સમય નથી

ઇશ્વર ક્રુપાળુ છે લોકો માટે, પણ ઇશ્વર માટે સમય નથી
આ ર્ંગ બદલતી કુદરત ને, નિહાળવા માટે પણ સમય નથી

હરિ હોવાનો અહેસાસ છે, પણ હરિ ઓમ માટે સમય નથી
બધા સ્ંતો છે નજર સામે, પણ સત્સંગ માટે સમય નથી

અન્યના દોષો દેખાશે, પણ અંતર ઝાંખી માટે સમય નથી
ઘર્મની શુ વાત કરવી,માનવ ઘર્મ નિભાવવા નો સમય નથી

ઇશ્વરમા છે શ્રઘા ઘણીય , પણ પાર્થના માટે સમય નથી
જીવન છે સ્ંકટો થી ભરેલુ, પણ સ્ંકટ મોચન માટે સમય નથી

પેટીયુ રળવા મા એવા રચ્યા કે સગા વ્હાલામાટે સમય નથી
મા અને બાપ ની શુ કદર કરે જ્યા ઇશ્વર ક્રુપાની કદર નથી

તમેજ કહો હે હરિ શુ થશે આ આયખાનુ
જીજીવિષા ઘણીય છે પણ જીવાડ્નાર જગદીશ માટે સમય નથી

ઘીર ક્યા ઘરે છે મન ક્યા ભુલે છે ભટકવાનુ
શ્વાસજ મોતની ચદર વણે છે પણ પ્રાણાયમ માટે સમય નથી

ભગવાન ખુદ કબુલે છે જન્મોજનમ મા બાપ નુ ઋણ ચ્કવી ન શકાય
જે માતા પિતા એ જ્ન્મ આપ્યો તેના ઘડ્પણ પાળવાનો સમય નથી

– જયકાંત જાની ( USA )

ગુજરાતી માંથી

Leave a comment