નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.
આંખો જો હોય કોઈની દર્પણ સમી,
અંતરના બધાં ભેદ કળાય છે.
અંશ મળે જો આ નયનમાં પ્રેમ તણો,
કંઈક સરિતાના વ્હેણ રચાય છે.
જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે.
પામી જો એ સરિતા પંથ સાગર ભણી,
જોજો તો ખરા કેવી મલકાય છે.
Filed under: ગુજરાતી ગઝલ, ભૂમિ એસ. ભટ્ટ | Tagged: ગઝલ – ભૂમિ એસ. ભટ્ટ (Bhumi S. Bhatt), ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, નયનથી જો મળે નયન બે ઘડી, gujaratigazal, gujaratigazal vishwa | Leave a comment »