આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો, કહું છું તમને હું મારા મર્યાની વાત
વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને
મારા મહીંથી ધીમે-ધીમે હું સર્યાની વાત
તમને ય તે હવે તો ખરી લાગતી હશે
જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત
‘રાહી’! અબળખા કોઇ હવે બાકી ક્યાં રહી?
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત
રાહી ઓધારિયા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રાહી ઓધારિયા | Tagged: આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રાહી ઓધારિયા, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a comment »