મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી,
મીઠી પળો હવા બની પાદર ભણી જતી રહી.
એ પાંગરી હતી કદી આ હાથ પર, અવાજ પર,
નિજને ભૂલી જવા નદી જેવી નદી જતી રહી.
એણે ભરી પળો મધુર કલકલ કરી ધમાલથી,
થઈ સાવ શૂન્ય રાવટી , ક્ષણમાં સદી જતી રહી.
તે આવી અશ્રુધારનું જ બીજું રૂપ હો, શક્ય છે,
આવી, વસી પડળ અને હળવેકથી જતી રહી.
બદલ્યો હતો સદા મને ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં કવન સજાવી , મઘમઘી જતી રહી.
-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર) | Tagged: કન્યા વિદાય, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર), મંડપ વિખાયો ને સખી બચપણ તજી જતી રહી, ghazal, gujarat, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »