્થતાપૂર્વક જીરવી લેતાં શીખી જશો. તદ્દન પ્રતિકૂળ અને વિરોધી વ્યક્તિત્વ ધરાવતા પતિ-પત્ની એકબીજાને સહી લઈને આખું જીવન વિતાવી દે છે તે આ જ કારણે ને ?
[8] અન્યનો સ્વીકાર કરો :
અન્ય વ્યક્તિમાં વાંધાવચકાં કાઢીને એનો પ્રતિકાર કરતા રહેશો તો તમારા મનમાં અપાર આંતરિક સંઘર્ષ પેદા થશે. આવો સંઘર્ષ ભય, અકારણ સ્પર્ધા, તુલના, હતાશા અને ચિંતામાં પરિણમશે. એને બદલે સામેની વ્યક્તિ જેવી છે તેવી એનો સ્વીકાર કરો. એના ગુણદોષ ન જુઓ. દરેક સાથે આત્મીયતા કેળવો. નાના-નાના મતભેદો પર તમારા સંબંધની ઈમારતને ઊભી ન થવા દો. બન્નેના સમાન રસ-રુચિની ચર્ચા કરો. એને તમારા પારસ્પરિક સંબંધનો પાયો બનવા દો.
[9] સહવાસ કેળવો :
એકલતાથી ચિંતા અને તણાવ વધે છે. એને બદલે મનગમતી વ્યક્તિઓનો સંગાથ કેળવો. મિત્રો અને કુટુંબીજનો સાથે યાંત્રિકતાથી ન જીવો. સહવાસની પ્રત્યેક ક્ષણને આનંદ પ્રસન્નતાથી ભરી દો. તમારા ખાસ હોય તેમને તમારો પુરતો સમય, તમારી શક્તિ અને તમારું ધ્યાન આપો.
[10] ખાવા-પીવા પર ધ્યાન આપો :
તાજાં અને ઋતુ-ઋતુનાં ફળો ખાઓ. કચુંબર અને શાકભાજી પર તમારી પસંદગી ઊતારો. આખું ધાન્ય ખાઓ. આ બધાંમાં રહેલાં ખાસ ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો શરીરમાં તણાવ અને રોગ સાથે સંકળાયેલા પ્રાણવાયુના મુક્ત અણુઓથી આપણું રક્ષણ કરે છે. થાકેલા મન અને શરીરને આરામ આપીને એ પુન: શક્તિવાન બનાવે છે. દરરોજ ઓછામાં ઓછું 8 પ્યાલા જેટલું પાણી પીવાનું રાખો.
કોઈ ઉપાય કામ ન કરે તો કૂતરું પાળો, એને તમારો ચહેરો ચાટવા દો. એનાથી મોટો મનોચિકિત્સક બીજો કોઈ નથી. યાદ રાખો કે શાંત રહેશો તો તમારા જેટલું ડાહ્યું કોઈ નથી અને ગુસ્સો કરશો તો તમારી મૂર્ખતા સાથે કોઈ સ્પર્ધા નહીં કરી શકે
Filed under: માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત | Tagged: માનસિક શાંતિ જાળવવા શું કરશો ? – ડૉ. કિરણ શીંગ્લોત, સુવિચાર, gujarat, gujarati, gujarati net | Leave a comment »
સ્ંકલીત જ્ઞાન બોઘ – જેકસન બ્રાઉન
જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો –
* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
*આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* મહેણું ક્યારેય ન મારો.
* એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.
* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
* દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
* ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો.
* પત્તા રમીને સમય વેડફો નહીં.
* રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
* દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરશો.
* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
* બચત કરવાની શિસ્ત પાળો.
* સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.
* રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.
* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.
* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
* ધરમાં એક સારો જોડનીકોશ વસાવો.
* વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
* બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.
* મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.
* ગાડી સસ્તી જ વાપરવી.
* ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.
* મત તો આપવો જ.
* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો Tags:
Filed under: જયકાંત જાની (USA ), જેકસન બ્રાઉન | Tagged: આધ્યાતમિક, જેકસન બ્રાઉન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, સ્ંકલીત જ્ઞાન બોઘ - જેકસન બ્રાઉન, gujarat, gujarati net, gujaratibhajan, gujaratiblog | Leave a comment »
ખાલી ખાલી જનમવાનુ ને ખાલી ખાલી મરવાનુ
ખાલી ખાલી જનમવાનુ
ને ખાલી ખાલી મરવાનુ
સારા ન્રરસા કરમ કરીને
ભવનુ ભાતુ ભરવાનુ
ખાલી ખાલી ભણવાનુ
ને ખાલી ખાલી રળવાનુ
જીવતર જેવુ જીવતર ભુલી
ને પૈસા પાછળ દોડવાનુ
ખાલી ખાલી પૈણવાનુ
ને ખાલી ખાલી જણવાનુ
કુવારાપણા ની સ્વતત્રા ગુમાવીને
પરતત્ર થૈ ને જીવવાનુ
ખાલી ખાલી હસવાનુ
ને ખાલી ખાલી રડવાનુ
વગર વાંકે વગર ગુનાએ
આપણે શુળીએ ચડવાનુ
ખાલી ખાલી જીવવાનુ
ને ખાલી ખાલી મરવાનુ
લખચોરાસી ફેરે પાછુ
જીવ ને ખોળીયુ ઘરવાનુ
ખાલી ખાલી હરિ ને ભજવાનુ
ને ખાલી ખાલી કગરવાનુ
એના શ્વાસે જીવવાનુ
શ્વાસ ખુટે ત્યારે મરવાનુ
-જયકાંત જાની (USA)
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: આધ્યાતમિક, ખાલી ખાલી -જયકાંત જાની (USA), ખાલી ખાલી જનમવાનુ ને ખાલી ખાલી મરવાનુ, ગુજરાત, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), સુવિચાર, bhajan, gujarat, gujarati git, gujarati kavita, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | 1 Comment »
..વેસ્ટન વિચાર શ્રેણી
અદેખાઇથી તમારી ઊર્જા શક્તિ મા દેખીતો વઘારો થાય છે અને અપેક્ષા અને આંકાક્ષા
જન્મે છે. તમારી જે સ્થિતિ છે એને વઘારે બહેતર કરવાનુ ઝનુન પ્રક્ટે છે.
અદેખાઇ થી માણસ કર્મશીલ બને છે.
@@ વાસના એ મુલાયમ પાપ છે જે સામાન્યત હાનીકારક નથી.
વાસનાનુ મિકેનિઝમ સમજીએતો વાસના ક્ષેત્ર વિચાર છે. આચાર નહી.
આમા ફેન્ટ્સી હોય છે આમા સ્મ્રુતિની જાહોજલાલી હોય છે.
.લ્પનાને અનુભવમા ઉતારવાની વાત છે ,
@@@ ક્રોધ એ શોર્ટ ટર્મ મેડ્નેસ છે ઇન્દ્રિયો છે એટલે ઇચ્છાઓ જ્ન્મે છે
અને ઇચ્છાઓ સ્ંતોષાતી નથી એટલે ક્રોધ જન્મે છે.
@@@@ એન્ગર એ શરીરનો એક્ઝોસ્ટ વાલ છે એ બાળક ને આવતા ઓડકાર (બર્પિગ)
જેવો છે જે અંદર ન રહેવો જોઇએ બહાર નીકળવો જોઇએ.
@@@@@ જીભ ના ૯૦૦૦ સ્વાદ અંકુરોનો સ્વાદ ભોગવીને ૭૦ વષે મરવુ
અને કેલેરી ગણીગણી ને ભુખે મરી મરીને સો વરસ જીવવા કરતા બહેતર છે.
@@@@@@ વેસ્ટ્ન ઘર્મ નીતિ મા સાત પાપો નીચે પ્રમાણે ગણાવ્યા છે.
૧ સ્લોથ એટલે આળસ અને એદી પણુ
૨ એન્વી ઍટલે ઇર્ષા
૩ પ્રાઇડ એટલે અભિમાન
૪ લસ્ટ એટલે લોલુપતા
૫ ગ્રીડ અટલે લોભ
૬ ગ્લટની એટલે અંકરાતિયાપણુ ખા ખા કરવાની વ્રુતિ
૭ એન્ગર
-જયકાંત જાની (USA)
ગુજરાતીમાં -જયકાંત જાની (USA) બ્લોગ પોસ્ટંમાંથી
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ..વેસ્ટન વિચાર શ્રેણી-જયકાંત જાની (USA),gujarati gazal.ગુજરાતી ગઝલ, આધ્યાતમિક, જયકાંત જાની (USA ), સુવિચાર, gujarat, gujarati, gujarati poem, gujaratiblog | Leave a comment »
કુર્યાત સદા મ્ંગલમ
સફળ લગ્ન જીવનના નીચોડમાંથી ઉમદા લગ્ન જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે.
૦૧. સપ્તપદી ના સોગ્ંદ નામામા પત્નીને વચન આપ્યા પ્રમાણે , તુ પત્ની ને મીત્ર ગણજે .
૦૨. જીવનના ર્ંગમ્ંચ્ પર તુ સુપરસ્ટાર બની ફુલાઇ નહિં રહેતો, તુ પત્નીને બઘા પ્રકાર ની તાલીમ આપીને તેને સ્ટાર પ્લસ બનાવજે.
૦૩. લગ્નજીવન નુ મિકેનિઝમ સમજવુ.પુરુષ પ્રેમનો સ્ંમુદર છે અને સ્ત્રી એ કામાતુર નદી છે
ક્રમશ કામાતુર નદી પ્રેમ સાગરમા ભળીને પ્રેમાતુર બનતી જાય છે.
૦૪. રૂપાળી ગર્લફ્રેન્ડોને મન આંગણ ના મેદાનમા રમાડતો રહેજે પણ દિલના દરવાજા સુઘી પહોચવા દઇશ નહી.
૦૫. કઠોર પરીશ્રમ અને સાહસથી લક્ષ્મી મળે છે સુખ અને સમ્રુઘ્ઘ બનવા માટે મથજે.
૦૬. ઉત્તતમ લગ્ન જીવવાનો આદર્શ રાખજે અને તે માટે ઉત્તતમ શરુઆત કરજે.
૦૭. જીવન મા સારા થવાની , સારુ કરવાની અને સારુ જીવવાની ભાવના રાખવી.
૦૮. જો તુ વહાલાપુત્ર, ભાવુકભાઇ,પ્રેમાળ પતિ , પીઢ પિતા તરીકે નો ધર્મ નિભાવીશ તો તે બઘા ધર્મ નિભાવ્યા છે
૦૯.લગ્ન જીવનમા શ્રીરામ જેવા મર્યાદા પુરુશોતમ બનવા પયત્નશીલ રહેવુ.
૧૦. તમારે પતિ – પત્ની એ ઓછા પણ સારા મિત્રો રાખવા, સ્ંગદોષ થી દુર રહેવુ.
૧૧. તમારે પતિ – પત્ની એ સતત આત્મ સુઘારણ કરતા રહેવુ અને સ્ંતાનો ને પણ સ્વાઘ્યાય પ્રવ્રુતિમા જોડવા.
૧૨પત્ની ના ઉમદા ગુણો ના વખાણ કરવા અને તેને સતત પ્રોત્સાહિત કરતી રહેવી.
૧૩ જીવન પરિવર્તનશીલ છે.આપણા જીવનમા બદલાવ લાવવા સતત પ્રયત્ન કરવો
બીજામા બદલાવ લાવવા બહુ ચિંતા કરવી નહી.
૧૪ વાણી વિવેક લ્ગ્નજીવન મા અગત્ય નો ભાગ ભજવે છે.
ક્યારે મીઠા થવુ અને ક્યારે સખ્તશબ્દો નો ઉપયોગ કરવો
તેનો વિવેક શીખજે.
૧૫ લ્ગ્ન જીવન મા પરસ્પર્ પ્રમાણિકતા , નિસ્ઠા અને ઇમાનદારી થી લગ્નજીવનની
દિર્ઘ સુત્રતા વઘે છે.
૧૫ લગ્નજીવનમા TAL જરૂરી છે.
T IS FOR TRUST
A IS FOR ADJUSTMENT
L IS FOR LOVE
૧૬ કોણ સાચુ છે તેની વકિલાત કરવા કરતા શુ સાચુ છે તેના જજ બનવુ.
૧૭ સ્ંબઘ-સમય-અને સ્વાસ્થય આ ત્રણે માટે તમે બન્ને સતત જાગ્રુત રહેજો.
૧૮ ઇશ્વરે જે પરિસ્થિતિ મા મુકે તે સ્થિતિમા સુઘાર કરીને વઘારે સુખી થવા પ્રયત્ન કર્વો.
૧૯ આપણા સુખનો આઘાર બીજાપર નહી પણ આપણી સમજણ અને આપણી ચાહત પર
પર છે.
૨૦ ખરેખર હુ આ બાબત થી અજાણ છુ.
આ મારી ભુલ થઇ છે.
આ માટે હુ દિલગિરિ છુ
આ ત્રણે બાબત નો ઉપયોગ છુટ્થી કરવો.
– જયકાંત જાની (USA)
ગુજરાતી માંથી
Filed under: આધ્યાતમિક, જયકાંત જાની (USA ), સુવિચાર | Tagged: આધ્યાતમિક, કુર્યાત સદા મ્ંગલમ - જયકાંત જાની (USA), જયકાંત જાની (USA ), મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, gujarati net, gujaratiblog, gujaratikavitaanegazal | 2 Comments »
જ્યોર્જ વોશિંગટ્ન ના અઢાર જીવન સુત્રો
(૧)પ્રત્યેક કાર્ય હાજર વ્યક્તિઓ પ્રત્યે આદર દર્શાવી ને કરવુ.
(૨)ખુશમત ખોર કદી બનવુ નહી.
(૩)બઘાની સાથે સમુહમા બેઠા હોઇએ ત્યારે છાપુ કે પુસ્તક વાંચવુ નહી.
(૪)કોઇ લખવાબેઠુ હોય તો તેના કાગળ કે પુસ્તક પાસે જવુ નહી.
(૫)ચહેરો હ્ંમેશા હસમુખો રાખવો પર્ંતુ કોઇ ગ્ંભીર પ્રસ્ંગે ગ્ંભીરતા ઘારણ કરવી.
(૬)બીજાની સાથે કામની વાતો ટુંકામા પતાવવી , નિર્થક લ્ંબાણ ન કર્વુ.
(૭)બીજાને પહેલા બોલવા દેવુ એ સારી રીતભાત છે.
(૮)કોઇ વ્યક્તિ પોતાનાથી બનતુ કરી છુટી હોય અને તેને સફળતા ન મળે તો ઠપકો ન આપવો.
(૯)કોઇના સલાહ સુચનો નો આભાર પુર્વક સ્વીકાર કરવો.
(૧૦)કોઇના વિષે નુકશાન કારક ગપાટા સાંભળીએ તો એકદમ માની લેવા નહી.
(૧૧) કપડા હ્ંમેશા સાદા તથા પોતાની સ્થિતિને છાજે તેવા પહેરવા.
(૧૨) મોર ની પેઠે પોતાની જાતને (જોઇ) નિહાળી ફુલાવુ નહી.
(૧૩) ખરાબ સોબતમા રહેવા કરતા એકલા ર હે વુ સારૂ.
(૧૪)કોઇની સાથે વાત ચીત કરીએ તો ઇર્ષા અને દ્વેષ થી મુક્ત રાખવી.
(૧૫)આપણા કોઇ મિત્રને બીજાની કોઇ છુપી વાત શોઘી કાઢવા માટે કદી દબાણ કરવુ નહિ.
(૧૬)કોઇને ગમ્મતમા મજા ન પડતી હોયતો તે ઠેકાણે ગમ્મત કરવી નહી.
(૧૭)બીજાના દોષ જોવા નહી.
(૧૮)કોઇ બોલતુ હોયતો તેની વાત ધ્યાન પુર્વક સાંભળવી
સ્ંકલિત -જયકાંત જાની (USA)
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, જયકાંત જાની (USA ), જ્યોર્જ વોશિંગટ્ન ના અઢાર જીવન સુત્રો, સુવિચાર, gujarat, gujarati, gujarati git, gujarati net, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal | 1 Comment »
પિતાનો પુત્ર ને વારસો
જેક્સન બ્રાઉન નામના એક માણસે પોતાના જીવનના નીચોડમાંથી ઉમદા જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે.
૦૧. સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ કદી નહિં વંચાય તેમ લાગે.
૦૨. કોઈના પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિં, ચમત્કારો દરરોજ થતાંજ રહે છે.
૦૩. દરેક બાબતમાં ઉત્તમતા રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
૦૪. આપણાંથી જે પણ સારૂં થઈ શકે તેમ હોય તો અવશ્ય કરવું, કશુંજ ન કરવું એમ ન રહેવું.
૦૫. સંપૂર્ણતા માટે નહિં પણ શ્રેષ્ઠતા માટે મથજે.
૦૬. જે તુચ્છ છે તેને પારકિ લેતા શીખજે, ને પછી તેની અવગણના કરજે.
૦૭. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા કરજે.
૦૮. લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
૦૯. પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક ઓછો ન આંકવો, બીજામાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.
૧૦. ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે, કયારે મૂંગા ન રહેવું તેનો પણ ખ્યાલ રાખજે.
૧૧. એવી રીતે જીવન જીવજે કે કયારેક પણ તારી ઈમાનદારી, નિષ્ઠા અને પ્રમાણિકતા સૌ સાંભરે.
૧૨. જેમને એ વાતની કદી પણ જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારૂં કરતાં રહેવાની આદત કેળવજે.
૧૩. વિચારો મોટા કરજે પણ નાના આનંદો માણી જાણજે.
૧૪. કોણ સાચું છે તેની ફિકર કરવામાં ઓછો સમય ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે સમય ગાળજે.
૧૫. જે ગાંઠ છૂટી શકે તેને કદાપિ કાપતો નહિં.
૧૬. દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.
૧૭. એટલું સમજજે કે સુખના આધાર માલ-મિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિં પણ આપણે જેમને ચાહતા અને સમજતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો ઉપર છે.
૧૮. “મને ખબર નથી” એમ કહેતા ડરતો નહિં, “મારાથી ભૂલ થઈ” એમ કહેતાં અચકાતો નહિં અને “હું દિલગીર છું” એટલું બોલતા ખચકાતો નહિં.
અજ્ઞાત
ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી
Filed under: અખંડજ્યોતિ, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, પિતાનો પુત્ર ને વારસો, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, gujarat, gujarati, gujaratibhajan, gujaratiblog | Leave a comment »
જીવન હો તો હો એવું !
બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .
અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!
પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી રે’વું …
( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’ માંથી)
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »
જીવન-जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे
જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે
આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.
પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.
મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.
જીવન શરૂ જન્મ સાથે.
જીવનનો અંત મૃત્યુ ટાણે.
જીવન દરમ્યાનના સંબંધ આપણી જવાબદારી.
જીવનની સિધ્ધિઓ આપણી મૂડી.
આપણો આત્મા, આપણું પુણ્ય.
આપણું મગજ કુદરતની દેણ.
આપણા વિચારો વિભુની કૃપા.
આપણી હસ્તી,સદવિચાર અને ચારિત્ર્ય.
મિત્રો જીવનનું ભાથું.
જીવનના ઘરેણાં,સહનશીલતા અને ધૈર્ય.
જીવનની બગિયાના ફૂલો, “બાળકો”.
જીવન વિનાશક ‘ચીંતા’.
જીવનમા સંતોષ,’કોઈના કામમા આવવું.’
જીવન મૂલ્યહીન, ‘આશા’વિણ.
જીવનમા હાથની શોભા,’દાન’.
નિષ્ફળ જીવન,’સ્વાર્થ યુક્ત’.
જીવનમા આવશ્યક્તા,’ઉત્સુક્તા અને ઉમંગ.’
સુંદર વાર્તાલાપનું વાહન,’પ્રાર્થના.’
‘મુખપર રેલાતું સ્મિત’, સુંદર પરિધાન.
જીવનમા અજોડ અને બેનમૂન સ્થાન,’ ઈશ્વર’.
ચિંતન લેખ માથી
Posted by kamal barot in gujarati
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »
સગાં સગાં સૌ શું કરો છો ?
સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.
જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી,
અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.
-unknown- અજ્ઞાત
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સગાં સગાં સૌ શું કરો છો ?, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | 3 Comments »
વિણેલા મોતી:-
વિણેલા મોતી:-
પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે…..
-આ ચાર વાત પાછી ફરતી નથી..
[1] બોલેલા બોલ
[2] વીતેલો સમય
[3] ગુમાવેલી તક
[4] ફેંકેલું તીર
-બીજાના દોશજ જોતા રહેવું તે તમારી નિર્બળતા છે. બીજાના સદ્દ્ ગુણો તરફ જોવાથી તમને સુખ અને શાંતિ જરૂર મળશે. આગળજ વધવું હોયતો યાદ રાખો.. સદ્દ્ ગુણ, વિનય અને સેવા ઉત્તમ સાધનો છે. હઠીલાપણું , ઇર્ષા અને દોષારોપણ એ પીછેહઠ કરાવતાં પરિબળો છે.
-કોઇના ધા પર મીઠું ભભરાવવું એ ખરાબ કામ છે.તેના પર ધા રુઝાય તેવો મલમજ લગાવવો એ સારું કામ છે.
—
જીનનમાં કાતર પાસેથી ક્યારેય પ્રેરણાં ન લેશો.પરંતું નાની એવી સોય પાસેથી પ્રેરણાં લેવાનું ક્યારેય ચુકશો નહિં.
– ખાઇમાં પડેલો કદાચ પોતાની મહેનત અને બુધ્ધિથી બચી શકે છે. પણ અદે-ખાઇમાં ફસાયેલો આદમી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકતો નથી.
-Rashmika Khatri
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વિણેલા મોતી, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »
પ્રાર્થના
હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ –
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.
અજ્ઞાત
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પ્રાર્થના, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સુવિચાર, bhajan, gujarat, gujarati, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a comment »
પૈસો બોલે છે
મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,
મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત થઇ પાછો આવીશ એ કહીને જાઉ છું,
છેતર્યો નિજ આત્માને, છેતરી સરકારને,
છેતર્યા કંઇક ગરીબો, છેતર્યા લાચારને,
કોઇ વિધવાઓને રડાવી, લઇ લીઘા ફુલ હાર મેં,
ભરબજારે શેઠ થઇ લુંટી લીધા શણગારમેં,
દીઘો દગો મિત્રો સંબંધીઓ બધાનાં પ્યારને,
મેં છેતરી કુદરતને, છેતર્યો સંસારને,
લાખો મુકીને જાઉ છું, દમડી રહી સાથે નથી,
જાઉ છું તો વાલની વીંટીએ પણ હાથે નથી,
ભરબજારે ચોકમાં, ખાંતી તમે ખોદાવજો,
એ પુણ્યનો પૈસો નથી, એ દાનમાં દેશો નહિં,
ને લખપતિ કાલો ગયો, એ લેખ માહિ લખાવજો,
હેવાનના પૈસા, કોઇ ઇન્સાન ને દેશો નહિં.
-unknown (અજ્ઞાત)
Posted by PRASHANT SHAH in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, ધર્મધ્યાન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પૈસો બોલે છે, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a comment »
આવું કંઇક કરજો!
..જીભમાં મીઠાશ લાવજો, અંતરમાં કરૂણા લાવજો,
મનને સ્વચ્છ સુંદર બનાવજો, દરેકૃ પ્રત્યે સમભાવ કેળવજો,
ધોળા ઉપર કાળુ કરવાની કુટેવ છોડજો, વાત્સલ્યની પ્રભાથી જીવનને સુશોભિત બનાવજો,
હ્ર્દયને કરૂણાવંત બનાવજો, સમસ્ત જગત પ્રત્યે સદવિચારો કેળવજો.
-પ્રશાંત
Posted by PRASHANT SHAH in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, આવું કંઇક કરજો!, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog | Leave a comment »
જીવનના સાત પગલા
જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના
થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ
ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર
છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7)મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે.
સાત પગલા પૂરા થશે…..
રશ્મિકા ખત્રી
Posted by kamal barot in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવનના સાત પગલા, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | 1 Comment »
ઘડિકમાં તને ભુલી જવાની
ઘડિકમાં તને ભુલી જવાની
ચીઠી ફાટશ ઉપરવાળાની, વેળા થાશે તારે જાવાની,
સગું કુટુંબ ભેગુ મળીને, ચમચી પાણી પાવાની,
લોટ પાણીનો લાડવો મુકશે, જરૂર હશે નહિં તારે ખાવાની,
પાંચ-પચ્ચીશ ભેગા થઇને, કરશે ઉતાવળ કાઢવાની,
લાકડાં ભેગો બાળી દેશે, જરૂર હશે એને નાવાની,
હાડકાં લઇને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની,
બાર દીની મોકાણ કરી, પછી મિષ્ટાન ખાવાની,
સ્વાર્થની છે સગી આ દુનિયા, ઘડીકમાં તને ભુલી જવાની
અજ્ઞાત
posted by prashant shah in gujarati
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ઘડિકમાં તને ભુલી જવાની, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »
રામ કૃષ્ણ પરમહંસના પ્રેરણાપ્રદ વચન
01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.
02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ સૂકાઇ ગયા પછી તેને વાળી શકાતો નથી પણ તૂટી જાય છે. કાચી ઉંમરમાં મનને સંભાળીને સુધારી શકાય છે. ઘડપણમાં વાળવાથી તેને જડતા જકડી લે છે એટલે ન તો તેની આદતો બદલાય છે કે ન તો ઇચ્છાઓ સુધરે છે.
03. પતંગીયાને દીવાનો પ્રકાશ મળી જાય તે, પછી તે અંધારામાં પાછું ફરતું નથી પછી ભલે ને તે દીવાની આગમાં પ્રાણ ગુમાવવો પડે. જેને આત્મબોધનો પ્રકાશ મળી જાય છે તે અજ્ઞાનના અંધકારમાં ભટકતો નથી, પછી ભલે તેને ધર્મના માર્ગમાં પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે.
04. વાસના વગરનું મન સૂકી દિવાસળી જેવું છે, જેને એક વખત ઘસવાથી જ આગ ઉત્પન્ન થઇ જાય છે. વાસનામાં ડૂબેલું મન ભીની દિવાસળી જેવું છે જેને વારંવાર ઘસવાથી પણ કંઇ કામ થતું નથી. ભજનની સફળતા માટે મનને સાંસારિક તૃષ્ણાઓની ભીનાશથી બચાવવું જોઇએ.
05. પથ્થરો વર્ષો સુધી નદીમાં પડેલો રહે તો પણ તેની અંદર ભીનાશ નથી પહોંચતી, તોડીએ તો અંદરથી સૂકો જ નીકળે છે; પરંતુ માટીનું થોડૂક જ પાણી પડતા એને શોષી લે છે અને ભીનું થઇ જાય છે. ભાવનાશીલ હ્રદય થોડા ઘણા ઉપદેશોને પણ હ્રદયંગમ કરી લેઅ છે. પણ આડંબરમાં ડૂબેલા રહેનારનું જ્ઞાન જીભ સુધી જ મર્યાદિત રહે છે. તે એને અંદર ઉતારતા નથી. પરિણામ સ્વરૂપ તેઓ ફકત બકવાસ કરવાવાળા જ બની રહે છે.
06. ભીની માટીથી જ રમકડાં; વાસણ વગેરે બને છે. પકવેલી માટીથી કશું જ બનતું નથી. તેવી જ રીતે લાલસાની આગમાં જેની ભાવનારૂપી માટી બળી ગઇ, તે ન તો ભકત બની શકે છે કે ન તો ધર્માત્મા બની શકે છે.
07. રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇઅ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને ભુરાઇઅ છોડી દે છે.
08. દોરામાં ગાંઠ લાગેલી હોય તો તે સોયના કાણામાં ઘૂસી શકતો નથી અને તેનાથી સિવાતું નથી. મનમાં સ્વાર્થસભર સંકીર્ણતાની ગાંઠ લાગેલી હોય તો તે ઇશ્વરમાં લાગી નથી શકતું અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતું.
09. સાપના મોઢામાં ઝેર રહે છે, પગમાં નહીં. યુવાન સ્ત્રીઓનો ચહેરો નહીં પરંતુ ચરણ જોવા જોઇએ તેનાથી મનમાં વિકાર ઉત્પન્ન થતો નથી.
10. બાળક ગંદકીમાં રગંદોળાવાનો કેટલોય પ્રયત્ન કરે પણ માતા એની મરજી ચાલવા દેતી નથી અને જબરજસ્તી પકડીને નવડાવી દે છે. પછી ભલે બાળક રડતું કકળતું રહે. ભગવાન ભકતને મલિનતાથી છોડાવીને નિર્મળ બનાવે છે. એમાં ભલે પછી ભકત પોતાની ઇચ્છામાં અવરોધ પેદા થયેલો જોઇને રડતો કકળતો રહે.
11. ચુંબક પથ્થર પાણીમાં પડેલો રહે તો પણ તેનો લોખંડને આકર્ષવાનો અને ઘસતાં જ આગ પેદા કરવાનો ગુણ ખલાસ નથી થતો. વિષમ પરિસ્થિતિમાં ઘેરાયેલા રહેવા છતાં સજ્જન પોતાના આદર્શો છોડતા નથી.
રામ કૃષ્ણ પરમહંસ
Posted by kamal barot in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, રામ કૃષ્ણ પરમહંસના પ્રેરણાપ્રદ વચન, રામકૃષ્ણપરમહંસ, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »
શક્તિ
દરિયાનાં મોજા તરફ એક નજરે નિહાળો . સફેદીના ઢાકણ સાથે બરફ આચ્છાદિત ઉભેલા ડુંગરની જેમ ઊંચા ઉછળે છે અને આગળ તાજ સાથે ઘસી રહ્યા છે .જાણે કે પવિત્રતાનો તાજ ,શક્તિનો તાજ એક ભવ્ય વૈભવશાળી માલિક !
મોજાઓની ગતિ તરફ જુઓ .રસ્તામાં આવતી અડચણો ની કોઈ અસર નહિ .ભલે ને પછી તા જડ હોય કે ચેતન હોય. નાની હોય કે મોટી હોય .જરાય થાક વિના તેમની પાસે જાને `નડતર ` જેવો શબ્દ જ નથી. `શક્તિ`અર્થાત થોડી થોડી લડાઈઓ હારી ગયા હોવા છતાં પણ મહાન યુદ્ધ જીતવાનો આત્મવિશ્વાસ .ઘણીવાર લક્ષ્ય ઘણું દુર અને બહુ ઉંચુ હોય છતાં લક્ષ્ય સુધી પોહાચ્વાનો દ્રઢ નિર્ણય `દ્રઢતા `કોઈ પ્રભાવ નથી કે અભાવ નથી , પણ એક મજબુત `મનોબળ ` છે .નિર્ભય હોવાને લીધે કોઈ ઢીલા વિચારો નથી કે કોઈ શંકા નથી .પોતામાં અપવિત્રતાની ધ્રુજારી વિના આ અપવિત્રતાને દુર કરવાનું જોર ન હોવા છતાં પોતાનામાં રહેલા સામર્થ્યથી સામનો કરે જાય છે બહાદુર યોદ્ધા સર્વ શક્તિવાન ,સર્વ સમર્થ પ્રભુનો હું બાળક છું .સમાંર્થીને હાક છે .તે સભાનતા ની અંદર સ્થિર છે
===એક શક્તિશાળી દિવસ માટેનાં વિચારો ===
(૧) જો હું મારી જાતને પ્રશંસા અને કીર્તિથી ફૂલવા દઈશ,તો અપમાન અને અપકીર્તિ મારો નાશ કરશે .
(૨) કર્મ અને કર્મનો પ્રભાવ એમ બે પ્રસંગ છે .કર્મ સામાન્ય હોવા છતાં પણ કર્મનો પ્રભાવ રચનાત્મક ફળદ્રુપ અને સર્જનાત્મક હોવો જોઈએ .
(૩) તમારી નિયંત્રણ શક્તિ એટલી હોવી જોઈએ કે તમો ચોક્કસ સમય જેટલા વિચારો ઈચ્છો તેટલા જ હોવા જોઈએ ન વધારે ન ઓછા
.
(૪) જો પ્રભુ મારા પિતા ,શિક્ષક અને માર્ગદર્શક છે.તો આ ભૈતિક દુનિયા માં મને ભય શાનો ?
(૫) લોકો તમને નિભાવતા નથી. કારણ કે તેઓ તમને સમજતા નથી પરંતુ પ્રભુ તમને નિભાવશે .
(૬) જે હું અનુભવું છું એ ભૂતકાળ નું પરિણામ છે .અને હાલ જે કર્મ કરીશ તે ભવિષ્યમાં અનુભવીશ.
(૭) જો તમને અંધકારનો ગંભીર ભય છે .તો આંખો બંધ કરવાનો કોઈ અર્થ નથી .
(૮)પરિવર્તન માટે તમને દરરોજ તક મળે જ છે .પરંતુ તમે પરિવર્તન માટે સમય ફાળવો છો ખરા ?
(૯) ઘણા લોકો ઘણું વિચારે છે , ઘણું બોલે છે ,પરંતુ કર્તવ્ય બજાવવાના સમયે તાકાત ગુમાવી દે છે.
(૧૦) વિરામ ચિહ્નો કાગળ પર મુકવા ઘણા સહેલા છે , પરંતુ તમારા વ્યર્થ વિચારો પર પૂર્ણવિરામ મૂકી શકો છો ખરા ?
Posted by Dhaval Navaneet in gujarati
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શક્તિ, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »
જ્ઞાન `આજ ની વિચારધારા ‘
શિક્ષણ ભૌતિક દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટીએ જરૂરી છે .પરંતુ જીવન સફળ બનાવવાની દ્રષ્ટીએ .જીવનની દરેક પળમાં નવીનતાનો અનુભવ કરવાની દ્રષ્ટીએ.પ્રત્યેક દિવસને નૈતિક ઉન્નતિના અને પ્રસન્નતાના દિવસ તરીકે અનુભવ કરવા માટે અને નિરંતર શાંતિ હોવા માટે સૌ પ્રથમ ‘સ્વ ‘ નું જ્ઞાન ઘણું જ જરૂરી છે અને અગત્યનું છે .
આપણામાં કહેવત છે કે,પહેલા તમારી જાત ને જાણો.જેના અનુસંધાને ઘણા અનાથ બાળકોએ સતત અને સખત સંસોધન તેમના ભૌતિક માતાપિતાના નામ નિશાન જાણવા માટે કરેલ છે .તદુપરાંત આજના માનવે દુર દુર અને વિશાળ વિચિત્ર ઘટનાઓનો સામનો કરેલ છે .અને અત્યંત ખર્ચાળ સંસોધન તરફ આશાવાદી છે .
