અંશ એનો તો બધાં માં એજ છે
ના દિશે તોયે , બધાં માં છે જ છે.
ક્યાં કહું છું, પણ ચહું છું હરપળે
એજ ઈશ્વર કે ખુદા સાચે જ છે.
એજ આભા,એજ એનું નૂર છે
થાય ઝળહળ,દિવ્ય જેનું તેજ છે.
બેસ લે તું બે ઘડી દરબારમાં
જિંદગી જાણે ફૂલોની સેજ છે.
આ ગઝલ પરિસર ભલે રણ હોય
પણતોય કુંપળ ફૂટશે, જ્યાં ભેજ છે.
વિનોદ માણેક ‘ચાતક’
Filed under: ગુજરાતી ગઝલ |
Leave a comment