પલટતો શોક પણ આનંદમાં, સ્થાન બદલાંતાં,
હસે છે આભનાં આંસુ, સુમનની આંખમાં આવી.
જો પોતાનું કરી તરછોડી દીધું પારકાંએ તો,
હવે ફરિયાદ કાં કર દિલ, સ્વજનની આંખમાં આવી.
મરી ગઈ ઉર્મિઓ સઘળી તો આંસુઓ અમર થઈ ગયાં,
સ્વયં મૃત્યુ રહ્યું જીવતું, જીવનની આંખમાં આવી.
જીવનભર તો હસ્યાં છો ક્રુર થૈ ને નગ્ન હાલત પર,
કરો ના ડોળ રડવાનો કફનની આંખમાં આવી.
નિહાળે પ્રેમ પણ કુદરત ગગનની આંખમાં આવી,
ને એકલતા પછી રડતી, નયનની આંખમાં આવી.
જીવનભર તરફડે, દોડે છતાં કોઈ ન પામે તે,
મહોબ્બતનાં વહે મૃગજળ ‘વદન’ની આંખમાં આવી.
-ડૉ. હર્ષવદન વૈષ્ણવ (૧૯૬૦)
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, ડૉ. હર્ષવદન વૈષ્ણવ | Tagged: ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ડૉ. હર્ષવદન વૈષ્ણવ, પલટતો શોક પણ આનંદમાં, સ્થાન બદલાંતાં, gujarat, gujarati, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a comment »