મંગલ મંદિર ખોલો, દયામય !
મંગલ મંદિર ખોલો,
જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો ;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો, દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો ;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ – અમીરસ ઢોળો, દયામય !
મંગલ મંદિર ખોલો !
– નરસિંહરાવ દિવેટિયા
Filed under: આધ્યાતમિક, નરસિંહરાવ દિવેટિયા, ભક્તિ, ભજન | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, દયામય !, નરસિંહરાવ દિવેટિયા, ભજન, મંગલ મંદિર ખોલો, bhajan, gujarat, gujarati, gujaratibhajan, gujaratikavitaanegazal | Leave a comment »