હું નથી – એ વાતને અપનાવવા દેતા નથી
કેમ મારી લાશને દફનાવવા દેતા નથી ?
કેમ મારા મનને ભ્રમની જાળમાં રાખો સતત,
કેમ સાચી વાતને સમજાવવા દેતા નથી ?
નાના-નાના માણસોના મન બહુ પ્રેમાળ છે,
મોટા-મોટા માણસો, પણ ફાવવા દેતા નથી.
સોળ આની પાક ઊતરે, શક નથી એમાં મને,
કેમ લોકો પ્રેમને અહીં વાવવા દેતા નથી ?
એક તો પોતે જ આઘા થઈ ગયા મુજથી ‘પ્રણય’,
કોઈને મારી નજીક પણ આવવા દેતા નથી.
– ‘પ્રણય’ જામનગરી
Filed under: ‘પ્રણય’ જામનગરી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: ‘પ્રણય’ જામનગરી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, હું નથી – એ વાતને અપનાવવા દેતા નથી, ghazal, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »