બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .
અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!
પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી રે’વું …
( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’ માંથી)
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a comment »