અડધી રાતલડીએ મને રે જગાડી
છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે !
મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું
કોની ઓળખાણ આવ્યું, પ્રિતના પુરાણ લાવ્યું
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !
દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે
એવા મોંઘા મોતીનો મૂલવનાર, આ તે કોણ રે !
ડગલે ને પગલે મને એના ભણકારા વાગે
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે !
લોકગીત
Filed under: ગરબો, લોકગીત | Tagged: અડધી રાતલડીએ મને રે જગાડી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગરબો, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, લોકગીત, gujarat, gujarati, gujarati git, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, lokgit | Leave a comment »