લીધી વિદાય અંતે સ્વજનોતણી તમે,

લીધી વિદાય અંતે સ્વજનોતણી તમે,
લીલા બધી વિલોકી સાક્ષી બની અમે.

ના શોક ના શિકાયત સંતાપ સ્વલ્પયે ના
જોવા મળ્યો તમારા મુખમંડલે ઉરે ના.

સંપૂર્ણ મોહમાર્જન અધ્યાત્મનું ઉપાર્જન
પામ્યાં પરમ કરીને બંધનતણું વિસર્જન.

સર્જન કર્યું નવું શું આનંદમય અલૌકિક,
શાશ્વત સુવાસ પ્રગટી પાછી અનંત વૈદિક.

વર્ષી શુભાશિષોને શાશ્વત સમાધિ લીધી
કલ્યાણપંથ કેડી રમતાં જ શીઘ્ર ચીંધી.

મસ્તક તમારા ચરણે સાદર ભલે નમે,
દીક્ષા વિદાય કેરી પામી શક્યાં અમે.

– શ્રી યોગેશ્વરજી

તું નાનો, હું મોટો

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો….

પ્રેમશંકર ભટ્ટ.

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે..

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે .. કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે .. કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને

દયારામ

હરિ, જેવો તેવો હું દાસ તમારો

હરિ, જેવો તેવો હું દાસ તમારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો ..

સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,
શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..

નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ,
શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ..

અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી,
અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ..

વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ..

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,
આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ..

સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી,
શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી ..

દયારામ

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !
મૂલક ઘણા જોયા રે ! મુસાફરી થઈ છે ઘણી !

સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ !
ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ,
સમઝીને ચાલો સૂધા રે ! ના જાશો ડાબા કે જમણી. મનજી !

વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર,
માટે, વળવા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર,
મળ્યો છે એક ભેદુ રે ! બતાવી ગતિ સહુ તે તણી. મનજી !

માલ વહોરો તો વહોરો શેઠના નામનો, થાય ના ક્યહું અટકાવ,
આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ,
એટલા સારું રે ! ના થાવું વહોતરના ધણી. મનજી !

જોજો, જગતથકી જાવું છે, કરજો સંભાળીને કામ,
દાસ દયાને એમ ગમે છે – હાંવા જઈએ પોતાને ધામ,
સૂઝે છે હાંવા એવું રે ! અવધ થઈ છે આપણી ! મનજી !

દયારામ

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદ

મારું મારું કરતો માનવ,જગતમાં એફરતો જ જાય

મારું મારું કરતો માનવ,જગતમાં એફરતો જ જાય
મળી જાય જ્યાં અપંગતા,ત્યાં એ તારું કહેતો થાય
……….મારું મારું કરતો માનવ.

નિર્ધનતાને પામતા જગતમાં,સમય શોધવાને જાય
મહેનતને જ્યાં નેવેમુકે,ત્યાં નાકોઇ મારું એને દેખાય
અહંકારની ઓટલી મળતાંતો,ઉંમરાઓ એ ચુકી જાય
સ્વાર્થમોહને લોભ છોડતાં,કંઇક કંઇક મારુંએ સમજાય
………..મારું મારું કરતો માનવ.

સકળ સૃષ્ટિના કર્તારે દેહને,દીધો જન્મ મરણનો સાર
સફળ જન્મની એકજ લકીર,જ્યાં ભક્તિ થાય અપાર
મારું તારું ના બંધન તુટતાં,થઇજાય જીવનો ઉધ્ધાર
આંગણેઆવી પ્રભુ કહે,દઇદે તારા જીવનનો સહવાસ
………..મારું મારું કરતો માનવ.

-પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવકારમત્ર

રાતે નિદર દિવસે કામ-જૈન સ્તવન,

ભક્તિ કરતા છુટૅ મારા પ્રભુ એવુ માગુ છુ-જૈન સ્તવન,

હતો હું સૂતો પારણે પુત્ર નાનો-દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો

મને દુખી દેખી દુખી કોણ થાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે

મને સુખ માટે કટુ કોણ ખાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

લઈ છાતી સાથે બચી કોણ લેતું

તજી તાજું ખાજું મને કોણ દેતું

મને કોણ મીઠા મુખે ગીત ગાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી

પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી

પછી કોણ પોતાતણું દૂધ પાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

તમે મન મુકીને વરસ્યા, અમે જનમ જનમના તરસ્યા

ઓ પરમકૃપાળુ પરમેશ્વર

ઓ પરમકૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળ પંથ બતાવોને

મારો જીવનપંથ છે ભૂલ ભર્યો
સ્વારથનો ઝંઝાવાત નર્યો
એ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સર્વનું હિત વસાવોને

ઘડી રાગ કરું ઘડી દ્વેષ કરું
ઘડી અંતરમાં અભિમાન ભરું
છે અહંકારની અગન તણા
મુજ દિલના ડાઘ બુઝાવોને

તમે સ્નેહતણા છો મહાસાગર
નિષ્કારણ બંધુ કરુણાકર
હે સ્નેહસુધાની સરવાણી
મુજ ઉર આંગણ પ્રગટાવોને

છો માતપિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના વાલેસર
એ વ્હાલની વાટ બતાવોને

સવિજીવન મિત્ર બનાવો મને
પ્રભુ ભાવધરી વિનવું તમને
એ આત્મદર્શનના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
એ વિશ્વપ્રેમના પાઠ પ્રભુજી

જૈન સ્તવન

તું મને ભગવાન એક વરદાન આપી દે,

તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન,
જીન્દગીનું નામ છે બસ બોજ ને બંધન
આખરી અવતારનું મંડાણ બાંધી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ,
બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ
દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ,
જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ
મતલબી સંસારનું જોડાણ કાપી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

જૈન સ્તવન

મરતા નથી હોતા બધા લોકો મોતથી,

મરતા નથી હોતા બધા લોકો મોતથી,
કોઈને જિંદગીનો માર લાગે છે.
અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.
લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,
નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.
ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,
તકદીરની તલવાર ધારદાર લાગે છે.
મુશ્કેલ બને છે જીવવું જ્યારે,
મોત સહેલું, જીવન પડકાર લાગે છે.
માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,
એને તો આવતાય કેટલી વાર લાગે છે.

– અજ્ઞાત

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,- દાન વાઘેલા

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે.

પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !
નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે.

હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.

અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.

સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,
અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.

ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઇ

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

જીતના જિસકે ભાગ્ય મેં લિખા,..(૨) ઉતના હી પાતા હૈ ..unknown

જીતના જિસકે ભાગ્ય મેં લિખા,..(૨) ઉતના હી પાતા હૈ ..
શિવ લેહરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

જીતના જિસકે ભાગ્ય મેં લિખા ..(૨) ઉતના હી પાતા હૈ ..
શિવ લહેરી રી … હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

ચાહે અમીર હો , ચાહે ગરીબ હો, ઉનકો એક સમાન ..
ચાહે ગરીબ હો, ચાહે અમીર હો ,ઉનકો એક સમાન ..

સબકી બીગડી વોહી બનાયે … (૨) વોહ સબકા ભગવાન ..
શિવ લહેરી .. હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ ..(૨)

રાજા હો યા રંક સભી હૈ, ઉનકે ચોકીદાર .. (૨)
દેવો મેં વો મહાદેવ હૈ .. (૨) ભૂતો કે સરદાર ..

શિવ લહેરી..હર ભોલે…
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ … (૨)

ભગવે મેં ભગવાન છુપા હૈ , માનવ તું પહેચાન .. (૨)
નકલી રંગ કે કપડે રંગે હૈ, નકલી રંગ કે કપડે હૈ ..
સાધુ નહિ શૈતાન …

શિવ લહેરી .. હર ભોલે ..
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

ભગવે મેં ભગવાન છુપા હૈ , માનવ તું પહેચાન .. (૨)
નકલી રંગ કે કપડે રંગે હૈ .. (૨) સાધુ નહિ શૈતાન …

શિવ લહેરી .. હર ભોલે ..
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

બડે બડે મંદિર બનવાકે, નામ કી તકતી લગાતે હૈ .. (૨)
દરવાજે પે તાલા બંધ હૈ .. (૨)
પુજારી હૈ રાજ …

શિવ લહેરી.. હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..

દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..

દીવી કહે તું ગીર કે સંભલજા, યેહ જગ હૈ નાદાન ..
તેરા બનાયા તુજ કો બનાયે … (૨)
માનવ નહિ શૈતાન .. (૨)

શિવ લહેરી… હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

જીતના જિસકે ભાગ્ય મેં લિખા ..(૨) ઉતના હી પાતા હૈ ..

શિવ લહેરી રી … હર ભોલે …
શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

શિવ લહેરી કે દરબાર મેં સબકા ખાતા હૈ .. (૨)

શિવ લહેરી કે દરબાર મેં, સબકા ખાતા હૈ …

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

તુષાર શુક્લ

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

લોકગીત

ધ્રૂજતી જ્યોત

વિચારો ક્રાન્તિકારી લઈ અસ્વસ્થ થઈ ફરૂં છું હું
જે હાલત છે જમાનાની બહુ તેથી ડરું છું હું

ઘણી વાતો કરું હું ઉગ્રતાવાદી જગતને પણ
જે દિલમાં છે તે બોલું તો વિનાં વાંકે મરું છું હું

વિચિત્ર માન્યતાની બેડીઓ લાગેલી છે પગમાં
કલમથી તોડવા તેને કલમબાજી કરું છું હું

વિના ધર્મોની દુનિયાની કરું છું કલ્પના જ્યારે
નવા રૂપ્ રંગમાં આ ધરતીના દર્શન કરું છું હું

સમર્થન ક્યાં મળે મારા વિચારોને કલિયુગમાં
હું તો છું એકલો તેથી જમાના થી ડરું છૂ હું

પ્રગતિશીલ વિચારોના શિકારીથી ડરીને હું
જમાનાને પસંદ આવે છે તે વાતો કરું છું હું

વિચારોને કબરમાં લઈ જવાના પાપથી બચવા
વિચારોને ઇશારાઓમાં વ્યક્ત કરતો ફરું છું હું

મેં જોયા રંગ દુનિયાના બદલતાને બગડતા પણ્
અધર્મ, ધર્મ થઈ ચમકે તો આહ ઊંડી ભરું છું હું

પ્રભુથી પ્રેમ છે મારો, મને છે પ્રેમ પંથ પ્યારો
પવિત્ર પ્રેમથી ભરપૂર ધર્મ હૈયે ધરું છું હું

નહીં ધર્મોમાં પણ સુકર્મોમાં છે મોક્ષનો રસ્તો
‘સૂફી’ કહેછે કે શાસ્ત્રોમાં કહી વાતો કરું છું હું

‘સૂફી’ પરમાર

વિચાર વલોણુ – જયકાંત જાની ( અમેરીકા )

[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં !

[2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં !

[3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] તમારી ખોટુ બોલવાની આવડત ને લીધે , તમે જે ખોટુ બોલો છો તે પત્ની સાચુ માની લેતી નથી !

[5] તમારા લગ્ન સંસારને ટકાવી રાખવા માટે મૌન રહો, બોલવું જ પડે મનમા બોલીને જ પતાવો !
[6] ચંદ્રમુખી કે સુર્યમુખી લાગતી પત્નીને કાળમુખી થતા વાર નથી લાગતી !

[7] કુમળી વેલ જેમ વ્રુક્ષ ને વીંટળાઇ રહે તેમ ગર્લફ્રેન્ડ ભલે તમને વિંટળાઇ રહે પણ યાદ રાખજો કે વેલને સહારો આપવામા આખરે વ્રુક્ષજ ભીંસાવાનુ છે.

[8] કોઈને સ્વાર્થ વગર પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. લાભ વગર , લાલો નહીં લોટે નથી !

[9] પ્રેમને અને વાસનાને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી વાસના ના વહાણ વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] તમારી ઈચ્છા મુજબ તમારા સંતાનો વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે તમેય ક્યારેક સંતાન હતા ને !

[11] નવી ગર્લ ફ્રેન્ડ ની આરતિ ઉતારવામા કશું ખોટું નથી પણ જુની ગર્લ ફ્રેન્ડને અવગણવામાં પ્રેમનુ જ અપમાન છે, કારણ એ એ જ ગર્લ ફ્રેન્ડ છે જેના સ્મીત પર તમે જ મરતા હતા તેની આંખના આંસુ તમારે જ લુછવાના જ છે !

[12] પત્ની ની હથેળીમાં મૂકેલો પૈસો લાંબો ટકતો નથી, ઉદારતા પણ નહીં. ચુમીઓ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સ્વાર્થના સંબંધો જલ્દી તુટ્તા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ ટકાઉ સંબંધો લઈને આવતો હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] પ્રેમમા હરીફાઇ હોતી નથી, પ્રેમ મા હારજીત હોતી નથી!

[15] પૈસા કમાવાઇને તુ પરેવાની રોટલી ખાજે , પરસેવો વળે ત્યા સુધી રોટલી ખાતો નહીં !

[16] દરેક ખોટી વાસના નો ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે સબુરી હોવી જોઈએ.

[17] પ્રેમીકા ને પ્રેમ કરતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી આવક અને બીજી પ્રેમીકાનો હાથખર્ચ !

[18] વિધાતાએ દરેકને શ્રાપ આપેલો જ છે, ખાસ કરીને પતિઓને…. કે પત્ની સામે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, મર્દાનગી પણ નહીં, ઝુકવુ જ પડે છે !

[19] પતિ અને પત્ની નો સંબંધ અને સાસરીયા સાથે સંબંધ એ બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] કલ્પના નો વિસ્તાર અપાર છે. પામે છે કોણ ? સપ્ના ના સૌદાગર . પ્રેમ ક્ષેત્રમાં આવું જ હોય છે, પ્રેમીઓ જ પામી શકે છે, લગે પ્રેમજી ભાઇ !

[21] તમારી બે હાલીની ખબર એક પત્ની અને બીજી પે્મીકાને જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, પ્રેમીકા તેનું નિવારણ !

[22] સત્યવાદી હરીચદ્ર બનવાની ઈચ્છા કોઇની હોતી નથી, પણ ઉપરવાળો કર્મોનો ભોગવટો ભોગવાની ફરજ પાડે છે , તેનો ભય એને સતકર્મો કરવા મજબૂર કરે છે, ખરૂને !

[23] તમે સંસાર પાછળ પડ્યા છો તો મોહ માયા એ આગળ જ રહેવા્ના છે, ભગવાન તમારા થી દુર એ ખ્યાલમાં રાખજો !

[24] મોહીની વશીકરણ થતાં વાર લાગે છે, વળગાડ કારણ વગર પણ થઈ શકે છે !

[25] પ્રેમ કરો કે ન થાય એટલે દુનિયા લુટાઇ જતી નથી , દુઃખી થવાની જરૂર નથી, પ્રેમીઓની પડતીના બીજાં અનેક કારણો છે, એટીટ્યુમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] પ્રેમીઓ માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ રૂપ, રસ, ગંધ , સ્પર્શ અને સંવનની છે, ચાન્સ મળે પૂરી કરો, તેઓ તુપ્ત થશે અને તુપ્ત કરશે !

