અરીસામાં જવાની જોઈને, હરખાય છે આંખો,
બુઢાપામાં અરીસો એ જ, ને કરમાય છે આંખો.
પ્રણયમાં તો પ્રથમ મળતા નયન, ને દિલ પછી મળતા
બિડાયેલી ભલે પાંપણ, છતાં પરખાય છે આંખો.
વિરહમાં દિલ બળે તો, આગ ક્યાં દેખાય છે યારો,
અગન એ, ઠારવા માટે જ, તો છલકાય છે આંખો.
જરા નમણાશ ભાળે ત્યાં, હૃદય ધબકાર ચૂકે છે,
દશા દિલની બરાબર જાણતી, મલકાય છે આંખો.
નજર નજરાઈ જાતા કોણ, ‘સુસ્તી’ રાખશે દિલમાં,
નશો આખીય આલમનો, ભરી ઉભરાય છે આંખો\
– વજુભાઈ પુનાણી ‘સુસ્તી’
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, વજુભાઈ પુનાણી ‘સુસ્તી’ | Tagged: અરીસામાં જવાની જોઈને, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વજુભાઈ પુનાણી ‘સુસ્તી’, હરખાય છે આંખો, ghazal, gujarati, gujarati gazal, gujaratigazal, gujaratikavitaanegazal | 1 Comment »