કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર
હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર
ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…
એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.
– દલપતરામ
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, દલપતરામ | Tagged: કરતા જાળ કરોળિયો, ગુજરાતી, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દલપતરામ, ભોંય પડી પછડાય, gujarati git, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal |
Dapatramna kavyoma mote bhage endma kaink message hoi chej-` Rakhi manma khant alas taji, me`nat kare pame labh anant`….