[27] તમારી પત્નીને વિધવાની જેમ અને સંતાનોને અનાથબાળકો જેમ ટ્રેઇન કરો એટલે તમે નહીં હો તો કશું જ અટકી જશે નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે સંસાર નો ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !

[28] હુ તમારી છોકરી ને ચાહુ છુ એમ કહેવુ એ કોઇની છોકરીને ભગાડી જવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી સુખનો આધાર તમેજ છો બીજા તમને સુખી કરશે , એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવી માં ક્યાંય મળતી નથી, ને વેચી શકાય માત્રુત્વ કદી હોતું નથી !

ચિંતન-પંચામૃત – હિમાંશુ શાહ

1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં !

[2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !

[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !

[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !
[6] સવારે જ ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું જ રહેતું નથી !

[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?

[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. એ ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !

[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !

[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એ ઊગતા સૂરજનું જ અપમાન છે, કારણ એ એ જ સૂરજ છે જેને સવારે તમે જ પૂજ્યો હતો ને કાલે પાછો એ ઊગવાનો જ છે !

[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, એ નિતાંત છે, નિશ્ચલ છે !

[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ બને છે, સુવર્ણરજની નહીં !

[16] દરેક ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.

[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !

[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !

[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું જ હોય છે, મરજીવા જ પામી શકે છે, લગે રહો !

[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !

[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !

[23] તમે જેની પાછળ પડ્યા છો એ આગળ જ રહેવાનો છે, એ ખ્યાલમાં રાખજો !

[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !

[25] લગ્ન ન કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !

[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ અટકી જવાનું નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !

[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !

ઘર ક્યારે મંદિર બને?

  વિશ્વ  આખા માં પ્રવાસ કરનાર ને પુછવામાં આવે કે , હવે તમને સોથી વધારે  કંઇ લાગણી થાય છે?તો જવાબ મળશે ,મને થાય છે કે હવે બને એટ્લી ઝડપ થી હું મારા ઘરે જાઊં. ઘર એટ્લે દરેક માણસે ખુલ્લી આંખે જોયેલું એક સવજિવન નું સપનું . ચાર દિવાલ વચ્ચે ની આખી સૃષ્ટિ માણસ ની પોતાની છે. ઘર એક સાંત્વના છે .બાળક જેમ માતા ની ગોદ માં નિશિન્ત થૈ જાય છે. તેમ દરેક માણસ ઘર માં જઇ    હળવો થઇ   જાય છે. ગૃહસ્થ  જિવનની ઇમારત પ્રેમ થી બનેલી છે. તેના પાયા માં પ્રેમ છે. તેની  દિવાલો પ્રેમ ની ઇટો થી ચણેલી છે. તેના       છત માં પ્રેમ છે. પરિવાર માં સવ જીવ પણ પ્રેમ રુપી તાતણાં થી બંધાયેલા છે.પ્રેમ એ પ્રભુ નાં અમાપ સ્નેહ  નું નિરુપણ છે. લાગણી ભી નાં સબંધો પ્રેમ દ્વારા જ સચવાતા હોય છે.   પ્રેમ એ એવુ પુરણ છે ….જે મોટાંમોટાં રાગ-દ્વેષ, ઇર્ષા -વેર રુપી ખાડાઓ પુરી દેવાને સામાર્થ્ય હોય છે.પ્રેમ દ્વારા હોમ લાઇફ ને ગુલાબની જેમ મહેકાવી શકાય છે.ઘરમાં બધા એક  બીજાની હુફ ના    ભુખ્યા હોય છે. પરિવાર એ પણ એક યાત્રા છે્ તિર્થ સ્થાનના દર્શને જવું, દેવ દર્શન કરવાં , સત્સંગ કરવો ,એ જ માત્ર યાત્રા નથી . કુટુંબ માં   સર્વે સા થે રહે ,સાથે જીવે, એક્બીજા નાં સુખ દુઃખ ના ભગીદાર બની પણ એક યાત્રા છે.પરિવાર એટ્લે   પતિ -પત્નિ નો ઘર સંસાર એવું નથી . પરિવાર  માં તો માતા-પિતા હોય, ભાઈ-બહેન પણ હોય, દીકરાઓની વહુ ઓ પણ હોય, બધાંજ એક બીજા ની સાથે હળી -મળી ને ,પ્રેમ ને આનંદ થી રહે તેનું નામ છે પરિવાર… પરિવાર માં પોતાના જ સ્વાર્થ નો નહીં , સમગ્ર કુટુંબ ના હિત નો વિચાર કરવાનો હોય છે.એક બીજા  માટે ઘસાવવાનું હોય,

એક્બીજા ને આપવાની ભાવના હોય , લેવાની વૃત્તિ ના હોય ..પરિવાર માં સંવાદિતાની સુંગન્ધ હોય,

વિખવાદ ન હોય અને તો જ પરિવાર એક યાત્રાબની શકે છે. મંગલ તીર્થ બની શકે છે..

ટુંક માં જે ઘર આનંદથી ભર્યું ભ્રુર્યું હોય, પત્ની સારા અને હિતકારી વચનો બોલતી હોય,જેનું ધન પ્રભુ કાર્ય

માટે વપરાતું હોય…..

સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો ની મર્યાદા પાળવાનું

અઘ…રું લાગે  છે.સહનશીલતા ઓછી થઈ ગઈ છે.. ટુંકા સ્વાર્થ ના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા

લોકો અચકાતા નથી . સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે.

આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે.

દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબ દારી ઓ લેવી નથી ..ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો

ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘર માં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે..ઘર નો વડિલ એ નથી કે જે ઉંમર માં

મોટો હોય પણ એ છે કે

જે ઘર ને સ્વર્ગ બનાવે છે..બધાને એક સાથે રહેતા શીખવે છે.. જેને કોઇ સ્વાર્થ નથી … જે બીજા માટે કૈક

કરવા હમેશા તત્પર રહે….

સંયુક્ત કુટુંબ ભાંગી ગયા છે, કારણ કે બધાને સ્વતંત્ર થઇ સ્વછંદતાનો આનંદ માણવો છે. વડિલો નિ મર્યાદા પાળવાનું

અઘરું લાગે  છે.સહનશીલતા ઓછી થઈ ગઈ છે.. ટુંકા સ્વાર્થ ના સંતોષ ખાતર કુટુંબ ના ભાગલા પાડતા

લોકો અચકાતા નથી . સંયુક્ત કુટુંબ ની પ્રથા ભાંગી ગઇ છે.

આજના વાતાવરણ માં સંયુક્ત કુટુંબ કરતા વિભક્ત કુટુંબો ની વિભાવના પૂર બહાર ખીલી રહી છે.

દરેક ને સ્વતંત્ર રહેવું છે. જવાબ દારી ઓ લેવી નથી ..ઘરનું વાતાવરણ આનંદ દાયક અને મધુર તો

ઘર નો વ્યક્તિજ બનાવી શકે છે. ઘર માં કુસંપ પેદા કરાવનાર સ્ત્રી જ હોય છે..ઘર નો વડિલ એ નથી કે જે ઉંમર માં

મોટો હોય પણ એ છે કે

જે ઘર ને સ્વર્ગ બનાવે છે..બધાને એક સાથે રહેતા શીખવે છે.. જેને કોઇ સ્વાર્થ નથી … જે બીજા માટે કૈક

કરી ફિટવા  હંમેશા તૈયાર હોય છે.

ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …તે મકાન ઘર ત્યારે જ બને છે , જ્યારે એ

મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણિ નો પ્રવાહ વહેતો રહે! વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમરપણ ની

ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય,  . તો જ પરિવાર બની શકે છે.કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે.,

જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…

ઇંટ અને સિમેન્ટ થી માત્ર મકાન બની શકે છે પણ ઘર બનતું નથી …તે મકાન ઘર ત્યારે જ બને છે , જ્યારે એ

મકાન માં વસનારાઓ વચ્ચે અવિરત લાગણિ નો પ્રવાહ વહેતો રહે! વ્યક્તિ માં પરોપકાર ની ભાવના , દયા, સેવા ,સમરપણ ની

ભાવના હોય ,બીજા માટૅ ત્યજવાનો કે સહિષ્ણુતાનો ગુણ હોય,  . તો જ પરિવાર બની શકે છે.કુટુંબ એ મુંગી પાઠ્શાળા છે.,

જ્યાં આવું પવિત્ર વાતાવરણ હોય ત્યારે ઘર એક મંદિર બને છે…

વપરાતું હોય, બાળકો આજ્ઞા પાલક હોય, જ્યાં અતિથિ નો સત્કાર થતો હોય, વડિલોનો આદર કરાતો હોય ,

અને ઘરના બધાજ સભ્યો હળી મળી ને પ્રભુ ની  પ્રાર્થના કરતાં હોય તેનું  ગૃહસ્થ  જિવન ધન્ય બને અને મંગલ

તીર્થ બની શકે.જ્યાં કલેશ હોય ત્યાં નો પ્રભુ  વાસ હોતો નથી.

ઘડપણની વ્યાખ્યા શી ?

આજકાલ બધું જ બદલાઈ રહ્યું છે અને વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે.
પરિવર્તનની ઝડપને કારણે અક્કલ બહેર મારી જાય તેવું પણ થાય છે.
ઘડપણની વ્યાખ્યા શી?
ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ.
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.
જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.
’પ્રત્યેક સૂર્યાસ્ત નવું અંધારું મૂકતો જાય છે.
પ્રત્યેક સૂર્યોદય નવું અજવાળું લેતો આવે છે.
છાશ પીવાનું ઘટતું જાય છે અને બિયર પીવાનું વધતું જાય છે.
ગોળપાપડી ખાવાનું ઘટતું જાય છે અને ચોકલેટ ખાવાનું વધતું જાય છે.
ગાય પાળવાનું ઘટતું જાય છે અને કૂતરા પાળવાનું વધતું જાય છે.
ચાલવાનું ઘટતું જાય છે અને ‘સ્કૂટરવાનું’ વધતું જાય છે.
વિચારવાનું ઘટતું જાય છે અને ડાચું વકાસીને ટીવી જોયા કરવાનું વધતું જાય છે.
લોહીની સગાઈની અને લગ્નસંબંધની બોલબાલા ઘટતી જાય છે.
અને મનમેળના માનપાન વધતાં જાય છે.
માબાપની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહુકમી વધતી જાય છે.
ભાખરીની જગ્યાએ બ્રેડ અને ઢેબરાની જગ્યાએ પિઝાનું ચલણ વધતું જાય છે.
લીંબુનું શરબત એકાએક લિમકા બની જાય છે.
યુગલ હોય એવા કપ–રકાબીની જગ્યાએ વાંઢો ‘મગ’ આવી જાય છે.
ઘરે ઘરે ગૃહિણીઓ કહેતી થઈ છેઃ ‘આજે બહાર જમી આવીએ.’
સ્કૂટર નારીમુક્તિનું વાહન બની રહ્યું છે.
જૂની આંખે નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે.
આવી મજા ન માણી શકે તેવી અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે.
ઘડપણ મનની અવસ્થા છે.
નવી પેઢીને ઓરડો છોડતી વખતે સ્વિચ ઓફ કરવાની ટેવ હોતી નથી.
કેટલાક ઘરોમાં ઉંમરલાયક વડીલ સતત સ્વિચ ઓફ કરતા જ રહે છે.
બાથરૂમમાં દિવસે પૂરતું અજવાળું હોય તોય
લાઈટ ચાલુ કરીને સ્નાન કરવાનું નવી પેઢીના યુવક–યુવતીઓને ગમે છે.
ઓછા પાવરનો બલ્બ એમને બિલકુલ ગમતો નથી.
શિયાળામાં પણ ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું એમને ગમે છે.
શિયાળામાં પણ પંખો ચાલુ રાખીને સૂઈ જવાનું વ્યસન કેળવાતું જાય છે.
પૈસા વધારે ખર્ચાઈ જાય તે અંગેની યુવાનોની લાપરવાહી વડિલોને અકળાવે છે
જૂની પેઢીને બગાડ પજવે છે, નવી પેઢીને બગાડ પજવતો નથી.
જમાઈઓ દીકરા જેવા થતા જાય છે અને દીકરાઓ જમાઈ જેવા થતા જ
એક મિત્રે કહેલુઃ
‘ટીવીને કારણે મારી નવ વર્ષની છોકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ !’
હનિમૂન પર જઈ આવ્યા પછી તરત જ છૂટાછેડા લેવાય તેવા બનાવો વધતા રહેવાના છે.
આવું બધું વાંચીને મોટરાઓએ અકળાવાની જરૂર નથી.
જીંદગીભર કણસતા રહીને પતિ–પત્ની સંસાર વેંઢારે
તેના કરતાં છૂટાં પડી જાય તેમાં કશું ખોટું નથી.
પવન, ઝરણું અને વાદળ તો વહેતાં જ રહેવાના છે.
ટીવીની સિરિયલ જોઈએ, એ જ રીતે પરીવર્તનને નીરખવાની મજા માણવા જેવી છે.
સરતિ ઈતિ સંસાર
જે સરતો રહે છે તેનું જ નામ સંસાર.

જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ  તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત

યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ

વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો

યુવાન માણસ બધા નિયમો (સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ

યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી

યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું  મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી

તમારા  સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં  તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત

સુવિચાર

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

સુવિચાર

હે ભગવાન !

જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે

પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

સુવિચાર

(૧)એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે , એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!

(૨)સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!

(૩)લાકડાનો અગ્નિ લાકડાને બળે છે , તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!

(૪)આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!

(૫)સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ , કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,

(૬)ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નમ્ર બનો પણ નમાલા ના બનો!

(૭)કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!

(૮)સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી પ્રાર્થના છે!

(૯)પ્રાર્થના આત્માનો ખોરાક છે! નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!

(૧૦)જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી, જેની વાણીમાં અમી તેને દુનિયા નમી!

(૧૧)જીવનનો આધાર વાણી અને પાણી પર છે! ઈચ્છા દુખની માં છે!

(૧૨)ઉપવાસ તૂટે તો વાંધો નહિ , કોઈનું દિલ ના તૂટવું જોઈએ!

(૧૩)માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંચું નથી હોતું, માણસ મરે ત્યારે કફનને ખીંચું નથી હોતું!

(૧૪)અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!

(૧૫)ચારિત્ર એટલે સારી ટેવ ,સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!

(૧૬)સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જ જોઈ શકાય છે!

(૧૭)સાચી સુંદરતા કોમળતામાં છે અને કોમળતા અલંકારને વહી સકતી

નથી!

(૧૮)ક્ષમા આપવી સારી બાબત છે પણ, તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!

(૧૯)શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે , તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!

(૨૦)જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!

(૨૧)જીવનન મુખ્ય ચાર સુખ છે:

—–પહેલું સુખ જાતે નર્યા,

—–બીજું સુખ ઘેર દીકરા,

—–ત્રીજું સુખ કોઠીએ જાર,

—–ચોથું સુખ સુલક્ષણા નાર!