આજે જોકે વિશ્વમાં દરેક બાળક અનાથ બનેલ છે .જેઓ પોતાના પરમ પિતાને ભૂલી જાય છે ,અને ‘ સ્વ’ ને ભૂલી ગયેલ છે . ‘સ્વ ‘ જ્ઞાન અર્થાત પોતે એક અવિનાશી આત્મા છે .એ જ સત્ય છે .આધ્યાત્મિક વિષયો તરફ વળી ‘સ્વ ‘ નો અનુભવ કરવો એ જ સત્ય છે .પરમાત્મા ઉચ્ચ તે ઉચ્ચ જ છે , વાસ્તવમાં તે જ ઉચ્ચ શિક્ષક છે .પરમાત્મા જ્ઞાનના સાગર છે .અને પરમાત્મા ને જાણવાથી તમો સર્વસ્વ જાની શકશો …
===જ્ઞાનથી ભરપુર દિવસના વિચારો ===
***ગુરુવાર ***
>>બીજા ઉપર શક્તિ અને સત્તા એ સાચી શક્તિ અને સત્તા નથી ,પરંતુ ‘સ્વ ‘ ઉપર હોવી જોઈએ
>>કોઈપણ કર્તવ્ય કરતા પહેલા એક ક્ષણ માટે અટકી જાઓ, કર્તવ્ય ની અસર વિષે વિસ્તારો ,ત્યારબાદ શરુ કરો ,
>>જો હું હમેંશા મારી જાત ને અન્ય સાથે સરખાવીશ તો ઈર્ષા અથવા અભિમાન થી પીડાઈશ,
>>ચાર વસ્તુઓ તમારું જીવન બગાડી મુક્યું છે જે ‘હું’ અને ‘મારું ‘ , ‘તું ‘ અને ‘તારું ‘તેમને ભૂલી જાવ
>>જે જ્ઞાન ધનસંપત્તિ છે તો તમારી જાત ને પૂછી જુઓ કે હું કેટલો સંપત્તિવાન બન્યો છું
>>અત્યારે હાલ જ લોભ ઉપર વિજય મેળવો કારણ કે જ્યારે મનુષ્ય ઘરડો થાય છે ત્યારે લોભ યુવાન બને છે
>>કોઈ વાત ને સમજવા માટે જ્ઞાન જરૂરી છે .પરતું એને અનુભવવા માટે અનુભવ જરૂરી છે
>>જો હું ભૂતકાળને મજબુત પકડી રાખીશ તો વર્તમાનકાળ મુશ્કેલ બનશે અને ભવિષ્યકાળ અશક્ય બનશે ,
>>હાલની ઘડીએ જે તમારી પાસે છે તેની કદર કરી શકતા નથી તો ભવિષ્ય માં થનાર સંગ્રહનું મુલ્ય કેમ કરશો
>> માત્ર જગ્યા પછી તમને યાદ આવે છે કે તમે ઊંઘતા હતા
==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==
Posted by Dhaval Navaneet in gujarati
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જ્ઞાન- `આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, `આજ ની વિચારધારા ' | Leave a comment »
પવિત્રતા-આજ ની વિચારધારા
આપણે દરેક એક સમયે શાંતિસભર અને પવિત્ર હતા. પરંતુ પવિત્ર બનવું અર્થાત શું ? અને આપણે કેવી પ્રવૃત્તિ કરતા હતા ?
અપવિત્રતા સાંકળ છે .અપવિત્રતા શાપ સમાન છે .જે બુદ્ધિહીન બનાવે છે . અને આપણને અંધકારમાં જ રાખે છે અજ્ઞાનતામાં રાખે છે, અને બેભાન બનાવે છે .પવિત્રતા આપણને સ્વત્રંતા આપે છે .જે આપણને જ્ઞાન, શાંતિ ,સુખ ,શક્તિ અને પ્રભુ પ્રાપ્તિ ની ચાવી આપે છે
પવિત્રતાનું મૂલ્ય અસામાન્ય છે .જે એટલું બધું દુર્લભ અને શક્તિશાળી છે કે તેના માટે આપણે મારી મીટવું જોઈએ .આપણે જુનવાણી વિચારોનો નાશ કરવો જોઈએ .પુરાણા વિકારો અને અહંકાર જે આ પાંચ વિકારો ના નામ છે .
પવિત્રતાના તેજ થી આપણે રંગભેદ ,લિંગભેદ ,જાતિભેદ ,ધાર્મિક માન્યતાઓ ના બંધનો ની મર્યાદા ઓથી પર રહીએ છીએ .અને દરેક માનવજાત ને આપણા ભાઈ તરીકે જોઈ અનુભવીએ છીએ .પવિત્રતા ની શક્તિ એટલી બધી છે કે વિષયવાસના ,ક્રોધ અને દુર્ગુણો ની અગ્નિ બુઝાવે છે .અને તેની જગ્યાએ પવિત્ર શીતળ પ્રેમ જગાવે છે .પવિત્રતાનો અધિકાર એ છે કે આપણે ખરેખર પરમાત્માની નજીક આવી શકીએ છીએ ,
===પવિત્ર દિવસ માટેના વિચારો ===
***શુક્રવાર ***
>>>પ્રેમ નથી ત્યાં શાંતિ હોય શકે નહિ .જ્યાં પવિત્રતા નથી ત્યાં પ્રેમ હોય શકે નહિ ,
>>>જેમ ગૌરવ અહંકાર માંથી જન્મે છે .તેમ ખોટી આશાઓ મોહ માંથી જન્મે છે ,
>>>જો પ્રમાણિકતાઅને સત્યતા મારા તરફ ચાલતા હશે તો પ્રભુનો પ્રેમ પણ સહજ મારા તરફ આવતો હશે
>>>નામ અને કીર્તિ ની અપેક્ષા સાથે અપાયેલા હજારો રૂપિયા કરતા વધારે પ્રમાણિક અને સ્નેહ પૂર્વક અપાયેલા મુઠ્ઠીભર ચોખા વધારે મહાન છે ,
>>>જેમ વધારે ખામીયો બીજાની જોશો તેમ તેમ વધારે ચેપી બનશો .બીમારી એક જાતનો ચેપ છે ,
>>> “સ્વ ‘ ની શોધ “સ્વ ‘ તરફના સત્યથી થઇ શકે
>>>તમારું અંતકરણ (વિવેક બુદ્ધિ )તમારો સાચો મિત્ર છે,તેને વારંવાર સંભાળો ,
>>>જો તમારા મનમાં રહેલી શંકા સ્પષ્ટ નહિ કરો તો તે કેન્સરની માફક વધી જશે ,
>>>જો તમારા સંકલ્પો પવિત્ર હશે તો તમો શું વિચારો છો અને શું બોલશો તે કહેવું સહેલું બનશે ,
>>>જો તમારી દ્રષ્ટી શુદ્ધ રાખશો તો મસ્તક સ્વત:ઉચ્ચ જશે,
==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==
Posted by Dhaval Navaneet in gujarati
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, પવિત્રતા, પવિત્રતા-આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal, `આજ ની વિચારધારા ' | Leave a comment »
દયા
દુનિયાની દ્રષ્ટીએ ખૂન કરાનારાને દોષ આપવામાં આવે છે .એટલે ખૂનીમાં દયા નથી એમ કહેવાય . ખૂન કરનાર એમ મને છે કે દુનિયાને દયા નથી .અને જે થી કરીને માનવની માનવ સાથે ની અમાનવતાની લાંબી અને મજબુત સાંકળ શરુ થાય છે .આ મનુષ્યનાતાના સાથી મનુષ્ય માટેના નિર્ણય ની જ વાત છે .અર્થાત સાર રૂપે એ જે વિચારે છે. તે તેના કર્મની ચુકવણી બરાબર છે .
અત્યારના જમાનામાં દયા બતાવી એ ચારિત્ર્યની નબળાઈનું ચિહ્ન છે .પરંતુ તે સત્ય નથી જોકે તે મહાન શક્તિ અને ડાહ્યાપણાનું ચિહ્ન છે દયા બતાવી અર્થાત જીવનની પરિસ્થિતિની પૂરે પૂરી સમજ બતાવવી જે બહાર ની દ્રષ્ટીએ સત્ય અને પુરાવાઓથી પર છે .દયાળુ બનવું તે ઉન્નત સમાનતાનું સુચન કરે છે .દયાળુ સ્થિતિ એટલી બધી ઉંચી છે કે વિરોધ અને ખરાબ કર્મો હોવા છતાં આપની પાસે કહેવાની એ શક્તિ છે કે હું સમજુ છું અને ક્ષમા આપું છું .
===દયાળુ દિવસ માટે નાં વિચારો ===
****શનિવાર **** જો હું બીજાની કમજોરીઓ મગજમાં રાખીશ તો તેજ ઘડીએ તેઓ મારા મગજનો એક ભાગ બની જશે .
>>>જયારે,જ્યારે મન થાકી જાય છે ત્યારે ,દરેક કામ કરવા માટે મોટા પ્રયત્નો કરવા પડે છે ,
>>>દુનિયામાં ઘણા લોકો ભૂખે મારી જાય છે .જે બીજાના લોભને કારણે .જો આપણે જાણીશું કે આપણે કેવી રીતે વહેચવું તો તો સમસ્યાનું સમાધાન થઇ જશે ,
>>>તમને મળેલી તકને બદલવા કરતા મળેલી તકોનો ઉપયોગ કરી સ્વય બદલવાનું ઘણું સારું ,
>>>જે પોતાની જાત ને ભૂલી જી માનવ સેવા કરે છે તે જ આપણા બધામાં રાજકુમાર છે .
>>>બીજાની ભૂલને સહન કરવી એ એક ચીજ છે અને તેને ક્ષમા આપવી તે વધારે મહાન ચીજ છે ,
>>>સહયોગ આપવો એનો અર્થ એ નથી કે તેના ગુલામ બનેલ છો,
>>>જયારે,જ્યારે સત્તા જરૂરી હોય ત્યારે દ્રઢ બનો.પરંતુ સત્તા નું સંચાલન કરતા મધુર અને વિનમ્ર બનો ,
>>> સ્વય ની પ્રગતિ માટે સદાય પ્રયત્નશીલ રહો .સ્વય ને નીચે ન લઇ જાઓ .સ્વય જ સ્વયના મિત્ર છો .અને સ્વય જ સ્વય નાં દુશ્મન છો .
==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==
Posted by Dhaval Navaneet in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર, Uncategorized | Tagged: આધ્યાતમિક, ગુજરાત, દયા, ભજન, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a comment »
વેદ નો અભ્યાસ
તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે.
વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે.
વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે.
એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે.
વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ.
“હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે.
વેદે તેની છણાવટ કરી આપણી સમક્ષ પૂરાવા સાથે દર્શાવ્યું છે. સુખ , શાંતિ અને આનંદના ત્રિવેણી સંગમમા વેદ આપણને સ્નાન કરાવી શુધ્ધ બનાવે છે.
વેદ વિચારોને પ્રેરે છે.
પોતાની જાતનું પૃથક્કરણ કરી તેને જાણવી અને શુધ્ધ કરવામા વેદનો અભ્યાસ સહાય કરે છે. વેદ વૈજ્ઞાનિક પધ્ધતિથી આપણને ધર્મ વિષે ઉંડુ જ્ઞાન આપે છે.
‘વેદ’ની સાર્થકતા ખુદ વેદ છે. વેદનો અભ્યાસ જીવન જીવવા માટે અતિ આવશ્યક છે.
વેદ અને શાસ્ત્રનો ઉંડો અભ્યાસ કદાચ કંટાળા જનક લાગે. કિંતુ વેદનો સારાંશ ‘વેદાંત’ સંક્ષિપ્તમાં ખૂબ ચીવટથી આપણને સમજાવવામા સફળ થયું છે.
ઝીણવટપૂર્વકનું તેનું અવલોકન જીવન જીવવાનો રાહ બતાવે છે. વિચાર કરવો, પણ કઈ રીતે , કઈ દિશામા તે માર્ગદર્શન વેદાંત પૂરુ પાડે છે. એ એક કળા છે. પાયા વગરના ઉપદેશ અને સિધ્ધાંતો પામેલ માનવી દિશા ભૂલી જ્યાં ત્યાં ગોથા ખાય છે.
ચિંતન લેખ ,
posted by kamal barot gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતન લેખ, ભરત સુચક, વેદ, વેદ નો અભ્યાસ, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »
શું અપનાવશો?
જે આદરના અધિકારી છે. માતા પિતા
જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા
જે હરપળે વિંધાય છે. હ્રદય
જેને વિંધવું શક્ય નથી. શબ
જે આવે છે તે જવા માટે. યુવાની
જે જાય છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ
જે શરીરનું આભૂષણ છે. મૌન
જે ઘણીવાર વ્યર્થ છે. વાણી
જેના પર સંયમ આવશ્યક છે. જીભ
જે સ્વતંત્ર અને દૃઢ છે. સદવિચાર
જે કાપવા જેવું છે તે વધારે છે. નખ
જે વધારવું જોઈએ તે કાપે છે. વાળ
જે સહુથી ઊંચી છે. પ્રેમ સગાઈ
જે જગમાં નીંદનીય છે. તિરસ્કાર
જે કાજલ કરતાં કાળું છે. કલંક
જે પાણી કરતાં પતળું છે. જ્ઞાન
જે શસ્ત્ર કરતાં પણ કાતિલ છે. કટુવાણી
જે મલમ કરતાં મુલાયમ છે. મધુર શબ્દ
જે ભૂમિથી ભારી છે. ક્રોધ
જે સહુને આકર્ષે છે. સ્મિત
જે કરવાથી બંને પક્ષ પાપના ભાગીદાર છે. નિંદા
જે બંને પક્ષ માટે લાભદાયી છે. પ્રશંશા
જેનાથી હાથ શોભે છે. દાન
જે હરહંમેશ આવકાર્ય છે. પ્રેમ
જેની પ્રેમ નિતરતી આંખો છે, માતા
જે મૌન દ્વારા પ્રેમ રેલાવે છે. પિતા
જે નિરંતર સ્મરણીય છે. પ્રભુનામ
જે હંમેશ કરવો આવશ્યક છે. સત્સંગ
ચિંતન લેખ
Posted by kamal barot in gujarati
Filed under: આધ્યાતમિક, ચિંતન લેખ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ચિંતન, ચિંતનલેખ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | 1 Comment »
ગણપતિબાપા ના જીવન પ્રતીકો
ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે બીજા જીવજંતુઓનું પેટ ભરાવું જોઇએ.એવી ઉદાર વ્રુતિ છે.આમ નેતામાં અન્યને ખવડાવીને ખાવાની વ્રુતિ હોવી જોઇએ..એવું સૂચન છે.
