બંધ શ્વાસો ના ધબકારા કદી સાંભળ્યા છે ?
વસંત માં પાન ખરતાં કદી જોયાં છે ?
ઠરી ગયેલ અંગાર માં તણખા કદી જોયા છે ?
કોરી આંખો માં આંસુ કદી જોયાં છે ?
મૌન માં શબ્દો ને કદી સાંભળ્યા છે ?
પડઘાઓ ને પર્વતો માં ખોવાઇ જતા જોયા છે ?
લાગણીઓ ના અફાટ રણ કદી જોયાં છે ?
ગણશો કદાચ પાગલ મને તમો સૌ….,પણ,
જવાબ આવડતા હોય એવા પ્રશ્નો કદી જોયા છે ?
ચૈતન્ય મારૂ
૧૫/૦૫/૨૦૧૦
Filed under: ચૈતન્ય મારૂ. | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચૈતન્ય મારુ., gujaratikavita, gujaratikavitaanegazal | Leave a comment »