પ્રભુજી તારા બાના ની પત્ રાખ -નરસિંહ મહેતા

પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..(૨)

બાના ને માટે જો દુઃખ થશે તો .. (૨)
કોણ જપે તારા જાપ …

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા બાના ની પત્ રાખ ..

રોહિદાસની તમે રાબડી પીધી
નવ જોઈ નાત કે જાત ..

હે … નવ જોઈ નાત કે જાત ..

રોહિદાસની તમે રાબડી પીધી
નવ જોઈ નાત કે જાત .. (૨)

શાને માટે સન્મુખ રહી ને …

શાને માટે … સન્મુખ રહી ને ..
નાઈ કે’વાણા નાથ ..

નાઈ કે’વાણા નાથ ..

બાના ની પત્ રાખ
પ્રભુ તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે જો દુઃખ થશે તો
કોણ જપે તારા જાપ ..

બાના ની પત્ રાખ …

પ્રહલાદ ની તમે …. પ્રતિ પાલણા પાળીને
થંભ માં પૂર્યો વાસ ..

પ્રભુજીએ થંભ માં પૂર્યો વાસ …

સાચી કળા તમે શીતળ કીધી ..
સાચી કળા તમે …. શીતળ કીધી

સુધન વા ને કાજ .. (૨)

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે જો દુઃખ થશે તો
કોણ જપે તારા જાપ ..

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાનાની પત્ રાખ …

હે … પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા

પાંચાળી નાં તમે પત્ કુળ પૂર્યા ને
રાખી સભામાં લાજ ..

હે .. રાખી સભામાં લાજ ..

શાયર માંથી બુડતો રાખ્યો … હે … જી …

શાયર માંથી …
શાયર માંથી, બુડતો રાખ્યો ..

રામ કહેતા ગજરાજ …

રામ કહેતા ગજરાજ …

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

બાના ને માટે દુઃખ થશે તો ..
બાના ને માટે ..

હે … દુઃખ થશે તો
કોણ જપશે તારા જાપ ..

બાના ની પત્ રાખ
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

ઝેર હતા તેના અમૃત કીધાં ને ..
આપ્યાં મીરાં ને હાથ ..

ઝેર હતા તેને અમૃત કીધાં ને
આપ્યાં મીરાં ને હાથ ..

મહેતાને માંડળીક મારવાને આવ્યો ..

મહેતાને માંડળીક …

મારવાને આવ્યો ત્યારે ..
કેદારો લાવ્યા મધરાત ..

બાના ની પત્ રાખ ..
પરભુજી તારા, બાનાની પત્ રાખ …

ભક્તો નાં તમે સંકટ હર્યા ત્યારે ..
દ્રઢ આવ્યો રે વિશ્વાસ ..

પ્રભુજી, દ્રઢ આવ્યો વિશ્વાસ ..

નરસિંહના સ્વામીને કહું કર જોડી
એ … જી .. પૂરો અંતરની આશ ..

બાના ની પત્ રાખ ..
પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

પ્રભુજી તારા, બાના ની પત્ રાખ …

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં…. સુખ દુઃખ મનમાં…

હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,

વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી…. સુખ દુઃખ મનમાં…

નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,

અડધા વસ્‍ત્રે વન ભોગવ્‍યાં, ના મળે અન્ન કે પાણી….સુખ દુઃખ મનમાં…

પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,

બાર રે વરસ વન ભોગવ્‍યાં, નયને નિદ્રા ના આણી….સુખ દુઃખ મનમાં…

સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્‍વામી,

તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી…. સુખ દુઃખ મનમાં…

રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,

દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી…. સુખ દુઃખ મનમાં…

શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,

ભિલડીએ તેમને ભોડવીયા, ત૫માં ખામી કહેવાણી….સુખ દુઃખ મનમાં…

સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,

ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્‍વામી…. સુખ દુઃખ મનમાં…

-નરસિંહ મહેતા

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…કાનજી તારી મા….

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…કાનજી તારી મા….

