ક્યાં થી હોય ?

તન-મન ના આતંકવાદીઓ હોય,
ત્યાં હરિ સાથે ક્યાં થી હોય ?

નેતાઓ બની ગયા હોય ખુરશીદાસો,
નશ્યત સ્વાથઁમાં દેશદાઝહિન હોય નેતાઓ ત્યાં ભલા !
હરિ સાથે ક્યાં થી હોય ?

ટ્યુશનિયા શિક્ષકો વિધાથીઁ ની પાછળ પાગલ હોય,
સાચી વિધા ક્યાંથી હોય ?

હાઈબ્રીડના અનાજ લોકો ને પધરાવતા હોય,
ત્યાં મીઠા-મધુરા સ્વાદ ક્યાં થી હોય ?

ટી.વી. ચેનલો પર અશોભનીય દ્રશ્યો જોવાતા હોય,
ત્યાં સ્વસ્થ-સંસ્કારી સમાજ ક્યાંથી હોય?

-unknown

Leave a Reply

You must be logged in to post a comment.