[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં !
[2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં !
[3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !
[4] તમારી ખોટુ બોલવાની આવડત ને લીધે , તમે જે ખોટુ બોલો છો તે પત્ની સાચુ માની લેતી નથી !
[5] તમારા લગ્ન સંસારને ટકાવી રાખવા માટે મૌન રહો, બોલવું જ પડે મનમા બોલીને જ પતાવો !
[6] ચંદ્રમુખી કે સુર્યમુખી લાગતી પત્નીને કાળમુખી થતા વાર નથી લાગતી !
[7] કુમળી વેલ જેમ વ્રુક્ષ ને વીંટળાઇ રહે તેમ ગર્લફ્રેન્ડ ભલે તમને વિંટળાઇ રહે પણ યાદ રાખજો કે વેલને સહારો આપવામા આખરે વ્રુક્ષજ ભીંસાવાનુ છે.
[8] કોઈને સ્વાર્થ વગર પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. લાભ વગર , લાલો નહીં લોટે નથી !
[9] પ્રેમને અને વાસનાને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી વાસના ના વહાણ વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !
[10] તમારી ઈચ્છા મુજબ તમારા સંતાનો વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે તમેય ક્યારેક સંતાન હતા ને !
[11] નવી ગર્લ ફ્રેન્ડ ની આરતિ ઉતારવામા કશું ખોટું નથી પણ જુની ગર્લ ફ્રેન્ડને અવગણવામાં પ્રેમનુ જ અપમાન છે, કારણ એ એ જ ગર્લ ફ્રેન્ડ છે જેના સ્મીત પર તમે જ મરતા હતા તેની આંખના આંસુ તમારે જ લુછવાના જ છે !
[12] પત્ની ની હથેળીમાં મૂકેલો પૈસો લાંબો ટકતો નથી, ઉદારતા પણ નહીં. ચુમીઓ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !
[13] સ્વાર્થના સંબંધો જલ્દી તુટ્તા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ ટકાઉ સંબંધો લઈને આવતો હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !
[14] પ્રેમમા હરીફાઇ હોતી નથી, પ્રેમ મા હારજીત હોતી નથી!
[15] પૈસા કમાવાઇને તુ પરેવાની રોટલી ખાજે , પરસેવો વળે ત્યા સુધી રોટલી ખાતો નહીં !
[16] દરેક ખોટી વાસના નો ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે સબુરી હોવી જોઈએ.
[17] પ્રેમીકા ને પ્રેમ કરતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી આવક અને બીજી પ્રેમીકાનો હાથખર્ચ !
[18] વિધાતાએ દરેકને શ્રાપ આપેલો જ છે, ખાસ કરીને પતિઓને…. કે પત્ની સામે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, મર્દાનગી પણ નહીં, ઝુકવુ જ પડે છે !
[19] પતિ અને પત્ની નો સંબંધ અને સાસરીયા સાથે સંબંધ એ બન્ને અલગ અલગ છે, વિચારજો !
[20] કલ્પના નો વિસ્તાર અપાર છે. પામે છે કોણ ? સપ્ના ના સૌદાગર . પ્રેમ ક્ષેત્રમાં આવું જ હોય છે, પ્રેમીઓ જ પામી શકે છે, લગે પ્રેમજી ભાઇ !
[21] તમારી બે હાલીની ખબર એક પત્ની અને બીજી પે્મીકાને જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, પ્રેમીકા તેનું નિવારણ !
[22] સત્યવાદી હરીચદ્ર બનવાની ઈચ્છા કોઇની હોતી નથી, પણ ઉપરવાળો કર્મોનો ભોગવટો ભોગવાની ફરજ પાડે છે , તેનો ભય એને સતકર્મો કરવા મજબૂર કરે છે, ખરૂને !
[23] તમે સંસાર પાછળ પડ્યા છો તો મોહ માયા એ આગળ જ રહેવા્ના છે, ભગવાન તમારા થી દુર એ ખ્યાલમાં રાખજો !
[24] મોહીની વશીકરણ થતાં વાર લાગે છે, વળગાડ કારણ વગર પણ થઈ શકે છે !
[25] પ્રેમ કરો કે ન થાય એટલે દુનિયા લુટાઇ જતી નથી , દુઃખી થવાની જરૂર નથી, પ્રેમીઓની પડતીના બીજાં અનેક કારણો છે, એટીટ્યુમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !
[26] પ્રેમીઓ માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ રૂપ, રસ, ગંધ , સ્પર્શ અને સંવનની છે, ચાન્સ મળે પૂરી કરો, તેઓ તુપ્ત થશે અને તુપ્ત કરશે !
[27] તમારી પત્નીને વિધવાની જેમ અને સંતાનોને અનાથબાળકો જેમ ટ્રેઇન કરો એટલે તમે નહીં હો તો કશું જ અટકી જશે નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે સંસાર નો ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !
[28] હુ તમારી છોકરી ને ચાહુ છુ એમ કહેવુ એ કોઇની છોકરીને ભગાડી જવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.
[29] તમારી સુખનો આધાર તમેજ છો બીજા તમને સુખી કરશે , એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !
[30] ખરીદી શકાય એવી માં ક્યાંય મળતી નથી, ને વેચી શકાય માત્રુત્વ કદી હોતું નથી !
Filed under: આધ્યાતમિક, ચિંતન, ચિંતન લેખ, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, વિચાર વલોણુ - જયકાંત જાની ( અમેરીકા ), સુવાક્યો., સુવિચાર, gujarati suvakiyo, gujarati suvichar, suvichar | Leave a comment »