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

– નરસિંહ મહેતા

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

સુખ દુઃખ મનમાં ન લાવીએ, ઘટ સાથે છે ઘડીયાં,

ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડીયાં…. સુખ દુઃખ મનમાં…

હરીચંદ્ર રાજા સતવાદી, જેની તારા લોચન રાણી,

વિ૫ત્ત બહુ ૫ડી, ભરીયાં નીચ ઘેર પાણી…. સુખ દુઃખ મનમાં…

નળ રે રાજા સરખો નર નહી, જેને દમંયત્તી નારી,

અડધા વસ્‍ત્રે વન ભોગવ્‍યાં, ના મળે અન્ન કે પાણી….સુખ દુઃખ મનમાં…

પાંચ રે પાંડવ સરખા બાંધવા, જેને દ્રો૫દી રાણી,

બાર રે વરસ વન ભોગવ્‍યાં, નયને નિદ્રા ના આણી….સુખ દુઃખ મનમાં…

સીતા રે સરખી સતી નહી, જેના રામજી સ્‍વામી,

તેને તો રાવણ હરી ગયો, સતી મહા દુઃખ પામી…. સુખ દુઃખ મનમાં…

રાવણ સરખો રાજવી, જેને મંદોદરી રાણી,

દશ મસ્તક તો છેદાઇ ગયાં,બધી લંકા લૂટાણી…. સુખ દુઃખ મનમાં…

શિવજી સરીખા સતવાદી, જેને પાર્વતી નારી,

ભિલડીએ તેમને ભોડવીયા, ત૫માં ખામી કહેવાણી….સુખ દુઃખ મનમાં…

સર્વે દેવોને જ્યારે ભીડ ૫ડી, સમર્યા અંતર્યામી,

ભાવટ ભાંગી ભૂદરે, મહેતા નરસિંહના સ્‍વામી…. સુખ દુઃખ મનમાં

નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,જુજવે રુ૫ અનંત ભાસે,

દેહમાં દેવ તું,તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

૫વન તું ,પાણી તું ,ભૂમિ તું ,ભૂધરા ,વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે.

વિવિધ રચના કરી ,અનેક રસ લેવાને ,શિવ ૫છી જીવ થયો એજ આશે.અખિલ…….

વેદ તો એમ વદે,શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનકકુંડળ વિશે ભેદ ન હોય,

દ્યાટ દ્યડીયા ૫છી,નામરુ૫ જૂજવાં,અંતે તો હેમનું હેમ હોય. અખિલ..

ગ્રંથ ગરબડ કરી,વાત ન કરી ખરી ,જેહને જે ગમે તેને પૂજે,

મન કર્મ વચનથી ,આ૫ માની લહે,સત્ય છે એજ મન એમ સૂજે. અખિલ……

વૃક્ષ માં બીજ તું ,બીજમાં વૃક્ષ તું ,જોઉં ૫ટંતરો એજ પાસે,

ભણે નરર્સૈયો જે ,ભેદ જાણી જુઓ ,પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.  અખિલ……

નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12

– નરસિંહ મહેતા

ખમ્મા, મારા નંદજીના લાલ,-નરસિંહ મહેતા

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,
સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી … ખમ્મા …

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી … ખમ્મા …

પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી … ખમ્મા …

દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં હાથ … મોરલી … ખમ્મા …

વાછરુ વરારે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લૈઅને હાથ
મોરલી ક્યાં રે વગાડી?

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

 – નરસિંહ મહેતા (

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ.                     ઘડપણ  ટેક.

ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ.                    ઘડપણ.

નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ.                 ઘડપણ.

નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ.       ઘડપણ.

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ?                ઘડપણ.

દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ.         ઘડપણ.

નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ.                     ઘડપણ.

અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર.                   ઘડપણ.

એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ.                 ઘડપણ.

-નરસિંહ મહેતા

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

મથુરાની વાટ મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે.. મારે દાણ દેવા, નઇ લેવા,
મૈયારા રે… ગોકુળ ગામના..

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે.. મારે જાગી જોવું ને જાવું,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

માવડી જશોદાજી કાનજીને વાળો
દુ:ખડા દી એ હજાર નંદજીનો લાલો
હે.. મારે દુ:ખ સહેવા, નઇ કેહવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા,
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે.. ગોકુળ ગામનાં..

નરસિંહ મેહતા

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12

– નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે…
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી

રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર,
બેટા-બેટી વળાવીયા રે…
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી

ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે…
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે…
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

નરસિંહ મહેતા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

નરસિંહ મહેતા