સંકટભરી છતાંય મને એ ગમી હતી,
મેં જિન્દગીને આપની બક્ષિસ ગણી હતી.
બહેલાવી ના શક્યો કદી દિલ આપના વગર,
ચીજોની આ જગતમાં ભલા ક્યાં કમી હતી.
બેઠા હતા અમે અને જલતું હતું હૃદય,
તેથી જ તો એની સભામાં રોશની હતી.
અફસોસ કે દુનિયાએ બનાવી હજાર વાત,
નહિતર અમે તો એક બે વાતો કરી હતી.
દર્શન થયાનહીં એ મુકદ્દરની વાત છે,
આંખો તો ઇંતેજારમાં ખુલ્લી રહી હતી.
-અદમ ટંકારવી
Filed under: અદમ ટંકારવી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ | Tagged: અદમ ટંકારવી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, સંકટભરી છતાંય મને એ ગમી હતી, ghazal, gujarati, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a comment »