(૨૨)દુખના બે પ્રકાર છે:

—–કર્મ અનુસારનું આવી પડતું દુખ અને

—–બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!

(૨૩)જાગતાની સાથે જ મરણનું સ્મરણકરો જીવનનું મહત્વ સમજાશે!

(૨૪)મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે??? ફૂલડાં ડૂબી જતાને પથરા તારી જાય છે!

(૨૫)છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે!

(૨૬)ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે, તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન કરતા હોય છે!

(૨૭)તિલક કરતા ત્રેપન ગયા, જપ-માળાના નાકા ગયા, ચાલી ચાલી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ

સુવિચાર

1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં,

પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો.

2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તો minute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે…

પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!!

3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવીપણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં.,

એમાં સંબંધઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!

4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતેખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.

5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.

6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયા મિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે

7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અને ટેન્શન…ત્રણ ”ટ”

પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અને પાવર …. મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન…

8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.

9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓછે.

10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજયરથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપર ગોઠવી, વિવેક બુદ્દિધને સારથી બનાવિ . સામ,દામ,દંડ,ભેદ નામના ચાર હણહણતા ઘોડા પર વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશોતો જીવન સંગ્રામ જીતશો.

11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.

12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જે ભૂતકાળને વલોવતો ના હોય, ભવિષ્ય ની ચિંતા કરતો ના હોય અને વતૅમાન માં જીવતો હોય તે સુખી છે.

13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારે સહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતા નહી.

14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી.તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી,

કોઈને દુઃખ દેવાની તમારીભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.

15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી, વતૅન અને કમૅની સુગંધથી શોભે છે.

16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.

17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારી જેમ બીજા માટે વરસી જાઓ,ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદા ગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.

18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવીફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.

સુવિચાર

પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ… પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,

એ જોઈને દિલ રડી પડયું………

“શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને

વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે.”

માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ…
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છેખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ .

માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને

તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.

જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!માટે જ, સતત ગતિશીલ રહો! ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં. ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે. જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે.

મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.

એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!

જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તેની ચિંતામાં પડવા કરતાં કિતાબના કોરા પાના સારા કર્મોથી લખાય તેની ચિંતા કરો .

એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું. – શૈલ પાલનપુરી

સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.

દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે.
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે?

સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે. માણસ એકલો પડતો જાય છે. ખુશીમાં સાથે હસે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે. મારું કોણ? એવા પ્રશ્નોના જવાબ મેળવવા જયારે વિચાર કરવો પડે ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે. ખટપટ, કાવાદાવા અને ટાંટિયાખેંચ એ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે. દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ.

સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે? ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને જ છેતરતો હોય છે.

સંબંધોને નેવે મૂકીને કયારેય સુખ મળી શકે નહીં. ઘણા લોકો સંબંધો જાળવવા માટે મહેનત કરતા હોય છે. કેટલાક લોકો સંબંધો માટે પેંતરા પણ કરતા હોય છે. સાચા સંબંધો મેઇન્ટેઇન કરવા મહેનત કરવી પડતી નથી. સાચો સંબંધ ઝરણા જેવો છે. એ વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે. માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય એ દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું જ મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી જ સુખનો સ્વાદ આવે છે.માણસ એકલો પડી જાય તો કયાંક તેનો જ વાંક હોય છે. કોઈને નજીક રાખતા નથી અને પછી કહીએ છીએ કે મારું કોઈ નથી. પહેલાં વિચારો કે તમે કોઈના છો ખરાં? પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

સુવિચાર

[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે,પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે– જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !

[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો,અને પછી અરધી મીંચેલી.

[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી

સુવાક્યો

આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!!
**************************
સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે?
– સ્મૃતિ..!!
**************************
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!!
**************************
સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!!
**************************
ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય એટલે બાર વાગે. કાંટા જેવા બે માણસ ભેગા થાય એટલે ત્રીજાના બાર વાગે..!!
**************************
આપણો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ક્લોકની જેમ ખરે સમયે રણકીને આપણને ચેતવી દે..!!
**************************
મૌન એક અનોખું અલંકાર છે. તે મૂર્ખ માણસના હોઠ પર વધુ શોભી ઊઠે છે..!!
**************************
જેક હરબર્ટ નામના વિદ્વાન કહે છે કે પૃથ્વી પર સર્વપ્રથમ સર્જન આદમથી થયું અને એ જ પૃથ્વીનો અંત આદમના વંશજોએ બનાવેલા એટમ (બોમ્બ)થી થશે..!!
**************************
ફરજ શબ્દ ભારે છેતરામણો છે. એ વસ્તુ એવી છે, જેની આપણે હંમેશાં બીજા પાસે જ અપેક્ષા રાખીએ છીએ..!!
**************************
પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પાસેથી પ્રત્યુત્તરની અપેક્ષા કદી ન રાખશો, નહીંતર એ પ્રાર્થના અને ચીલાચાલુ પત્રવ્યવહાર વચ્ચે કશો જ તફાવત નહીં રહે..!!
**************************
કોઈને પોતાનો ઘનિષ્ઠ મિત્ર બનાવતાં પહેલાં એના જાની દુશ્મનો કોણ કોણ છે એ પણ જાણી લેવું એટલું જ જરૂરી છે..!!
**************************
આપણી પાસે કંઈ ન હોય કરુણતા નથી, પરંતુ આપણું કોઈ ન હોય એ જ સૌથી મોટી કરુણતા કહેવાય..!!
**************************
આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન..!!
**************************
‘નાની નાની બાબતમાં અકળાઈ જવું નહીં…’ એવી સલાહ વારંવાર આપતા ‘ડાહ્યા’ માણસોને એકાદ વાર મચ્છરવાળા ઓરડામાં સુવડાવવા જોઈએ..!!
**************************
યુદ્ધની ઉત્તેજના અને સનસનાટી માણવી હોય તો મોરચે જવાની જરૂર નથી. એના માટે બે રસ્તા છે. એક, નાની નૌકામાં સમુદ્રપ્રવાસ કરો અને બીજો, ઉતાવળે લગ્ન કરી લો..!!
**************************
એક સ્પેનિશ કહેવત અનુસાર સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે..!!
**************************
તમને જો દુશ્મન જોઈતા હોય તો મિત્રોથી ચઢિયાતા બનજો… મિત્ર જોઈતા હોય તો મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો..!!
**************************
સ્ત્રી એના જીવનકાળ દરમિયાન પુરુષને માત્ર બે વાર જ સમજી નથી શકતી. એક, લગ્ન પહેલાં અને બે, લગ્ન પછી..!!
**************************
લીલુંછમ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે. જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું પણ હોય..!!
**************************
આ જમાનામાં ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. મળ્યા પછી જાળવવું મુશ્કેલ છે. જાળવ્યા પછી તેને યોગ્ય રીતે વાપરવું તો સૌથી વધુ મુશ્કેલ છે..!!
**************************
બે સ્ત્રી વચ્ચે સમાધાન કરાવતાં જેટલો સમય લાગે એના કરતાં ઓછા સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સમસ્ત કશ્મીરની સંધિ કરાવી શકાય..!!
**************************
ઘણા બધા રોગ ઉપરવાળો ઈશ્વર મટાડી દે છે. ગુડ, પણ આમાં પ્રોબ્લેમ એ છે કે એની બધી ફી નીચેવાળો ડોક્ટર વસૂલ કરી જાય છે..!!
**************************
રોજને રોજ આપણે કંઈને કંઈ નવું શીખીએ છીએ. ઘણી વાર તો ગઈકાલે આપણે જે શીખેલા તે ખોટું હતું તે વાત આજે શીખીએ છીએ..!!
**************************
બીજા કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, કોઈનાય હક ડુબાડ્યા વિના તમે જે કંઈ ઝંખો એ પ્રાપ્ત કરવાની શક્તિ કેળવી લો તેનું નામ સફળતા..!!
**************************
ઘરની ઘેલી સારી, પણ બહારની ડાહી માઠી..!!
**************************
૧૮મી સદીના વિખ્યાત ફિલોસોફર મેમ-ડી-સ્ટેઈલ કહેતા કે…
જેમ જેમ મને માણસ નામના પ્રાણીનો વધુ પરિચય થતો જાય છે તેમ તેમ મને હવે કૂતરાં-બિલાડી જેવાં પ્રાણી વધુ ગમવા માંડ્યા છે..!!
**************************
રૂમાલ આંસુ લૂછે છે, પરંતુ ખરો પ્રેમ પેલાં આંસુનું કારણ ભૂંસે છે..!!
**************************
સ્વજનનું સ્મરણ એ મિલનનું જ એક સ્વરૂપ છે..!!
**************************
કેટલીક વ્યક્તિને તમે રૂબરૂ મળો તો બહુ રુક્ષ વ્યવહાર કરે, પરંતુ આ જ વ્યક્તિને ફોન પર વાત કરવાની અચ્છી ફાવટ હોય છે. ફોન પર એ એવી મીઠાશથી વાત કરે કે ફોનને બીજે છેડે હો તોય તમને ડાયાબિટીસ થઈ જાય… આવી વ્યક્તિ મોટે ભાગે નેતા, રાજદૂત કે પીઆરઓ જ હોય છે..!!
**************************
શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બંને વાંચે છે..!!
**************************
પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છેઃ બંને કમાવા મુશ્કેલ છે, પરંતુ બંનેને ગુમાવવાનું બહુ સહેલું છે..!!
**************************
વધુપડતી સારી ટેવો પાડવા કરતાં તો ઓછામાં ઓછી ટેવો પાડવામાં જ જીવનનું શાણપણ સમાયું છે..!!
**************************
વૃક્ષ પરનો માળો અને માનવીના મૌન વચ્ચે એક ગજબનું સામ્ય છે. માળો પક્ષીને આશ્રય આપે અને મૌન તમારી વાણીને..!!
**************************
માના ખોળામાં સૂતેલું બાળક હસે ત્યારે અચૂક માનજો કે નવી પરીઓ જન્મે છે અને બાળક રડે ત્યારે માનજો કે પેલી પરીઓ અચાનક અદ્રશ્ય થઈ ગઈ..!!
**************************
મૈત્રીમાં દુભાયેલો દોસ્ત ક્યારેક આપણો જ દાનો દુશ્મન બની જાય છે!
તાજા કલમઃ આ જ વાત ચૂંટણી વખતે ટિકિટ ન મળી હોય એ ઉમેદવાર એના પક્ષ માટે પુરવાર કરે છે..!!
**************************
રાલ્ફ વાલ્ડો ઈમરસન નામના વિદ્વાન કહે છે:
ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મિનિટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો..!!
**************************

BY -CHITRALEKHA MAGAZINE

http://www.gujarati.nu/profiles/blogs/by-chitralekha-magazine

આજે આપણે શું કરશું ?

આજે આપણે શું કરશું ?

તારીખ ૧ – આજે બધાની સાથે નમ્રતાથી વાત કરીશ અને નમ્રતાથી જ વ્યહાર કરીશ.

તારીખ ૨ – આજની બધી વાતો ઈશ્વરની આજ્ઞા સમજી સેવા કરીશ.

તારીખ ૩ – આજે જેઓ પણ મારી સામે આવશે તેમને સંતુષ્ટ કરીશ.

તારીખ ૪ – આજે કોઈની સાથે મધુર વ્યવહાર કરીશ.

તારીખ ૫ – આજે કોઈની સાથે કોઈની પણ નિંદા ના કરું

તારીખ ૬ – આજે જેઓ જે પણ કામ કરવાનું કહેશે તે કરવાની કોશિશ કરીશ.

તારીખ ૭ – આજે કોઈની સાથે દ્વેત કે દ્વેષ કરીશ નહી.

તારીખ ૮ – આજે જે પણ થશે તેને ઈશ્વરની કૃપા જ સમજીશ.

તારીખ ૯ – આજે એકપણ ખોટો શબ્દ બોલીશ નહીં.

તારીખ ૧૦ – આજે દરેક ક્ષણે ભગવાનનું નામ જપીશ.

તારીખ ૧૧ – આજે બધાની સાથે પ્રેમપૂર્વક વર્તન કરીશ.

તારીખ ૧૨ – આજે ભવિષ્ય માટે કોઈ ચિંતા કરીશ નહીં.

તારીખ ૧૩ – આજે આખો દિવસ ખુશીમાં વિતાવીશ.

તારીખ ૧૪ – આજે આખો દિવસ ભગવાનનું સ્મરણ કરીશ.

તારીખ ૧૫ – આજે આખો દિવસ કોઇનો અવગુણ જોઈશ નહી.

તારીખ ૧૬ – આજે કોઈપણ ચીડવશે તો ચિડાઈશ નહી.

તારીખ ૧૭ – આજે આખો દિવસ સત્ય બોલીશ.

તારીખ ૧૮ – આજે આખો દિવસ શુદ્ધ અને પવિત્ર વિચાર કરીશ.

તારીખ ૧૯ – આજે આખો દિવસ ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ.

તારીખ ૨૦ – આજે આખો દિવસ એ વિચાર કરીશ સમગ્ર દુનિયા ફાની છે.

તારીખ ૨૧ – આજે આખો દિવસ મોત નો વિચાર રાખીશ,કે મોત ગમે ત્યારે આવી શકે છે.

તારીખ ૨૨ – આજે મારી જાતને વધુ સુધારવાની કોશિશ કરીશ.

તારીખ ૨૩ – આજે લોભ અને લાલચના વિચાર મનમાં આવવા દઈશ નહી.

તારીખ ૨૪ – આજે કામ ક્રોધ ને નજીક નહીં આવવા દઈશ.

તારીખ ૨૫ – આજે દિલ માં એ વિચાર રાખીશ કે હું કોઇ નથી.

તારીખ ૨૬ – આજે ઈશ્વરની કૃપાનો મનમાં ને મનમાં આભાર માનીશ.

તારીખ ૨૭ – આજે દિલમાં એ વિચારીશ કે હું સમરસ છું

તારીખ ૨૮ – આજે મારા અવગુણોને યાદ કરી ને તોબા-તોબા કરીશ.

તારીખ ૨૯ – આજે દિલમાં એ વિચાર કરીશ કે પ્રભુ બધામાં સમાયો છે.

તારીખ ૩૦ – આજે દિલમાં એ વિચારીશ કે એક એક પળ ભગવાનની અમાનત છે.

તારીખ ૩૧ – આજે હું વધુમાં વધુ મૌન રાખવાની કોશિશ કરીશ.

http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:756842

વાગોળવા જેવા વિચાર – સંકલિત

[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.

[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.

[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.

[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.

[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.

[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.

[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.

[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.

[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી. [14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.

[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.

[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.

[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.

[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.

[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.

[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.

[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.

[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.

[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.

[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.

[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.

[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.

[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.

[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.

[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.

[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.

[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.

[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે

[સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.]

http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:823345

સુવિચારોનું સરોવર – સંકલિત

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ

મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
–કબીર

જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ

બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય

પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ

હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ

બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી

સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન

કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
–જે. કૃષ્ણમૂર્તિ

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
–દયાનંદ સરસ્વતી

આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય

જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?
–બબાભાઈ પટેલ

પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
–રવીન્દ્રનાથ ટાગોર

જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક

માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
–ઉમાશંકર જોશી

કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે

જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
–ડૉંગરે મહારાજ

ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
–થોમસ પેઈન

ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
–રવીન્દ્રનાથ ટાગોર

હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
–આલબર્ટ આઈન્સ્ટાઈન

જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
–શ્રીમદ્ રાજચંદ્ર

આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન

દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ

આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ

બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી

વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા

જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી

મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ

આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન

જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ

કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ

ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ

દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ

ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ

ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી

જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી

મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
–મધર ટેરેસા

માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ

મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર

તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ

કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ

હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
–ચાલટેન હેસ્ટન

માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન

વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
–વિલિયમ જેમ્સ

દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક

દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ

આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
–જોન ફ્લેયર

જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
–શંકરાચાર્ય

જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
–શ્રીમદ્ રાજચંદ્ર

ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
–કવિ કાલિદાસ

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
–આરિફશા

એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં.
–શરત્ચંદ્ર

સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
–કવિ કલાપી

એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.
–લોવેલ

સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.
–ચાણક્ય

આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.
–અર્લ વિલ્સન

જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.
–ખલિલ જિબ્રાન

જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.
–લૂઈ જિન્સબર્ગ

આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.
–જનરલ એબ્રગોન

ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.
–સરદાર પટેલ

જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.
–જેરેમી ટેસર

http://www.gujarati.nu/profiles/blogs/3499594:BlogPost:823104?xg_source=activity

હસતે મુખે રસ્તામાં વેર્યાં

હસતે મુખે રસ્તામાં વેર્યાં
ફૂલ ગુલાબ કેરાં નસીબે
નીચા નમી વીણીશું ક્યારે
આજ આજ ભાઈ અત્યારે

કોઈએ આપણું ભૂંડું કીધું
આંગણે આવી દુઃખ દીધું
માફ એને કરીશું ક્યારે
આજ આજ ભાઈ અત્યારે

ઉછીનું લઈ આબરુ રાખી
વેળા આવ્યે વિપદ ભાંગી
પાછું એ ધન દેવું ક્યારે
આજ આજ ભાઈ અત્યારે

સાચા સારા ઘણાં કરવા કામો
પળોજણમાંથી વખત ન પામો
તો પછી તે કામ કરવાં ક્યારે
અરે આજ આજ ભાઈ અત્યારે
-અજ્ઞાત

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે

રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલ્રક્ષ્મી ગણી લેજે

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે

કટુ વાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે

અહો શું પ્રેમમાં રાચે ? નહિ ત્યાં સત્ય તું પામે !
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી
વફાદારી બતાવા ત્યાં નહિ કોઈ પળે જાજે

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે

કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે

-બાલાશંકર કંથારિયા

પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે,

પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે,
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે ?

આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે,
હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે ?

અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે,
હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે ?

આપણે સૂતા એક સાથ રે તને સાંભરે રે,
હાજી સુખદુ:ખની કરતા વાત મને કેમ વિસરે રે ?

પાછલી રાતના જાગતા તને સાંભરે રે,
હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે ?

ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે,
હાજી જાચવા કોઈ શ્રેષ્ઠ મને કેમ વિસરે રે ?

કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે,
કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે ?

શરીર આપણાં ઊકળી ગયાં તને સાંભરે રે,
હાજી લાગ્યો સૂરજનો તાપ મને કેમ વિસરે રે ?

ખંભે કુહાડા ધરિયા તને સાંભરે રે,
ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે ?

આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તને સાંભરે રે,
હાજી ફાડ્યું મોટું ઝાડ મને કેમ વિસરે રે ?

ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે,
હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે ?

શીતળ વાયુ વાયો ઘણો તને સાંભરે રે,
હાજી ટાઢે થરથરે દેહ મને કેમ વિસરે રે ?

નદીએ પૂર આવ્યું ઘણું તને સાંભરે રે,
હાજી ઘન વરસ્યો મૂશળ ધાર મને કેમ વિસરે રે ?

એકે દિશા સૂઝે નહિ તને સાંભરે રે,
થાતા વીજ તણાં ચમકાર મને કેમ વિસરે રે ?

ગુરુજી નીસર્યાં ખોળવા તને સાંભરે રે,
ગોરાણીને આપ્યો ઠપકો અપાર મને કેમ વિસરે રે ?

આપણને છાતિયે ચાંપિયાં તને સાંભરે રે,
હાજી તેડીને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે ?

ગોરાણી ગાય દોતાં હતા તને સાંભરે રે,
તમને દાણ માગવાની ટેવ મને કેમ વિસરે રે ?

મેં નિશાળેથી હાથ લંબાવિયો તને સાંભરે રે,
દીધી ગોરાણીએ દોણી તતખેવ મને કેમ વિસરે રે ?

ગોરાણીને નીપજ્યું જ્ઞાન તને સાંભરે રે,
તમને જાણ્યા જગદાધાર મને કેમ વિસરે રે ?

– પ્રેમાનંદ

સુવિચાર

* બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું !

* મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય.

* વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરીને એ માનવીને મિત્રાચારી બનાવે છે.

* દષ્ટિ એ આપણી કાયાની ખૂબ જ તીવ્ર ઈન્દ્રિય હોવા છતાં, તે ડહાપણને ઓળખી શકતી નથી.

* વાગશક્તિ કોઈ પણ માણસને સત્ય જ્ઞાન વગર બોલવાની ફરજ પાડતી નથી પણ વાગદેવી કહે છે કે : મારી પાસે આવતાં પહેલાં સત્યની પ્રાપ્તિ કરો અને પછી મારી આરાધના કરો.

* સદગુણ શીખવી શકાતો નથી. એને એકત્રિત કરી શકાય. એકત્રિત કરવું એટલે પોતાની સઘળી શક્તિ એકઠી કરવી, આત્મનિમગ્ન થવું.

*માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!

*આળસુ માણસને જો સૌથી ઝડપથી કંઇ સાંપડતું હોય તો તે છે થાક…

*જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.

*આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!

* તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાના મિત્રને કહ્યું : ‘હું હવે પછી એવી રીતે જીવવાની વધુ કાળજી લઈશ કે તેઓના કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’           

સુવિચાર

[1]

અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે.
– નગીનદાસ સંઘવી

[2]

શિક્ષકો જો શાંત ચિત્તે વિચારશે, સૂક્ષ્મ વિવેક કરશે તો જણાશે કે દસમાંથી નવ બાબતો એવી છે, જેમાં કાં બાળકને સમજવામાં નથી આવ્યું, કાં તેને પૂરતી સહાનુભૂતિ નથી મળી, કાં તેને વ્યક્ત થવાની તક નથી મળી, કાં તેને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું, કાં તેની સર્જનાત્મકતાને અવકાશ નથી મળ્યો, તેથી તેનું વર્તન ન સમજાય તેવું, અશિસ્તવાળું દેખાય છે. કદાચ તે ભૂલ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચવા પણ માંગતું હોય
– મનસુખ સલ્લા

[3]

આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુરૂપે માતા જગતજનની આપણું સતત પોષણ કરી રહી છે, છતાં તેનાં રૂપનાં દર્શન કરવાને બદલે તેના તરફ આપણું દુર્લક્ષ છે. જરૂર છે આપણા ‘મન આડેનો પડદો’ હટાવવાની !
– હરીન્દ્ર દવે

[4]

શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે.
– શેક્સપિયર

[5]

હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને કદી ભૂલશો નહિ. જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે.
– પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)

[6]

ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે.
– સી.બી. જોન્સન

[7]

કેટલાક કહે છે કે ‘ગુરુ શા માટે જોઈએ ? તેના લીધે બંધન વધે છે. આપણે આપણા વિચારોથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી.’ પરંતુ આ કહેવાવાળા પણ બીજાઓના ગુરુ જ થાય છે ને !
– શ્રીમાતાજી

[8]

સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદ સમાન જીવનને ઊંચે ચઢાવનાર કોઈ બીજો શીખવા જેવો વિષય જ નથી. એનાથી જ મારા જીવનને શાંતિ વળી છે. એનાથી તો મને મૃત્યુ વખતે પણ શાંતિ મળશે.
– શૉપનહૉવર

[9]

પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે.
– ગાંધીજી

[10]

ટ્રેન ચાલે છે, બહારનાં વૃક્ષો સ્થિર છે, પણ આભાસ એ થાય છે કે ટ્રેન સ્થિર છે અને વૃક્ષો ચાલી રહ્યાં છે. કર્મ (ટ્રેન) અકર્મ લાગે છે, અને અકર્મ (વૃક્ષો) કર્મ લાગે છે ! શ્રીકૃષ્ણ કહે છે કે કર્મમાં જે અકર્મને જોઈ શકે છે, અને અકર્મમાં જે કર્મને જોઈ શકે છે એ યોગી છે. સ્થિતિ અને ગતિ બંનેને સમજવું જ્ઞાનીનું કામ છે.
– ચંદ્રકાન્ત બક્ષી.

[11]

હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા હોશિયાર સ્ત્રી જ જોઈએ. – બર્નાર્ડ શૉ

[12]

માણસના ખરાબ સ્વભાવના સૌથી વધુ કાંટા કુટુંબીજનોને અને મિત્રવર્તુળને વાગતા હોય છે.
– ભૂપત વડોદરિયા.

[13]

સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ. માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને કાયદાઓની જરૂર ઓછી પડશે.
– જયવતી કાજી

[14]

એક વિદેશીએ પૂછેલા સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો ઉત્તર : તમારે ત્યાં જ્યારે સાંજ પડે છે, ત્યારે હોટલોમાં દીવા થાય છે. અને અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે મંદિરોમાં દીવા થાય છે. તમારે ત્યાં સાંજ પડે છે ત્યારે પતિ-પત્ની બધાં કુટુંબનાં માણસો તૈયાર થઈને હોટલોમાં જાય છે. અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે કુટુંબનાં માણસો સાથે બેસીને પ્રભુપ્રાર્થના કરે છે, રામનામ જપે છે.
– રવીન્દ્રનાથ ટાગોર

[15]

કોઈ માણસમાં એકાદ વાર કોઈ દોષ દેખાય તો એવો કાયમી નિર્ણય ન કરી દેવો કે, ‘આ માણસ તો ખરાબ છે.’ સંભવ છે કે, દોષ જોવામાં તમારો જ દોષ હોય અથવા કોઈ વિશિષ્ટ સંજોગોનો ભોગ બનીને અનિચ્છા હોવા છતાં પણ તેને દોષના ભાગીદાર બનવાની ફરજ પડી હોય.
– સંકલિત

[16]
જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે.
– ભગવતીચરણ વર્મા

[17]

સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું.
– મહાભારત

[18]

ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન.
– મોહમ્મદ માંકડ

[19]

મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે

– કાંતિલાલ કાલાણી

[20] સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ?

– રત્નસુંદરવિજયજી

સુવિચાર

ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.

જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.

માન હો કે અપમાન,માને સમાન તે મહાન

જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો.

ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે.

મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય !

તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં.

જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ

જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ

જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ

જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ

-આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી

સુવિચાર

જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી

ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ

માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? ક્દાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે : એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું. – કાંતિલાલ કાલાણી

પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી

પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે. – રવીન્દ્રનાથ ટાગોર

પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. – કુન્દનિકા કાપડિયા

કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ. – વિનોબા ભાવે

સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે. – કાલિદાસ

જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. –સ્વામી વિવેકાનંદ

આ શ્વાસ છે..

આ શ્વાસ છે..
જિવનની અંતીમ આશ છે.
પ્રાણ તણો જેમાં વાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
મૃત્યુ પહેલાંનો વિશ્વાસ છે.
અંત પહેલાની આશ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
એક અનંત આભાશ છે.
ફુલોમાં તે સુવાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
શરીર જેનું દાસ છે.
ધડકન માટે ખાસ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
શરણાઈનું જે સંગીત છે.
બાંસુરીનું જે ગીત છે.. આ શ્વાસ છે..

આ શ્વાસ છે..
પ્રણયનો જેમાં ફાગ છે.
પ્રેમનો જેમાં રાગ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે..
વિરહમાં તે આહ છે.
દુઃખમાં તે દાહ છે.. આ શ્વાસ છે.

આ શ્વાસ છે.
ક્યારેક તુટતો.. ક્યારેક ખુટતો આ વિશ્વાસ છે.
મૃત્યુની ક્ષીતીજ પર પથરાતો ઉજાસ છે.. આ શ્વાસ છે.

-સપન

ભગવાને આપણને હંમેશ માટે…

ભગવાને આપણને હંમેશ માટે…

કંટક વિનાનાં ફૂલ નથી આપ્યાં,
વાદળ વિનાનું આકાશ નથી આપ્યું,
ઝંઝાવાત વિનાનો સમુદ્ર નથી આપ્યો,
ચક્રવાત વિનાની હવા નથી આપી,
દુ:ખ વિનાનું સુખ નથી આપ્યું,
યુદ્ધ વિનાની શાંતિ નથી આપી,
રોગ વિનાનો દેહ નથી આપ્યો –
પણ એણે આપણને આપી છે
દિનભર મહેનત કરવાની શક્તિ
થાકીને આરામ કરવા માટે ઊંઘ,
માર્ગ ઉજાળવા પ્રકાશ,
અથાક અવિરત પ્રયત્ન કરવાની ધીરજ,
કદિયે નાશ ન પામે તેવી આશા,
શ્રદ્ધા, કરુણા અને એ બધાથી સર્વોપરિ
તેનો અપાર પ્રેમ.

– સં. ભાર્ગવી દોશી

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

– અજ્ઞાત

પૈસો…….પૈસો……………સહુને વ્હાલો પૈસો……

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,- પ્રિતમદાસ

હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને. 

મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.

  – પ્રિતમદાસ

મંગલ મંદિર ખોલો, દયામય !

મંગલ  મંદિર  ખોલો, દયામય !
મંગલ  મંદિર  ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર  ઊભો  શિશુ  ભોળો ;
તિમિર  ગયું  ને  જ્યોતિ  પ્રકાશ્યો,
શિશુને  ઉરમાં  લો,  લો, દયામય !

નામ  મધુર  તમ  રટ્યો  નિરંતર
શિશુસહ  પ્રેમે  બોલો ;
દિવ્ય  તૃષાતુર  આવ્યો  બાલક,
પ્રેમ – અમીરસ  ઢોળો, દયામય !

મંગલ મંદિર ખોલો !

 – નરસિંહરાવ દિવેટિયા