મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો … દયામય !
- નરસિંહરાવ દિવેટીયા
Filed under: નરસિંહરાવ દિવેટીયા, ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નરસિંહરાવ દિવેટીયા, ભજન, ભરત સુચક, bhajan, Bharat Suchak, gujarat, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »




