આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)
હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?
ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.
– બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા)
(અનુવાદ: જયા મહેતા)
http://krishnanoaadhar.wordpress.com
Filed under: અનુવાદ, ગુજરાતીકવિતા, જયા મહેતા, બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, જયા મહેતા, બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા), gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a comment »