મફતનાં કામણ

વ્યંગ કવન,મફત માર્કેટિંગનાં કામણ…
મફતનાં કામણ
મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર
મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર
નામા મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત
એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ
સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર
પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર
મફતનો અજંપો લાગે ના માટે નવાજાતી શિષ્ટાચારી
સેવાની કદર કરી શેઠજી, ભાવે [...]

જીવન-जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे

जिवनको पाया हे प्रभु बस जिवन जीना सिखलादे
ये जिवन है अणमोल प्रभु बस मोल मुझे बतलादे
જીવન પૂર્ણ થાય છે જ્યારે શ્વાસ થમી જાય છે
આશા, નિરાશામાં પરિણમે છે જ્યારે આત્મવિશ્વાસ ડગે છે.
પ્રેમનો અંત આવે છે, જ્યારે બીજા પ્રત્યે સહાનુભૂતિ ન હોય.
મિત્રતા ખંડિત થાય છે ,જ્યારે ‘વહેંચીને’ખાવાની ભાવના સૂકાય છે.
જીવન શરૂ જન્મ સાથે.
જીવનનો અંત મૃત્યુ ટાણે.
જીવન દરમ્યાનના [...]

સગાં સગાં સૌ શું કરો છો ?

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ [...]

વિણેલા મોતી:-

વિણેલા મોતી:-
પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે…..
-આ ચાર વાત પાછી ફરતી નથી..
[1] બોલેલા બોલ
[2] વીતેલો સમય
[3] ગુમાવેલી તક
[4] [...]

પ્રાર્થના

હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું [...]

પૈસો બોલે છે

મારા મરણ વખતે બધી નોટો અહિં પધરાવજો,
મારી નનામી સાથે કોરી ચેક-બુકો બંધાવજો,
ડાઘુઓમાં સંઘરાખોરોને પ્રથમ બોલાવજો,
કોઇ ચૌદશિયાને પેલા દોણી દઇ દોડાવજો,
માલને મુડી બધી મુકી દઇને જાઉ છું
બંગલા અને મોટરો પણ અહિંયા જ મુકતો જાઉ છું,
લખપતિ કહેવાઉં, પણ ખાલી હાથે જાઉ છું,
શું કરૂં લાચાર છું, બસ એકલો હું જાઉ છું,
જીવ મારો ધન મહિં છું, એટલું ના ભુલશો,
ભુત [...]

આવું કંઇક કરજો!

..જીભમાં મીઠાશ લાવજો, અંતરમાં કરૂણા લાવજો,
મનને સ્વચ્છ સુંદર બનાવજો, દરેકૃ પ્રત્યે સમભાવ કેળવજો,
ધોળા ઉપર કાળુ કરવાની કુટેવ છોડજો, વાત્સલ્યની પ્રભાથી જીવનને સુશોભિત બનાવજો,
હ્ર્દયને કરૂણાવંત બનાવજો, સમસ્ત જગત પ્રત્યે સદવિચારો કેળવજો.
-પ્રશાંત
Posted by PRASHANT SHAH in gujarati

જીવનના સાત પગલા

જીવનના સાત પગલા
1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——-મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે
તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની
અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના
થવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને [...]

ઘડિકમાં તને ભુલી જવાની

ઘડિકમાં તને ભુલી જવાની
ચીઠી ફાટશ ઉપરવાળાની, વેળા થાશે તારે જાવાની,
સગું કુટુંબ ભેગુ મળીને, ચમચી પાણી પાવાની,
લોટ પાણીનો લાડવો મુકશે, જરૂર હશે નહિં તારે ખાવાની,
પાંચ-પચ્ચીશ ભેગા થઇને, કરશે ઉતાવળ કાઢવાની,
લાકડાં ભેગો બાળી દેશે, જરૂર હશે એને નાવાની,
હાડકાં લઇને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની,
બાર દીની મોકાણ કરી, પછી મિષ્ટાન ખાવાની,
સ્વાર્થની છે સગી આ દુનિયા, ઘડીકમાં તને [...]

વિદાય હંમેશાં લાગણી ભીંની હોયછે.

વિદાય હંમેશાં લાગણી ભીંની હોયછે.
કન્યા વિદાય અને શ્યામનું ગોકુળ છોડવાના
પ્રસંગો દિલને હચમચાવી જાય છે. આવો
સાથે અનુભવીએ..
અવળા વાયરા વાયા
આ વિરહની વેદનાન શૂળ
કેમ કરી સહેશે ગૉકુળ
રોતી આંખલડીએ દેખાય મને ઝાંખું
[...]

રામ કૃષ્ણ પરમહંસના પ્રેરણાપ્રદ વચન

01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી, ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.
02. ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ [...]

શક્તિ

દરિયાનાં મોજા તરફ એક નજરે નિહાળો . સફેદીના ઢાકણ સાથે બરફ આચ્છાદિત ઉભેલા ડુંગરની જેમ ઊંચા ઉછળે છે અને આગળ તાજ સાથે ઘસી રહ્યા છે .જાણે કે પવિત્રતાનો તાજ ,શક્તિનો તાજ એક ભવ્ય વૈભવશાળી માલિક !
મોજાઓની ગતિ તરફ જુઓ .રસ્તામાં આવતી અડચણો ની કોઈ અસર નહિ .ભલે ને પછી તા જડ હોય કે ચેતન હોય. [...]

જ્ઞાન `આજ ની વિચારધારા ‘

શિક્ષણ ભૌતિક દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટીએ જરૂરી છે .પરંતુ જીવન સફળ બનાવવાની દ્રષ્ટીએ .જીવનની દરેક પળમાં નવીનતાનો અનુભવ કરવાની દ્રષ્ટીએ.પ્રત્યેક દિવસને નૈતિક ઉન્નતિના અને પ્રસન્નતાના દિવસ તરીકે અનુભવ કરવા માટે અને નિરંતર શાંતિ હોવા માટે સૌ પ્રથમ ‘સ્વ ‘ નું જ્ઞાન ઘણું જ જરૂરી છે અને અગત્યનું છે .
આપણામાં કહેવત છે કે,પહેલા તમારી જાત [...]

પવિત્રતા-આજ ની વિચારધારા

આપણે દરેક એક સમયે શાંતિસભર અને પવિત્ર હતા. પરંતુ પવિત્ર બનવું અર્થાત શું ? અને આપણે કેવી પ્રવૃત્તિ કરતા હતા ?
અપવિત્રતા સાંકળ છે .અપવિત્રતા શાપ સમાન છે .જે બુદ્ધિહીન બનાવે છે . અને આપણને અંધકારમાં જ રાખે છે અજ્ઞાનતામાં રાખે છે, અને બેભાન બનાવે છે .પવિત્રતા આપણને સ્વત્રંતા આપે છે .જે આપણને જ્ઞાન, શાંતિ ,સુખ [...]

દયા

દુનિયાની દ્રષ્ટીએ ખૂન કરાનારાને દોષ આપવામાં આવે છે .એટલે ખૂનીમાં દયા નથી એમ કહેવાય . ખૂન કરનાર એમ મને છે કે દુનિયાને દયા નથી .અને જે થી કરીને માનવની માનવ સાથે ની અમાનવતાની લાંબી અને મજબુત સાંકળ શરુ થાય છે .આ મનુષ્યનાતાના સાથી મનુષ્ય માટેના નિર્ણય ની જ વાત છે .અર્થાત સાર રૂપે એ જે [...]

વેદ નો અભ્યાસ

તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે.
વેદાંતના પઠનથી જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે.
વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને પંથે પ્રયાણ કરાવે છે.
એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક ભૂખ સંતોષાય છે.
વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ.
“હું” કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે.
વેદે તેની છણાવટ કરી આપણી સમક્ષ પૂરાવા સાથે દર્શાવ્યું છે. [...]

શું અપનાવશો?

જે આદરના અધિકારી છે. માતા પિતા
જેને આદરની પરવા નથી. કૂતરા- બિલાડા
જે હરપળે વિંધાય છે. હ્રદય
જેને વિંધવું શક્ય નથી. શબ
જે આવે છે તે જવા માટે. યુવાની
જે જાય છે આહિસ્તા આહિસ્તા. ઘડપણ
જે શરીરનું આભૂષણ છે. મૌન
જે ઘણીવાર વ્યર્થ છે. વાણી
જેના પર સંયમ આવશ્યક છે. જીભ
જે સ્વતંત્ર અને દૃઢ છે. સદવિચાર
જે કાપવા જેવું છે તે વધારે છે. નખ
જે [...]

ગણપતિબાપા ના જીવન પ્રતીકો

ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે [...]

ભક્તિ

ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે.
શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને,
ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને,
પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને,
ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને
આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને.
-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી

‘મા’

પ્રેમને સાકાર થવાનું મન થયું ને ‘મા’નું સર્જન થયું.
પ્રભુને પણ અવતરવું પડે છે, ને મા ની ગોદમાં રમવું પડે છે,
મા એ તો મા છે… બધાને ત્યાં વિરમવું પડે છે.
રડવું હોય તો ખભો કોઇનોય મળે, પણ ખોળો તો મલકમાં ‘મા’નો જ મળે.
‘મા’ ગંગા કરતાં પણ મહાન છે,
ગંગા સુકાય, મા નહિં.
મા એ પૂર્ણ શબ્દ છે ગ્રંથ છે, [...]

એક દિવસ…

એક દિવસ શેરડી ના સાંઠાને એક વિચાર આવ્યો, કે હું આટલો તંદુરસ્તી ભર્યો, રસ ભર્યો, ગુણ ભર્યો, લોકોનાં માનપાન મેળવનારો, સર્વગુણ સુંદર અને મારો ઉપયોગ લોકો કરી જાય? મને કચડીને નીચોવીને બધા મઝા કરે? એ કેમ ચાલે?
એણે નક્કી કર્યું કે …‘હવે થી આ લોકો માટે મારી યુવાનીનું ગળું હું નહી જ ટુંપું.
સમય તો આવે અને [...]

શું સારું?

જેમાં એક પાઈનો પણ ખર્ચ નથી ભક્તિ
જે આપવાથી વધે છે પ્રેમ
જે સાંધી પણ શકે અને વેતરી પણ જીભ
જે ખોવાથી માનવ મૃત સમાન સ્વાભિમાન
જે જિવનમા પ્રાણ રેડે ઉત્સાહ
જે હમેશ વપરાય, કારણ વિના બહાનુ
જે ચેપી રોગ છે નિંદા
જે સાકરથી ગળ્યું લાગે ખુશામદ
જે શબ્દકોષમા ન હોવો જોઈએ અશક્ય
જેના ફળ મીઠાં હોય મહેનત
જેની કોઈ દવા નથી વહેમ
જે સુંદર ઘરેણું [...]

ચિંતન

માણસ દિવસે ને દિવસે પ્રકૃતિ થી દુર થતો જાય છે અને આથી જ તે અશાંત ,શુષ્ક ,સંકુચિત ,અને અંદર થી ખાલીખમ થતો જાય છે .એની પાસે ઘણું છે પણ અંતર ઠરે તેવી કશુક ખૂટે છે .
પ્રકૃતિ ‘માં’ ની શીતળ ગોદ જેવી છે આથી જે પ્રકૃતિ ને સમજી ને તેના સાનિધ્યમાં જીવે છે તેનામાં બાળસહજ નિર્દોષતા [...]

તું કેમ કોરો ?

રંગો ની આ મહેફિલ માં પુછે છે સઘળા લોકો મને,
ગુલાલ ની તો ડમરી ઉડે છે, છતાં તું કેમ કોરો ?
કદાચ, મારામાં જ હશે કઇંક ખામી, કારણ
રંગમય થવાનું તો બહુ જ મન છે, છતાં પણ છું હું કોરો.
દોડી ને કહું છું તેમને, રંગો મને, રંગો મને,રંગો મને,
પ્રતિસાદ આપે છે એ, તું તો લાયક જ છે [...]

માતા-પિતા

હયાત માતા-પિતાની છત્રછાયામાં,
વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
હોઠ અડધા બિડાય ગયા પછી,
ગંગાજળ મૂકીને શું કરશો…
અંતરના આશીર્વાદ આપનારને,
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શું કરશો…
કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
પછી દિવાનખંડમાં [...]

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે [...]

ઝટ જાઓ ચંદનહાર લાવો

ઝટ જાઓ ચંદનહાર
..ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું
હે નહિ ચડે ચુલે રોટલી….
ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે…
હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે
ઘુઘુંટ નહિ ખોલુ હું….
ઝટ જાઓ ચંદનહાર લાવો…
નાણાં ના નખરા બધા….
ને નાણાં ના સહુ નાદ…. સમજી ને..
માંગવાનુ તુ નહિ [...]

વિચારધારા

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.
૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો
માલિક નહીં.
૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે
ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?
૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત
ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો
આભાર માનજો.
૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.
દરેક [...]

આજનો સુવિચાર

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલું માનવી કરે કબૂલ
તો દરરોજ ઊગે સુખનાફૂલ.
-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી

પ્રેમ-આજ ની વિચારધારા

પ્રેમ
ભલા ! પ્રેમ નો તો વળી કોઈ આકાર હોય ?
પ્રેમ ખરેકર એક શક્તિશાળી બળ છે .આપણને મહાન ઉચાઇ પર લઇ જઈ તાજગી અને તેજસ્વીતા આપે છે .છતાંય તેનો વધુમાં વધુ દુરુપયોગ અને ફજેતી થયેલી છે .ઘણી અધ :પતન કરતી ચીજો તરીકે પ્રેમ સ્વીકારવામાં આવે છે .
એક લોકપ્રિય ગીત જણાવે છે કે દુનિયા ને અત્યારે પવિત્ર [...]