શિક્ષણ ભૌતિક દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટીએ જરૂરી છે .પરંતુ જીવન સફળ બનાવવાની દ્રષ્ટીએ .જીવનની દરેક પળમાં નવીનતાનો અનુભવ કરવાની દ્રષ્ટીએ.પ્રત્યેક દિવસને નૈતિક ઉન્નતિના અને પ્રસન્નતાના દિવસ તરીકે અનુભવ કરવા માટે અને નિરંતર શાંતિ હોવા માટે સૌ પ્રથમ ‘સ્વ ‘ નું જ્ઞાન ઘણું જ જરૂરી છે અને અગત્યનું છે .
આપણામાં કહેવત છે કે,પહેલા તમારી જાત ને જાણો.જેના અનુસંધાને ઘણા અનાથ બાળકોએ સતત અને સખત સંસોધન તેમના ભૌતિક માતાપિતાના નામ નિશાન જાણવા માટે કરેલ છે .તદુપરાંત આજના માનવે દુર દુર અને વિશાળ વિચિત્ર ઘટનાઓનો સામનો કરેલ છે .અને અત્યંત ખર્ચાળ સંસોધન તરફ આશાવાદી છે .
આજે જોકે વિશ્વમાં દરેક બાળક અનાથ બનેલ છે .જેઓ પોતાના પરમ પિતાને ભૂલી જાય છે ,અને ‘ સ્વ’ ને ભૂલી ગયેલ છે . ‘સ્વ ‘ જ્ઞાન અર્થાત પોતે એક અવિનાશી આત્મા છે .એ જ સત્ય છે .આધ્યાત્મિક વિષયો તરફ વળી ‘સ્વ ‘ નો અનુભવ કરવો એ જ સત્ય છે .પરમાત્મા ઉચ્ચ તે ઉચ્ચ જ છે , વાસ્તવમાં તે જ ઉચ્ચ શિક્ષક છે .પરમાત્મા જ્ઞાનના સાગર છે .અને પરમાત્મા ને જાણવાથી તમો સર્વસ્વ જાની શકશો …
===જ્ઞાનથી ભરપુર દિવસના વિચારો ===
***ગુરુવાર ***
>>બીજા ઉપર શક્તિ અને સત્તા એ સાચી શક્તિ અને સત્તા નથી ,પરંતુ ‘સ્વ ‘ ઉપર હોવી જોઈએ
>>કોઈપણ કર્તવ્ય કરતા પહેલા એક ક્ષણ માટે અટકી જાઓ, કર્તવ્ય ની અસર વિષે વિસ્તારો ,ત્યારબાદ શરુ કરો ,
>>જો હું હમેંશા મારી જાત ને અન્ય સાથે સરખાવીશ તો ઈર્ષા અથવા અભિમાન થી પીડાઈશ,
>>ચાર વસ્તુઓ તમારું જીવન બગાડી મુક્યું છે જે ‘હું’ અને ‘મારું ‘ , ‘તું ‘ અને ‘તારું ‘તેમને ભૂલી જાવ
>>જે જ્ઞાન ધનસંપત્તિ છે તો તમારી જાત ને પૂછી જુઓ કે હું કેટલો સંપત્તિવાન બન્યો છું
>>અત્યારે હાલ જ લોભ ઉપર વિજય મેળવો કારણ કે જ્યારે મનુષ્ય ઘરડો થાય છે ત્યારે લોભ યુવાન બને છે
>>કોઈ વાત ને સમજવા માટે જ્ઞાન જરૂરી છે .પરતું એને અનુભવવા માટે અનુભવ જરૂરી છે
>>જો હું ભૂતકાળને મજબુત પકડી રાખીશ તો વર્તમાનકાળ મુશ્કેલ બનશે અને ભવિષ્યકાળ અશક્ય બનશે ,
>>હાલની ઘડીએ જે તમારી પાસે છે તેની કદર કરી શકતા નથી તો ભવિષ્ય માં થનાર સંગ્રહનું મુલ્ય કેમ કરશો
>> માત્ર જગ્યા પછી તમને યાદ આવે છે કે તમે ઊંઘતા હતા
==(મેનેજીંગ તંત્રી શ્રી રોબર્ટ બેસ્ટ તથા એડવોકેટ બાર્બેડોઝ દ્વારા તૈયાર થયેલી અંગ્રેજી પુસ્તિકા “થોટ ફોર ટુડે ” નું ગુજરાતી અનુવાદ તથા ભાવનુંવાદ ભાવનગર નાં બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિ એ કર્યો છે તે પુસ્તિકા નું નામ `આજ ની વિચારધારા ` તરીકે રજુ કરેલ છે )==
Posted by Dhaval Navaneet in gujarati
Filed under: આધ્યાતમિક, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જ્ઞાન- `આજ ની વિચારધારા, ભરત સુચક, વિચારધારા, સુવિચાર, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, `આજ ની વિચારધારા ' | Leave a comment »