ગણપતિના કાન પણ હાથીની જેમ સૂપડા જેવા છે.સૂપડાની જેમ સાર રાખીને ફોતરા ઉડાડી દેવા જોઇએ .એવું સૂચન અહીં સમાયેલું છે.વળી મોટા કાન ઉત્ક્રુષ્ટ શ્રવણ-ભક્તિ સૂચવે છે.
ગણેશજીની હાથી જેવી ઝીણી આંખો માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે.
હાથીની જેમ ગણપતિનું મોટું નાક દૂર સુધીનું સૂંઘવા સમર્થ છે.અર્થાત નેતામાં દૂરદર્શિતા હોવી જરૂરી છે.
ગણપતિને બે દાંત છે.એક આખો અને બીજો અડધો..આખો દાંત શ્ર્ધ્ધાનો અને અડધો બુધ્ધિનો સૂચક છે.જીવનમાં બુધ્ધિ કદાચ થોડી ઓછી હોય તો ચાલે પણ શ્ર્ધ્ધા તો સંપૂર્ણ જ હોવી જોઇએ.
ગણપતિ ને ચાર હાથ છે.એક હાથમાં અંકુશ,બીજામાં પાશ,ત્રીજામાં મોદક અને ચોથો આશીર્વાદથી સભર છે.અંકુશ દર્શાવે છે કે વાસના,વિકારો પર જીવનમાં અંકુશ..અર્થાત સંયમ હોવો જરૂરી છે.જયારે પાશ સૂચવે છે કે..જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય પણ હોવું જોઇએ.મોદક એટલે મોદ કરાવે અર્થાત..આનંદ કરાવે તે.બીજાને ખુશી આપવાનું સૂચન અહીં સમાયેલ છે.ચોથો હાથ આશીર્વાદ નું પ્રતીક છે.
તેઓ લંબોદર કહેવાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ ઉદરમાં સમાવી દેવી એનું સૂચન છે.સાગરની માફક નેતા બધી વાતોને પોતાની અંદર સમાવી દેવા સમર્થ હોવો જોઇએ.
તેમના પગ નાના છે.તેથી તેઓ જલ્દી દોડી શકતા નથી.”ઉતાવળા સો બાવરા,ધીરા સો ગંભીર”નું સૂચન કરી રહ્યા છે.પ્રુથ્વી પ્રદક્ષિણાની શરતમાં માતા-પિતાની પ્રદક્ષિણા કરી ને,બુધ્ધિ નો ઉપયોગ કરીને પોતાના ભાઇ કાર્તિકેય આગળ શરત જીત્યા હતા તે વાત થી આપણે સૌ પરિચિત છીએ જ.
વળી તેમનું વાહન ઉંદર છે.જે સહેલાઇથી દરેક ના ઘરમાં પ્રવેશી શકે.અર્થાત મહાપુરૂષોના સાધનો એવા નાના અને નમ્ર હોવા જોઇએ કે જે ઘરઘરમાં પ્રવેશ પામી શકે.
ગણેશને દુર્વા પ્રિય છે.લોકોને મન જેનું કોઇ મહત્વ નથી એવા ઘાસને તેમણે પોતાનું માન્યું ને તેની કિંમત વધારી.અર્થાત નાના લોકોની અવગણના કરવાને બદલે તેમને પણ યોગ્ય સન્માન આપવું જોઇએ.
તેમને લાલ ફૂલ પ્રિય છે.લાલ રંગ ક્રાંતિ નો સૂચક છે.નેતાને હમેશા ક્રાંતિ પ્રિય હોવી જોઇએ.તેમને આપને અક્ષત અર્થાત ચોખા ચડાવીએ છીએ.અક્ષત એટલે જે અખંડ છે.દેવ પ્રત્યે આપણી ભક્તિ અખંડ હોવી જોઇએ.
ગણપતિને વક્રતુંડ કહે છે.આડે અવળે ચાલનાર ને જે દંડ આપે છે તે વક્રતુંડ.
ગણેશ ચતુર્થી ને દિવસે આપણે જે ગણપતિ લાવીએ છીએ તે ગણપતિનું વિસર્જન આપણે અનંત ચર્તુદશી ને દિવસે કરીએ છીએ.અર્થાત જે શાંત છે તેને અનંતમાં,સાકાર ને નિરાકારમાં અને સગુણ ને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ.જીવનમાં પણ અંતે નિરાકાર એટલે કે ઇશ્વર તરફ પ્રયાણ કરવાનું સૂચન સમાયેલ છે.
આવી વિઘ્નહર્તા ગણપતિના જીવન નો સાચો સંદેશ સમજીને જીવનમાં ઉતારી શકીએ તો જીવન સાર્થક બની શકે.આજે આ નવી દ્રષ્ટિ થી ગણપતિના દર્શન કરીશું?
કોટિ કોટિ નમન ગણપતિબાપાને! અંતે ગણપતિ બાપા મોર્યા …કહેશું ને?
નીલમ દોશી
Posted by kamal barot in gujarati
Filed under: આધ્યાતમિક, ભક્તિ, ભજન, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગણપતિબાપા ના જીવન પ્રતીકો, ગુજરાત, ગુજરાતીકવિતા, નીલમ દોશી, ભજન, ભરત સુચક, સુવિચાર, bhajan, Bharat Suchak, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog | Leave a comment »
ભક્તિ
ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે.
શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને,
ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને,
પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને,
ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને
આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને.
-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
Filed under: આધ્યાતમિક, ધર્મધ્યાન, ભક્તિ, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભક્તિ, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »
‘મા’
પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું.
પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે,
મા એ તો મા છે… બધાને ત્યાં વિરમવું પડે છે.
રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે.
‘મા’ ગંગા કરતાં પણ મહાન છે,
ગંગા સુકાય, મા નહિં.
મા એ પૂર્ણ શબ્દ છે ગ્રંથ છે, યુનિવર્સીટી છે,
મા મંત્ર બીજ છે પ્રત્યેક સર્જનનો આઘાર છે મા,
મંત્ર તંત્ર ને યંત્રની સફળતાનો મુલાધાર છે મા.
જેને કોઇ ઉપમા આપી ન શકાય એનું નામ છે ‘મા’,
જેની કોઇ સીમા નથી તેનું નામ છે ‘મા’.
મારે ખરી, પણ… માર ખાવા ન દે એનું નામ “મા”.
શિવની જટામાં માત્ર ગંગા જ અવતરી છે, પરંતુ
માના જીગરે તો કંઇક ગંગા અને મહાસાગરો ઉમટયા છે.
પૃથ્વી પરનો સૌથી મહાન, સૌથી પવિત્ર શબ્દ છે “મા”.
બાળકને રાહ બતાવે તેનું નામ ગુરૂ પરંતુ,
બાળકની રાહ જુએ તેનું નામ માતા.
મા ના પ્રેમમાં કદી રૂકાવટ હોતી નથી.
મા ના વિચારમાં કદી મિલાવટ હોતી નથી.
“મા”નું મૂલ્યાંકન થઈ શકે તેવી કોઇ વ્યક્તિ કે શબ્દો નથી, માટે જ કહેવાય છે કે
“મા તે મા, બાકી બધા વગડાના વા”.
-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: 'મા', -પ્રશાંત શાહ , સુવિચાર, આધ્યાતમિક, ભરત સુચક, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »