જ્ઞાન `આજ ની વિચારધારા ‘

શિક્ષણ ભૌતિક દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટીએ જરૂરી છે .પરંતુ જીવન સફળ બનાવવાની દ્રષ્ટીએ .જીવનની દરેક પળમાં નવીનતાનો અનુભવ કરવાની દ્રષ્ટીએ.પ્રત્યેક દિવસને નૈતિક ઉન્નતિના અને પ્રસન્નતાના દિવસ તરીકે અનુભવ કરવા માટે અને નિરંતર શાંતિ હોવા માટે સૌ પ્રથમ ‘સ્વ ‘ નું જ્ઞાન ઘણું જ જરૂરી છે અને અગત્યનું છે .
આપણામાં કહેવત છે કે,પહેલા તમારી જાત ને જાણો.જેના અનુસંધાને ઘણા અનાથ બાળકોએ સતત અને સખત સંસોધન તેમના ભૌતિક માતાપિતાના નામ નિશાન જાણવા માટે કરેલ છે .તદુપરાંત આજના માનવે દુર દુર અને વિશાળ વિચિત્ર ઘટનાઓનો સામનો કરેલ છે .અને અત્યંત ખર્ચાળ સંસોધન તરફ આશાવાદી છે .
આજે જોકે વિશ્વમાં દરેક બાળક અનાથ બનેલ છે .જેઓ પોતાના પરમ પિતાને ભૂલી જાય છે ,અને ‘ સ્વ’ ને ભૂલી ગયેલ છે . ‘સ્વ ‘ જ્ઞાન અર્થાત પોતે એક અવિનાશી આત્મા છે .એ જ સત્ય છે .આધ્યાત્મિક વિષયો તરફ વળી ‘સ્વ ‘ નો અનુભવ કરવો એ જ સત્ય છે .પરમાત્મા ઉચ્ચ તે ઉચ્ચ જ છે , વાસ્તવમાં તે જ ઉચ્ચ શિક્ષક છે .પરમાત્મા જ્ઞાનના સાગર છે .અને પરમાત્મા ને જાણવાથી તમો સર્વસ્વ જાની શકશો …

===જ્ઞાનથી ભરપુર દિવસના વિચારો ===

***ગુરુવાર ***

>>બીજા ઉપર શક્તિ અને સત્તા એ સાચી શક્તિ અને સત્તા નથી ,પરંતુ ‘સ્વ ‘ ઉપર હોવી જોઈએ

>>કોઈપણ કર્તવ્ય કરતા પહેલા એક ક્ષણ માટે અટકી જાઓ, કર્તવ્ય ની અસર વિષે વિસ્તારો ,ત્યારબાદ શરુ કરો ,

>>જો હું હમેંશા મારી જાત ને અન્ય સાથે સરખાવીશ તો ઈર્ષા અથવા અભિમાન થી પીડાઈશ,

>>ચાર વસ્તુઓ તમારું જીવન બગાડી મુક્યું છે જે ‘હું’ અને ‘મારું ‘ , ‘તું ‘ અને ‘તારું ‘તેમને ભૂલી જાવ

>>જે જ્ઞાન ધનસંપત્તિ છે તો તમારી જાત ને પૂછી જુઓ કે હું કેટલો સંપત્તિવાન બન્યો છું

>>અત્યારે હાલ જ લોભ ઉપર વિજય મેળવો કારણ કે જ્યારે મનુષ્ય ઘરડો થાય છે ત્યારે લોભ યુવાન બને છે

>>કોઈ વાત ને સમજવા માટે જ્ઞાન જરૂરી છે .પરતું એને અનુભવવા માટે અનુભવ જરૂરી છે

>>જો હું ભૂતકાળને મજબુત પકડી રાખીશ તો વર્તમાનકાળ મુશ્કેલ બનશે અને ભવિષ્યકાળ અશક્ય બનશે ,

>>હાલની ઘડીએ જે તમારી પાસે છે તેની કદર કરી શકતા નથી તો ભવિષ્ય માં થનાર સંગ્રહનું મુલ્ય કેમ કરશો

>> માત્ર જગ્યા પછી તમને યાદ આવે છે કે તમે ઊંઘતા હતા

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==
Posted by Dhaval Navaneet in gujarati

પવિત્રતા-આજ ની વિચારધારા

આપણે દરેક એક સમયે શાંતિસભર અને પવિત્ર હતા. પરંતુ પવિત્ર બનવું અર્થાત શું ? અને આપણે કેવી પ્રવૃત્તિ કરતા હતા ?
અપવિત્રતા સાંકળ છે .અપવિત્રતા શાપ સમાન છે .જે બુદ્ધિહીન બનાવે છે . અને આપણને અંધકારમાં જ રાખે છે અજ્ઞાનતામાં રાખે છે, અને બેભાન બનાવે છે .પવિત્રતા આપણને સ્વત્રંતા આપે છે .જે આપણને જ્ઞાન, શાંતિ ,સુખ ,શક્તિ અને પ્રભુ પ્રાપ્તિ ની ચાવી આપે છે
પવિત્રતાનું મૂલ્ય અસામાન્ય છે .જે એટલું બધું દુર્લભ અને શક્તિશાળી છે કે તેના માટે આપણે મારી મીટવું જોઈએ .આપણે જુનવાણી વિચારોનો નાશ કરવો જોઈએ .પુરાણા વિકારો અને અહંકાર જે આ પાંચ વિકારો ના નામ છે .
પવિત્રતાના તેજ થી આપણે રંગભેદ ,લિંગભેદ ,જાતિભેદ ,ધાર્મિક માન્યતાઓ ના બંધનો ની મર્યાદા ઓથી પર રહીએ છીએ .અને દરેક માનવજાત ને આપણા ભાઈ તરીકે જોઈ અનુભવીએ છીએ .પવિત્રતા ની શક્તિ એટલી બધી છે કે વિષયવાસના ,ક્રોધ અને દુર્ગુણો ની અગ્નિ બુઝાવે છે .અને તેની જગ્યાએ પવિત્ર શીતળ પ્રેમ જગાવે છે .પવિત્રતાનો અધિકાર એ છે કે આપણે ખરેખર પરમાત્માની નજીક આવી શકીએ છીએ ,

===પવિત્ર દિવસ માટેના વિચારો ===

***શુક્રવાર ***

>>>પ્રેમ નથી ત્યાં શાંતિ હોય શકે નહિ .જ્યાં પવિત્રતા નથી ત્યાં પ્રેમ હોય શકે નહિ ,

>>>જેમ ગૌરવ અહંકાર માંથી જન્મે છે .તેમ ખોટી આશાઓ મોહ માંથી જન્મે છે ,

>>>જો પ્રમાણિકતાઅને સત્યતા મારા તરફ ચાલતા હશે તો પ્રભુનો પ્રેમ પણ સહજ મારા તરફ આવતો હશે

>>>નામ અને કીર્તિ ની અપેક્ષા સાથે અપાયેલા હજારો રૂપિયા કરતા વધારે પ્રમાણિક અને સ્નેહ પૂર્વક અપાયેલા મુઠ્ઠીભર ચોખા વધારે મહાન છે ,

>>>જેમ વધારે ખામીયો બીજાની જોશો તેમ તેમ વધારે ચેપી બનશો .બીમારી એક જાતનો ચેપ છે ,

>>> “સ્વ ‘ ની શોધ “સ્વ ‘ તરફના સત્યથી થઇ શકે

>>>તમારું અંતકરણ (વિવેક બુદ્ધિ )તમારો સાચો મિત્ર છે,તેને વારંવાર સંભાળો ,

>>>જો તમારા મનમાં રહેલી શંકા સ્પષ્ટ નહિ કરો તો તે કેન્સરની માફક વધી જશે ,

>>>જો તમારા સંકલ્પો પવિત્ર હશે તો તમો શું વિચારો છો અને શું બોલશો તે કહેવું સહેલું બનશે ,

>>>જો તમારી દ્રષ્ટી શુદ્ધ રાખશો તો મસ્તક સ્વત:ઉચ્ચ જશે,

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==
Posted by Dhaval Navaneet in gujarati

પ્રેમ-આજ ની વિચારધારા

પ્રેમ
ભલા ! પ્રેમ નો તો વળી કોઈ આકાર હોય ?

પ્રેમ ખરેકર એક શક્તિશાળી બળ છે .આપણને મહાન ઉચાઇ પર લઇ જઈ તાજગી અને તેજસ્વીતા આપે છે .છતાંય તેનો વધુમાં વધુ દુરુપયોગ અને ફજેતી થયેલી છે .ઘણી અધ :પતન કરતી ચીજો તરીકે પ્રેમ સ્વીકારવામાં આવે છે .
એક લોકપ્રિય ગીત જણાવે છે કે દુનિયા ને અત્યારે પવિત્ર અને તાજા પ્રેમ ની જરૂર છે .વાસ્તવ માં દુનિયા ને ચોકસાઈપૂર્વકની અને સાચી સમાજની જરૂર છે .સાચો પ્રેમ સમજ ઉપર અરસપરસ ના વિશ્વાસ ઉપર અને માં ઉપર આધાર રાખે છે .માત્ર લાગણીઓ ઉપરજ નહી.પ્રેમ સર્વત્ર સમાન હોય છે .પોતાની સાથે ,ઈશ્વર સાથે કે આપણા સાથીદાર સાથેનો સુમેળ એ જ પ્રેમ ,પ્રેમ એક નિસ્વાર્થતા છે.પ્રેમ ભાવનાશીલ સ્થિતિ નથી ,કે જે કલ્પનાઓ અને તરંગો ને મર્યાદા માં રાખે છે ,પરંતુ જ્ઞાન ની ઉચ્ચ સમાનતા ની સ્થિતિ છે જે જે શારીરિક રૂપરેખાથી ઉચ્ચ જાય છે .પ્રેમ ને શરીર સાથે કોઈ જ સંબંધ નથી .પ્રેમ આત્મા માં જીવે છે .આ પ્રેમ આપણ ને આજુબાજુ પથરાવા દેવો જોઈએ .આપણે જયારે આ પ્રેમ વહાવા દઈએ ત્યારે આપણે ભીંજાઈ જઈને સદાને માટે તાજા ,આકર્ષક અને તંદુરસ્ત રહીએ છીએ.
પ્રેમ વિના જીવનનો સર્વ ખજાનો આપણી દ્રષ્ટી અને અનુભવ થી દુર દુર બંધ અવસ્થા માં રહેલો છે .એના માટે પ્રેમ ચાવી સમાન છે ,

==એક પ્રેમાળ દિવસ માટે નાં વિચારો==
**મંગળવાર **

(૧) જો કોઈ તમારી સાથે ગુસ્સામાં બોલે તો તે ગુસ્સારુપી અગ્નિ ઉપર તમો પ્રેમ નું શીતળ પાણી રેડો

(૨) જ્યારે દ્વેષ કે ઈર્ષાનાં નાં સંકલ્પો પેદા થાય છે .ત્યારે સુખ ગુમાવાય છે .શુંભભાવના અને પ્રેમના સંકલ્પો દિલગીરીમાંથી મુક્ત કરે છે

(૩) તમારા પોતાના સ્વભાવ સિવાય કોઈ તમને રીબવતું નથી. તમારો સ્વભાવ મધુર અને પ્રેમાળ બનાવો .

(૪) જેના માટે એક પૈસા નું પણ ખર્ચ નથી એવા પ્રેમાળ ,સત્ય અને મધુર શબ્દો બોલો .

(૫) જો તમો એકલા છો તો તમારી કોઈ કિંમત નથી .પરંતુ તમારી સાથે પ્રેમ,મધુરતા અને સહકાર ની ભાવના છે ,તો તમે કિંમતી છો

(૬) પ્રેમથી બોલાયેલ એક શબ્દ કેટલાક લોકોના દુ:ખી હૃદય શીતળ બનાવી શકે છે

(૭) જ્યારે દરેક વ્યક્તિ પોતાને પોતાના કરતા વધારે સારો માનતો હોય તો ત્યારે શું રાષ્ટીય એકતા શક્ય છે ?

(૮) પરમાત્મા ને પાપીઓ પ્રત્યે પણ પ્રેમ છે .દરેક મનુષ્ય ઈશ્વરીય સંતાન છે .તો કોઈ પણ ઈશ્વરીય સંતાન ને ધીક્કારવાનો આપણને
કયો અધિકાર ?

(૯) જેટલો વધારે પ્રેમ કરશો એટલો વધારે પ્રેમ મળશે .ઘણો વધારે પ્રેમ હશે તો આપવામાં સરળ બનશે ,

(૧૦) જયારે એક વ્યક્તિ ઝગડવાનું ઇચ્છતી નથી તો બે વચ્ચે નો ઝગડો શક્ય નથી .

(૧૧) ઈર્ષા જ્યારે પોતાનું માથું ઉચકે છે ,ત્યારે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ પણ દુશ્મન બની શકે છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )== (POSTED IN GUJARATI BY DHAVAL NAVNEET)

સુવિચાર-શાંતિ `આજ ની વિચારધારા ‘

સમગ્ર વિશ્વની આજુબાજુ જયારે,જ્યારે સતત અશાંતિ ની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે શાંતિ વિષે વાત કરવી એ લગભગ વ્યર્થ લાગે છે .આ એક એવી સ્થિતિ છે .આપણા પોતાના શાંતિ નાં મૂળ ને શોધવાની જરૂરિયાત આપણા ઉપર દબાણ કરે છે .જેના તરફ આકર્ષણ રહેલું છે છતાંય તેનાથી દુર જઈએ છીએ ,

ફૂલ વિષે ધ્યાન પૂર્વક વિચારીએ .ફૂલો પણ અશાંત જીવન વિતાવે છે .ફૂલો પણ બગાડ તેમજ પ્રકૃતિ ની દુનિયાના સડાનો નો સામનો કરે છે .જ્યારે પણ જોઈએ છીએ .જેમ કે રસ્તા ની બાજુમાં ગીચ વિસ્તારો માં ,કાદવ ,કીચડ વચ્ચે ,રણ વિસ્તારમાં ,કાંટાની વચ્ચે ,અને ઘણી વખત ખાતરના ઢગલા ઉપર જોવા મળે છે છતાં પણ ફૂલો દરેક પળ અનંત સુંદર ,પ્રફુલ અને સુવાસિત હોય છે એવું પણ નથી કે ફૂલો દરેક સારા પ્રસંગ માટે જ વપરાય છે :ફૂલો ને ભવિષ્ય માં આવી રહેલ શાંતિ અને પ્રશાંતિના પ્રતિક તરીકે જાણવામાં આવે છે .આ તેમનો સ્વભાવ છે

આપણે પણ પ્રભુનાં બગીચાના ફૂલો છીએ .આ સાર્વત્રિક બગીચાની દરરોજની ધાંધલ ધમાલ માં આપણે પણ ભ્રષ્ટ અને નૈતિક અધ:પતનથી ભયભીત છીએ ફૂલ હોવાને નાતે આપણે આપણી સ્વાભાવિક શાંતિની સ્થિતિ માં રહી અને આપણી આજુબાજુ આ સુગંદ ફેલાવવા ઇચ્છીએ છીએ .જયારે,જ્યારે આપણને ભાન થાય છે કે આપણા આત્માની મૂળ સ્થિતિ શાંતિ સ્વરૂપ છે .ત્યારે આપણે પ્રભુ સાથે જોડાણ કરી શકીએ છીએ .પ્રભુ શાંતિ નાં સાગર છે તેથી આપણે શાંતિ સ્વરૂપ એક જીવતું -જાગતું ,ચેતનવંતુ ફૂલ બનીએ ,

===શાંતિથી ભરપુર દિવસ નાં વિચારો ===
***સોમવાર ***

(૧) જો તમે મળેલી તક ગુમાવી હોય તો તમારી આંખો આંસુઓ વાલે ભીંજવશો નહિ .તમારી નજર સાફ રાખો જેથી કરી આવી રહેલી બીજી તક ગુમાવી ન શકાય ,

(૨) કપટી મનુષ્ય કદાપી સાચી શાંતિનો આનંદ માણી શકતો નથી .તેની યુક્તિઓ તેને જ બંધનોમાં બાંધી દે છે ,

(૩) ચારિત્ર્ય એ સમાજ ,દેશ અને વિશ્વની સળગતી સમસ્યાનો એક માત્ર ઉપાય છે .ચારિત્ર્ય ગુમાવતા આબરૂ રેહતી નથી ,

(૪) તમને સોપયેલા દરેક કર્તવ્યમાં પ્રામાણિક શો તો તમારા મન,વચન ,કર્મ , આત્મવિશ્વાસ ની મહોર ધારણ કરશે .

(૫)માનવમૂલ્યો ,નૈતિકમુલ્ય ,અને આધ્યાત્મિકમુલ્યની સ્થાપના વિના સાચી સ્વતંત્રતા નથી .

(૬) શાંતિ મનને આરામ આપે છે . મન શરીરને આરામ આપે છે .ઘણીવાર આરામરૂપી દવાની જ માત્ર જરૂર હોય છે

(૭) શાંતિ અને સહનશક્તિ એક રૂપની અંદર વાતાનુંકુલનની જેમ કામ કરે છે

(૮) સફળતા મનની શાંતિ થાકી એકએક બહાર આવે છે .જે શીતળ લોખંડ છે .તેના વાલે ગરમ લોખંડ વાળી શકાય છે

(૯) મનુષ્ય જો પોતાની અંદરની શાંતિ શોધી શકતો નથી .તો શું આ દુનિયા માં શાંતિ હોઈ શકે ??

(૧૦) શાંતિ શોધવી મુશ્કેલ છે કારણ કે તે તમારી ધ્રાંણેન્દ્રિયથી પર છે

==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ‘ તરીકે રજુ કરેલ છે )==posted in gujarati by Dhaval Navaneet