અશ્રુઓ સારો નહીં

અશ્રુઓ સારો નહીં
મોત ને મારો નહીં

આગ થૈ ને વાગશે,
જખ્મ ને ઝારો નહીં

ને કફનમાં યાદ ના
શિલ્પ કંડારો નહીં

ગૂંગળાવે છે કબર,
શ્વાસ !પરવારો નહીં

મોત ની કોને ખબર?
કોઇ અણસારો નહીં

તા-કયામત બોલશે,
પાપ,છૂટકારો નહીં

ના અઝાબો છોડશે,
ઈશ પણ તારો નહીં

મોત પરવારી જશે,
હોંસલા હારો નહીં

—-ડો.ફિરદૌસ દેખૈયા

Leave a comment