જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખથી ઉભરાય છે ખુશી.
તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.
વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.
ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી મલકાય છે ખુશી.
સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.
-વિવેક મનહર ટેલર
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, વિવેક મનહર ટેલર | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી, વિવેક મનહર ટેલર, ghazal, gujarati gazal, gujarati git, gujaratikavitaanegazal | Leave a comment »