નમે તે સૌને ગમે સૌ તેમ કહે છે ,
શું ખુદા તને પણ આજ રીત ગમે છે ?
દ્વારે તારી છે ઊભો નગ્ન-ભૂખ્યો ગરીબજન,
ને શ્રીમંત બેસી મંદિરે પકવાન સોળ ધરે છે.
લાગે તને છે ડરાવે સ્વાર્થી જાલીમ જગ ખુદા,
બંધ બારણે જઈ ખુદા તેથી જ તું વસે છે.
નામ તારું વાપરી વટાવે અહીં પાખંડીઓ,
ને નામે તારા એ જ પછી પથરા બધે તરે છે.
હોય સાચ્ચે જ તું ખુદા તો ખોલ ત્રિલોચન હવે,
વગર વાંકે નિર્દોષ જન રોજ અહીં મરે છે
…….રમેશ ચૌહાણ
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રમેશ ચૌહાણ | Tagged: આધ્યાતમિક, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નમે તે સૌને ગમે, ભજન, રમેશ ચૌહાણ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »