મંઝીલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જુનું વતન નવી નગરી જવું પડે.
યુગોથી મિંટ માંડવી તપ એનું નામ છે,
શ્રી રામ ને જમાડવા શબરી થવું પડે.
બદલાની અપેક્ષા વિના સત્કર્મ જે કરે,
પથ્થરના દેવને કદી પ્રગટી જવું પડે.
સન્માન કેવું પામશો મૃત્યુ પછી રડે,
જોવા તમાશો એકવાર ગુજરી જવું પડે.
– રવિ ઉપાધ્યાય
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રવિ ઉપાધ્યાય | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મંઝીલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, રવિ ઉપાધ્યાય, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »